અંક જ્યોતિષ/20 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/20 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. આજે ખાલી સમય નું સાચું ઉપયોગ…

‘રાહુલ ગાંધીને ઘરમાં ઘુસીને ગોળી મારી દેશું’ – ધમકી આપનારની રાજસ્થાનથી ધરપકડ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 25 કોંગ્રેસ સાંસદોને ઘરમાં ઘુસીને ગોળી મારી દેવાની ધમકી આપનાર એક વ્યક્તિની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ કોટા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપીનું નામ રાજ સિંહ અમેરા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં તે પોતાને કરણી સેના અને Bharatiya Janata Party (ભાજપ) કાર્યકર તરીકે રજૂ કરે છે અને કોંગ્રેસ સાંસદો તથા રાહુલ ગાંધી સામે ઉશ્કેરણીજનક ભાષા વાપરે છે. ધમકીમાં શું કહ્યું? વાયરલ વીડિયોમાં રાજ સિંહ અમેરિકાએ આરોપ મૂક્યો કે કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષ Om Birlaનું અપમાન કર્યું હતું. તેણે કહ્યું કે જો આવી ઘટના ફરી બનશે તો તેઓ સાંસદોના ઘરમાં ઘુસીને હુમલો કરશે. વીડિયોમાં તેણે રાહુલ ગાંધીને સીધી ગોળી મારી દેવાની ધમકી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ બેઠક: યોજનાઓની તાત્કાલિક અમલવારીના નિર્દેશ અપાયા

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને સચિવશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં અપાયેલી રાહતોને કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. જીએસટીમાં રાહત બાદ રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનો દ્વારા પણ આ બજેટની સરાહના કરવામાં આવી છે. આ…

વેરાવળ ખાતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થશે

ગાંધીનગર: ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીરાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી (એક્સેસ પાસ) મેળવવાનું સરળ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ પહેલ ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO) ને સશક્ત બનાવશે. ઉલ્લેખનીય…

CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં વિવિધ બોર્ડ-કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી: પ્રવક્તા મંત્રી જીતુવાઘાણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23  દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ 1,22,53,096 ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર…

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા. 21 અને 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા ભુજ ખાતે એક મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે. ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે નાગરિકોને ધ્યાન રાખવા સૂચના આપી

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના ઊભી થઈ છે. IMD દ્વારા ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. આગામી દિવસોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ માટે જવાબદાર પ્રણાલીઓ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે. ખેડૂતો માટે સલાહ આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખેડૂત વર્ગને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં સતત બદલાવ જોવા…

સુપ્રીમ કોર્ટે મોહમ્મદ શમીને નોટિસ ફટકારી, હસીન જહાંની ટ્રાન્સફર અરજી પર માંગ્યો જવાબ

મોહમ્મદ શમીને સુપ્રીમ કોર્ટે બુધવારે નોટિસ ફટકારી છે, જે હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં છે. હસીન જહાંએ કોલકાતામાં દાખલ કેસોને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગ કરી છે, જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ અને CrPC Section 125 હેઠળ ભરણપોષણ સંબંધિત કેસ સમાવિષ્ટ છે. હસીન જહાંની અરજીઓ હસીન જહાંએ પોતાની પુત્રીના શિક્ષણ અને પરિવારની નજીક રહેવાની જરૂરિયાત દર્શાવી, ટ્રાન્સફર માટે અરજી કરી છે. તેણી જણાવે છે કે મોહમ્મદ શમી ઘણીવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસે રહે છે, અને કોલકાતામાં કેસ લડવું તેના અને પુત્રી માટે મુશ્કેલ બની ગયું છે. અરજદારે જણાવ્યું છે કે તેણે પુત્રીના સર્વાંગી વિકાસ માટે દિલ્હીમાં રહેવું જરૂરી છે અને તેની પાસે સ્વતંત્ર આવક નથી, તેથી ટ્રાયલ માટે યોગ્ય સ્થળ દિલ્હીમાં હોવું જોઈએ. કેસની પૃષ્ઠભૂમિ હસીન જહાં…

Google ભારતમાં કરશે 1.25 લાખ કરોડનું રોકાણ, બનાવશે મેગા AI હબ

ગુગલ આગામી 5 વર્ષમાં ભારતમાં 15 બિલિયન ડોલર ( 1.25 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. કંપનીનું આ રોકાણ દેશનું પહેલું મોટું AI હબ બનાવવાનો ભાગ હશે. આ મહત્વપૂર્ણ જાહેરાત ગુગલના સીઈઓ સુંદર પિચાઈ અને ડિપમાઈન્ડના CEO ડેમિસ હાસાબિસ દ્વારા કરવામાં આવી. વિશાખાપટ્ટનમમાં મેગા AI ડેટા સેન્ટર આ રોકાણનો મુખ્ય ભાગ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનનાર મેગા AI ડેટા સેન્ટર છે. આ ડેટા સેન્ટર માત્ર બિલ્ડિંગ નહીં, પણ AI મોડલ ટ્રેનિંગ, ક્લાઉડ સર્વિસ અને હાઈ-પાવર કોમ્પ્યુટિંગ માટેનું કેન્દ્ર બનશે. અહીંથી ભારત અને આસપાસના દેશોના AI સર્વિસઝ માટે તાકાત મળશે. ઝડપી ઈન્ટરનેટ માટે નવા અંડરસી કેબલ ગુગલ ભારતમાં સીધું કનેક્શન વધારવા માટે નવી અંડરસી ઈન્ટરનેટ કેબલ નાખી રહ્યું છે. આ કેબલ સિંગાપુર, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાશે, જેનાથી એશિયા,…