કચ્છના અરબી સમુદ્રમાં લો‑પ્રેશર સક્રિય: ડિપ્રેશનમાં રૂપાંતર થઇ શકે, ભારે પવન અને તોફાનના સંકેતો

ભારતીય હવામાન વિભાગે (IMD) જાણ કર્યુ છે કે અરબી સમુદ્રમાં સ્થિત એક ઓછા દબાણ (low‑pressure) સિસ્ટમ હવે કચ્છના અખાત પર કેન્દ્રિત થઈ છે અને તે આગામી સમયગાળા દરમિયાન તૂફાનીરૂપે વિકસવાની શક્યતા છે. આ સિસ્ટમ આગામી 12 કલાકમાં ઉત્તરની તરફ આગળ વધશે અને પહેલાં ડેપ્રેશન બની શકે છે, ત્યારબાદ વધુ તીવ્રતાઓ તરફ આગળ also શકે છે. હાલની સ્થિતિ અને સંકેતો સિસ્ટમનો કેન્દ્ર આશરે 22.7° ઉત્તર, 69.5° પૂર્વ રેખાંશ પર છે, તથા કેન્દ્રિય દબાણ અંદાજે 998 hPa દર્શાવવામાં આવ્યું છે. સંકળાયેલા પવનની સાધારણ ગતિ 28‑37 કિમી/કલાક છે, જે 55 કિમી/કલાક સુધી વધવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમ્યાન, 40‑50 કિમી/કલાક ઝડપી પવન કચ્છ અને તેની આસપાસ ફૂંકાશે, તોફાની ગતિ 60 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા જાહેર છે. 2…

અંક જ્યોતિષ/01 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/01 ઓક્ટોમ્બર 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો…

વાલી અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, ખાનગી ટ્યુશન ક્લાસીસ પર સરકારે કસ્યો શંકોજો

ગુજરાત રાજ્ય સરકારે ખાનગી ટ્યુશન ક્લાસીસ પર નિયંત્રણ માટે મોટું પગલું ભર્યું છે. શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ જાહેર કર્યું છે કે ટ્યુશન ક્લાસીસના સંચાલનમાં સુધારવા અને પારદર્શિતા લાવવા માટે કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 8 સભ્યોની વિશેષ કમિટી નિમેલી છે. શિક્ષણ મંત્રીએ શું કહ્યું? શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયાએ કહ્યું,“ટ્યુશન ક્લાસીસ પર નિયમન જરૂરી બની ગયું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટતા રોકવા માટે સરકાર કડક કાયદો લાવશે. કમિટી ટૂંક સમયમાં પોતાનું કાર્ય શરૂ કરશે અને સરકારને અહેવાલ આપશે.” નોટિફિકેશન પણ થયું જાહેર શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભમાં અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ કાયદો વાલી અને વિદ્યાર્થીઓ બંને માટે રાહતભર્યો અને જરૂરી પગલું માનવામાં આવી રહ્યો છે. શા માટે જરૂર પડી? છેલ્લા…

દશેરા પહેલા ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ: ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ સાથે કરી મુલાકાત, જાણો વિગત

ગુજરાતના રાજકારણમાં મોટી હલચલનું સંકેત મળ્યું છે. દશેરા તહેવાર પહેલા રાજ્યમાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની શકયતાઓ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગાંધીનગર રાજભવન ખાતે મહત્વની મુલાકાત કરી છે. મુલાકાત લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો હતો અને તેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. PM મોદીની મુલાકાત બાદ તાત્કાલિક રાજ્યપાલને મળ્યા CM મુખ્યમંત્રીએ તાજેતરમાં દિલ્લી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. અહેવાલો મુજબ, આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાતના સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ, નવા પ્રદેશ પ્રમુખની પસંદગી, તેમજ આગામી ચૂંટણી માટેની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મંત્રીમંડળમાં ફેરફાર માટે લીલીઝંડી? સૂત્રો મુજબ, હવે મંત્રીમંડળના વિસ્તરણ માટે PM મોદીની મંજૂરી મળી ગઈ છે. જેમાં: – નોન-પરફોર્મિંગ મંત્રીઓને બદલી શકાય છે – તબીયત…

સબરીમાલા મંદિરના 4 કિલો સોનાના ગુમ થતાં મામલે વિવાદ ઘેરાયો, હાઈકોર્ટે દેવસ્વોમ બોર્ડને આપ્યો ઠપકો

કેરળ રાજ્યના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં 4 કિલોગ્રામ સોનાના ગુમ થવાના મામલાએ તીવ્ર ચકચાર મચાવી છે. આ કેસ હવે માત્ર “ચોરી” પુરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ મંદિર સંચાલન હેઠળના ટ્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) દ્વારા સંભવિત બેદરકારી અને ગેરવહીવટના ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. ચોરી નહીં… પણ ‘ફરિયાદી’ના ઘરમાંથી મળ્યું સોનું! 27 સપ્ટેમ્બરના રોજ TDBની વિજિલન્સ શાખાએ જે 4 કિલો જેટલું ગુમ સોનું શોધી કાઢ્યું હતું, તે ક્યાંક બહારના ચોરના ઘરમાંથી નહિ, પરંતુ ફરિયાદ કરનાર ઉન્નીકૃષ્ણન પોટ્ટીના બાંધવના ઘરમાંથી મળ્યું. પોટ્ટી એ જ વ્યક્તિ છે જેમણે સૌપ્રથમ મંદિરમાંથી મૂર્તિઓના ઢાળ અને સોનાના ભાગ ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી. હાઈકોર્ટનો તીવ્ર ઠપકો કેરળ હાઈકોર્ટની બેન્ચે 29 સપ્ટેમ્બરના રોજ થયેલી સુનાવણી દરમિયાન આ મામલે કડક ટિપ્પણીઓ કરતાં કહ્યું:…

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના આરોપો પર નીતિન ગડકરીની ખુલ્લાસો, કહ્યું- “હું પેઇડ ન્યૂઝનો ભોગ બન્યો છું”

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ છેલ્લાં કેટલાક દિવસોથી તેમના વિરુદ્ધ ચાલતી ટીકા અને આરોપો સામે પોતાનું મૌન તોડ્યું છે. ઈથેનોલ ભેળવણી નીતિએ કેટલાક નફાકારક સમૂહોને નારાજ કર્યા હોવાના દાવા સાથે ગડકરીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ “પેઇડ ન્યૂઝ કેમ્પેઈન” ચલાવવામાં આવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? હાલના સમયમાં ભારત સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ (E20) ભેળવવાની યોજના શરૂ કરી છે. આ પગલું ઇંધણ આયાત ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા અને ખેડૂતને ઉર્જા ઉત્પાદક બનાવવાનો પ્રયાસ છે. પરંતુ કેટલાક અહેવાલો અને રાજકીય પક્ષોએ આ પગલાં પાછળ “ગડકરીના પરિવારના નફાકારક હિતો” હોવાનો આરોપ લગાવ્યો છે. ગડકરીનો સ્પષ્ટ જવાબ “લોકો ફળ આપતા ઝાડ પર પથ્થર ફેંકે છે. હું આવા તૂંછી આરોપોને અવગણું છું. મારી નીતિઓ આયાત લોબીની દશકોથી ચાલી…

નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ

એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને…

NAVRATRI 2025 : આજે છે દુર્ગા અષ્ટમી, મા મહાગૌરીની પૂજા કરવાનો પાવન દિવસ

શારદીય નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં પ્રવેશી ગઈ છે અને આજે દુર્ગા અષ્ટમી, નવરાત્રિનો આઠમો દિવસ, ભક્તિ અને શક્તિની આરાધનાનો ખાસ અવસર છે. આ પાવન દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ ‘મા મહાગૌરી’ની પૂજા કરવામાં આવે છે. મા મહાગૌરીને શુદ્ધતા, શાંતિ અને આશીર્વાદોની દેવી માનવામાં આવે છે.   મા મહાગૌરી: શાંતિ અને શક્તિનું દૈવી સ્વરૂપ મા મહાગૌરીનું રૂપ અતિ તેજસ્વી અને ગુણાત્મક છે. તેમનો રંગ ગોરો છે, જેમ શંખ, ચંદ્ર અને કુંદના ફૂલો જેવો. માતાજીના ચાર હાથ છે, તેઓએ સફેદ વસ્ત્ર ધારણ કર્યાં છે અને તેઓ વૃષભ (બળદ) પર સવાર છે. એક હાથમાં ત્રિશૂળ, એકમાં ડમરૂ, અને બે હાથ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં છે. મહાગૌરીની આરાધનાથી ભક્તોના પાપ દૂર થાય છે અને દુર્લભ સિદ્ધિઓની પણ પ્રાપ્તિ થાય…

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસ્ટ ડેપોના કર્મચારીઓ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા સ્વચ્છ ભારત મિશન’ ના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેના ભાગરૂપે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અભિયાનને ‘સ્વચ્છોત્સવ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વચ્છતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડકટર સહીતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા ,આ રેલીમાં કમર્ચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સ્વચ્છતા સંબંધિત સૂત્રોચ્ચારો સાથે પ્લેકાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી ,અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.   Follow us On Social Media…