સુપ્રીમ કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્ત્વનો નિર્ણય: નાડુ ખેંચવું, શરીરને સ્પર્શ કરવું હવે રેપમાં ગણાશે

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને રદ્દ કરતા કાયદામાં સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટના 17 માર્ચ 2025ના ચુકાદામાં પાયજામાની દોરી ખોલવા જેવા કૃત્યને રેપની તૈયારી તરીકે ગણાવવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે આ ગુનાને રેપના પ્રયાસ હેઠળ ગણાવવાનું નક્કી કર્યું છે. CJIનું માર્ગદર્શન: કરુણા અને સંવેદનશીલતા CJI Surya Kantની અધ્યક્ષતામાંની બેન્ચે કહ્યું કે ન્યાયાધીશોને કાનૂની સિદ્ધાંતો લાગુ કરવા સાથે કરુણા અને માનવતા પ્રદર્શિત કરવી ખૂબ જરૂરી છે. બેન્ચે જણાવ્યું કે કરુણા અને સહાનુભૂતિ વિના ન્યાયિક પ્રોસેસ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. મહિલા પ્રત્યે વધુ સંવેદનશીલતા માટે NGOની અપીલ “વી ધ વુમન” નામની NGOની સ્થાપક પ્રમુખ અને વરિષ્ઠ વકીલ Shobha Guptaએ મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા રાખવા સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી. આ અપીલના આધારે કોર્ટે POCSO એક્ટ…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થશે વધુ સરળ અને ડિજિટલ

રાજ્યના નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે Social Justice and Empowerment Department Gujarat દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવે આવકનું પ્રમાણપત્ર સંપૂર્ણપણે ડિજિટલ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત નવી વ્યવસ્થા મુજબ અરજદારે પોતાની આવક અંગે સેલ્ફ ડિક્લેરેશન આપવું રહેશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે, પરંતુ સાથે જ ખોટી માહિતી આપવાના કિસ્સામાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે પ્રમાણપત્ર ડિજિટલ પરિવર્તનના ભાગરૂપે હવે આવકનું પ્રમાણપત્ર QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે આપવામાં આવશે. આથી દસ્તાવેજની પ્રામાણિકતા સરળતાથી ચકાસી શકાશે અને ગેરવપરાશ અથવા નકલ જેવી ગેરરીતિઓ અટકાવવામાં મદદ મળશે. SSO સિસ્ટમથી સરળ બનશે અરજી પ્રક્રિયા…

ગુજરાત કેબિનેટની બેઠક યોજાશે આવતી કાલે : PM મોદીના ગુજરાત પ્રવાસ અને સ્થાનિક ચૂંટણીની તૈયારી મુદ્દે ચર્ચા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ, રાજ્ય સરકારના આયોજનો, નીતિગત વિષયો અને બજેટ પર ચર્ચા થવાની સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી સહિતના મુદ્દાઓ પણ ચર્ચા માટે લાવવામાં આવશે. PM મોદી સાણંદ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. તેઓ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં ભાજપ સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન કરશે. મુલાકાત ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનું ગુજરાત પ્રવાસ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન…

રાશિફળ/19 ફેબ્રુઆરી 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. આજે પાર્ટી માં તમારી મુલાકાત કોઈ એવા માણસ થી થયી શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું…

અંક જ્યોતિષ/19 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

IND vs NED: T20 વર્લ્ડ કપમાં ભારતની જીત, નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું

T20 વર્લ્ડ કપ 2026માં બુધવારે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાયેલ મુકાબલો રોમાંચક રહ્યો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે 20 ઓવરમાં 193/6નો મજબૂત સ્કોર બનાવ્યો અને આ જીત સાથે ભારતની લીગ સ્ટેજની વિજયયાત્રા યથાવત રહી. નેધરલેન્ડ્સ માટે આ પરાજયનો અર્થ ટુર્નામેન્ટમાંથી બહાર થવું થયો. ભારતીય બેટિંગ: શિવમ દુબે અને હાર્દિક પંડ્યાનું જાદુ મધ્યક્રમમાં, શિવમ દુબેએ માત્ર 31 બોલમાં 66 રન ફટકારી, જેમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. આ ઇનિંગ્સે મેચનો રૂખ ભારતની તરફ ફેરવ્યો. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 30 રનનું મહત્વપૂર્ણ ફિનિશિંગ કર્યું. અંતિમ ઓવરમાં નેધરલેન્ડ્સના લોગાન વાન બીકેએ બંને બેટ્સમેનને આઉટ કરીને 193/6 પર ભારતને અટકાવ્યું. વાન બીક નેધરલેન્ડ્સના સૌથી સફળ…

પોલીસને પડકાર ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ, જેલ અને અન્ય માળખાકીય સુવિધાઓના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ ખાતે બનનારી નવી જેલનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે અને સરકાર પણ પોલીસ પરિવારની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગ હેઠળ અંદાજે રૂ. 273 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બજેટમાં આગામી પાંચ વર્ષમાં પોલીસ પરિવાર માટે 20,400 મકાનો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. “પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ” કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપતા જણાવ્યું કે પોલીસને પડકાર ફેંકનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર…

અમદાવાદ : મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા યલો ફીવરની રસી માટે બે નવા સેન્ટર શરૂ

આફ્રિકા પ્રવાસે જવા ઇચ્છુક નાગરિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા યલો ફીવરની રસીકરણ સુવિધા વિસ્તૃત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસી માત્ર આરોગ્ય ભવન ખાતે ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 9,900થી વધુ લોકોને અપાઈ રસી AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ યલો ફીવરની રસી ખાસ કરીને આફ્રિકા પ્રવાસે જતાં નાગરિકો માટે જરૂરી ગણાય છે, કારણ કે આ રોગનો પ્રકોપ મુખ્યત્વે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ગયા વર્ષ દરમિયાન અંદાજે 9,900 જેટલા લોકોને યલો ફીવરની રસી આપવામાં આવી હતી. આ રસી એક જ ડોઝમાં લેવાય છે અને લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે. રસીની કિંમત કેટલી? યલો ફીવરની…

ગુજરાત અંદાજપત્ર 2026-27’ માટે આકર્ષક બજેટ પોથી તૈયાર, જાણો શું છે ખાસ

નાણા‌ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘ગુજરાત અંદાજપત્ર :2026-27 માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે, કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે, પૂજા કરવામાં આવે છે. કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે, આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે. વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને પાસેના મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે.…

Iran-United States પરમાણુ વાટાઘાટો જીનીવામાં અનિર્ણિત; હોર્મુઝ સ્ટ્રેટમાં લશ્કરી તણાવ વધ્યો

ઈરાન અને અમેરિકાની વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે યોજાયેલ નવી મંત્રણા સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં ત્રણ કલાક સુધી ચાલી, પરંતુ કોઈ ઠોસ પરિણામ પર પહોંચ્યા વગર સમાપ્ત થઈ. બંને દેશો વચ્ચેનો આ બીજો રાઉન્ડ હતો, જે પશ્ચિમ એશિયામાં વધતા લશ્કરી તણાવની વચ્ચે યોજાયો હતો. વાટાઘાટો દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ફાયરિંગ કવાયત હાથ ધરી અને મિસાઈલો છોડીને પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું. પર્સિયન ખાડી અને ઓમાન ખાડી વચ્ચે આવેલો હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20 ટકા તેલ પરિવહન માટે મહત્વપૂર્ણ જળમાર્ગ માનવામાં આવે છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવેલી આ કવાયતને અમેરિકાની વધતી લશ્કરી હાજરી સામેની ચેતવણી તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકાએ પણ આ વિસ્તારમાં બે વિમાનવાહક જહાજો તૈનાત કર્યા છે, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની છે.…