રાજકોટ જિલ્લામાં અકસ્માત: ઉપલેટા શહેરમાં 2 ઇંચ ભારે વરસાદથી વર્ષો જૂનુ બંધ મકાન ધરાશાયી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે એક જૂનુ અને લાંબા સમયથી બંધ મકાન તૂટી પડ્યું છે. સવારે વહેલી તડકે બનેલી આ ઘટના લોકોમાં ચકચાર ફેલાવી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગઈ રાત્રે ઉપલેટા પંથકમાં આશરે 2 ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો, જે અચાનક શહેરમાં પૂરવર્ષા જેવા પરિસ્થિતિ સર્જી. આ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ભારે વરસાદ અને ભેજના કારણે ઉપલેટા શહેરના એક જર્જરિત મકાનની છત અને કાટમાળ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ મકાન વર્ષો જૂનું અને લાંબા સમયથી બંધ હતું, જેના કારણે કોઈપણ વ્યક્તિના મોત કે ઘાયલ થવાના આશંકા ટાળી શકાય. ઘટનાની જાણ થતાં ઉપલેટા વહીવટ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા…

ધારાસભ્ય હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ થયું રદ, હાઇકોર્ટે આપી મોટી રાહત

ધારાસભ્ય હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે હાર્દિક પટેલ સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટને રદ કરી દીધું છે. હાર્દિક પટેલ પર 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આવતા ધરપકડ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ અમદાવાદના નિકોલ પોલીસ મથકમાં નોંધાયેલ હતી. ધારાસભ્ય હાર્દિક પટેલ પર પરવાનગી વિના ધરણાં પર બેસવાના આરોપમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ માટે વોરંટ કાઢી હતી. હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપતા, હાઇકોર્ટે તેમની બાંહેધરી બાદ વોરંટ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હાર્દિક પટેલ માટે મોટી રાહત તરીકે જોવાય છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

રાશિફળ/30 સપ્ટેમ્બર 2025: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘર ના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવા માં મદદ કરશે। આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણનું કેન્દ્ર હશો.…

અંક જ્યોતિષ/30 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

ગુજરાત પર વરસાદી આફતનું સંકટ : અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની તૈયારીમાં

ગુજરાત હવે ફરીથી એક ભારે પવન અને વરસાદની દુહા સામે ઊભું છે. અરબી સમુદ્રમાં ઊંડા દબાણ (Deep Depression) અને બંગાળની ખાડીમાં સક્રિય થતી નવી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત માટે બેવડી ચિંતા સર્જી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) તથા ખાનગી હવામાન એજન્સીઓએ આગામી ૪૮ કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ઊંડું દબાણ, બંગાળમાં નવી સિસ્ટમ IMDના જણાવ્યા પ્રમાણે, ગુજરાતને અડીને અરબી સમુદ્રમાં ઊંડું દબાણ સર્જાયું છે, જેના કારણે ભેજ ભરેલું વાતાવરણ સર્જાયું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર ઝોન આકાર લઈ રહ્યું છે, જેના સંયુક્ત પ્રભાવથી સમગ્ર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના કેટલાંક વિસ્તારો માટે “અલર્ટ” અગાઉના ચોમાસાની ઋતુ સમાપ્ત થવાની આસપાસ…

જમ્મુ અને કાશ્મીર: ભારતીય સેનાના કેમ્પમાં શંકાસ્પદ વિસ્ફોટ, બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલી રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયનના કેમ્પમાં સોમવારે સાંજે થયેલા એક શંકાસ્પદ વિસ્ફોટથી બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના પૂંછ જિલ્લાના સુરનકોટ સબડિવિઝનના દ્રાબા વિસ્તારમાં બની હતી. સાંજે 7:50 વાગ્યે થયો વિસ્ફોટ વિશ્વસનીય સેનાકીય સૂત્રોના જણાવ્યા મુજબ, વિસ્ફોટ સાંજે 7:50 વાગ્યે થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેની ગૂંજૂ આસપાસના વિસ્તારોમાં સંભળાઈ હતી. ઘાયલ થયેલા સૈનિકોને તાત્કાલિક સારવાર માટે નજીકના આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાઈ રહી છે. શંકાસ્પદ વિસ્ફોટ: સર્ચ ઓપરેશન શરૂ પ્રારંભિક તપાસના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કદાચ આકસ્મિક ગ્રેનેડ વિસ્ફોટ હોઈ શકે છે. જોકે, આને આધારપૂર્વક પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાને પગલે સેનાએ આખા કેમ્પ વિસ્તારને ઘેરી લઈને…

કેનેડાની મોટી કાર્યવાહી: લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું

કેનેડા સરકારે ભારતના વિવાદાસ્પદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. કેનેડાના જાહેર સલામતી મંત્રાલય દ્વારા સોમવારના રોજ જાહેર કરાયેલા નિર્ણય અનુસાર, હવે બિશ્નોઈ ગેંગને સહાય કરવી કે સમર્થન આપવું કાયદેસર ગુનો ગણાશે. કેનેડાની “ટેરર લિસ્ટ”માં બિશ્નોઈ ગેંગનો સમાવેશ કેનેડાની ટેરરિસ્ટ એન્ટિટીઝ લિસ્ટમાં બિશ્નોઈ ગેંગને ઉમેરવાનો નિર્ણય કન્ઝર્વેટિવ પાર્ટી અને NDP નેતાઓની માંગણીઓ પછી લેવામાં આવ્યો છે. આ પગલાને પગલે હવે કેનેડિયન અધિકારીઓએ ગેંગ વિરુદ્ધ વધુ કડક પગલાં લેવા માટે પૂરતું કાનૂની આધાર મેળવ્યો છે. તેમાં સામેલ છે: – ગેંગની સંપત્તિ જપ્ત કરવી – બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવી – તેમના સંભવિત સમર્થકો અને નેટવર્ક સામે કાર્યવાહી બિશ્નોઈ ગેંગ સામે લાગેલા ગંભીર આરોપો કેનેડાના જાહેર સલામતી વિભાગ મુજબ,…

ગાંધીનગરઃ નારદીપુર ગામે ત્રણ દલિત યુવકોનો સંદિગ્ધ આપઘાત, વીડિયો બનાવી તળાવમાં ઝંપલાવ્યા

કલોલ તાલુકાના નારદીપુર ગામમાંથી આંસુ ભરી નાખે તેવી દુખદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ દલિત યુવાનોએ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવકોના આપઘાત પહેલાંનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ગામમાં શોક અને ચકચારનો માહોલ છવાઈ ગયો છે. મૃતક યુવાનોની ઓળખ: – ધૈર્ય જીતેન્દ્રકુમાર શ્રીમાળી (ઉ.વ. 22) – કૌશિકકુમાર કનુભાઈ મહેરીયા (ઉ.વ. 24) – અશોકકુમાર નરસિંહભાઈ વાઘેલા (ઉ.વ. 35) ત્રણે યુવાનો નારદીપુર ગામના રહેવાસી હતા અને આશરે સાંજે ભમ્મરીયા વડ પાસે આવેલા તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. વીડિયો બનાવ્યો અને શેર કર્યો આપઘાત કરતા પહેલા યુવકોમાંના એકએ મોબાઇલ ફોન પર વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં ત્રણે જણા નમ્ર અવાજે વાત કરતાં અને પોતાના જીવનથી અકળાઈ ગયાનું વ્યક્ત કરતાં જોવા મળે…

NAVRATRI 2025 : આજે સાતમાં નોરતે કરો કૃપાળુ અને ભયંકાર રૂપ ધરાવતી મા કાલરાત્રિને પ્રસન્ન; જાણો પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી

આજે નવરાત્રીનો સાતમો દિવસ છે, જે મા કાલરાત્રિને સમર્પિત હોય છે. દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી સાતમો રૂપ ગણાતી મા કાલરાત્રિને અંધકારની દેવી, વિનાશકાળી શક્તિ, અને પાપ નાશક શક્તિ તરીકે પૂજવામાં આવે છે. તેમ છતાં, તેઓ પોતાના ભક્તો માટે સદાય રક્ષિકા અને કલ્યાણકારી રહે છે.   મા કાલરાત્રિનું દર્શન માત્ર ભય માટે નહીં, પણ આંતરિક શક્તિ, વિરોધી શક્તિઓનો નાશ, અને મૃત્યુ પર વિજય માટે પણ કરવામાં આવે છે. આવો જાણીએ આજે સાતમા નોરતને વિશેષ બનાવતી મા કાલરાત્રિની પૂજા વિધિ, ભોગ, મંત્ર અને આરતી વિશે સંપૂર્ણ માહિતી.   માતા કાલરાત્રિ – કોણ છે આ ભયંકાર રૂપ? મા કાલરાત્રિનો જન્મ ત્યારે થયો હતો, જ્યારે પૃથ્વી પર અધર્મ અને પાપ ખૂબ વધી ગયા હતા. પૌરાણિક માન્યતા અનુસાર, દેવી દુર્ગાએ દુષ્ટોનો…

કરુર રેલી ભાગદોડ કેસ: મદ્રાસ હાઈકોર્ટમાં અરજી, વિજયની TVK રેલીઓ પર પ્રતિબંધની માંગ

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા અને TVK (તમિલગા વેત્રી કઝગમ) પાર્ટીના પ્રમુખ વિજય સામે ગંભીર કાનૂની પડકાર ઉભો થયો છે. કરુર જિલ્લામાં થયેલી દુર્ઘટનાપૂર્વકની ભીડભાગદોડની ઘટનાને પગલે, મદ્રાસ હાઈકોર્ટમાં રજૂ થયેલી અરજીમાં વિજયની આગામી તમામ રેલીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી આજ રોજ મદ્રાસ હાઈકોર્ટે કરુરની ઘટનાની પૃષ્ઠભૂમિમાં TVK દ્વારા આયોજિત ભવિષ્યની રાજકીય રેલીઓ અંગે જાહેર સલામતીના મુદ્દે સુનાવણી શરૂ કરી. પીડિત પક્ષ દ્વારા રજૂ કરાયેલ અરજીમાં કહેવામાં આવ્યું કે “જ્યાં સુધી ઘટનાની પૂરી તપાસ ન થાય અને જવાબદારી નિર્ધારિત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાહેર રેલીને મંજૂરી ન આપવામાં આવે.” અરજદારનું તર્ક: ‘જીવનનો અધિકાર સૌથી પ્રથમ’ અરજદાર સેન્થિલકન્નને દલીલ કરી છે કે જાહેર સલામતી, લોકોનો જીવ અને કલમ 21…