PIA એન્જિનિયરોની હડતાળ: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ, પગાર વિવાદ ઉગ્ર
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની આંતરરાષ્ટ્રીય સેવાઓ સોમવાર રાત્રે 8 વાગ્યાથી સ્થગિત થઈ ગઇ છે. એન્જિનિયરો પગાર વધારાની માંગ સાથે અચાનક કામ બંધ કરવાના કારણે મુસાફરોને એરપોર્ટ પર લાંબા સમય રાહ જોવી પડી રહી છે. લાહોરથી મદીના, ઇસ્લામાબાદથી જેદ્દાહ અને કરાચી જતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઇ છે. 8 વર્ષનો પગાર વિવાદ: સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જિનિયરો ઓફ પાકિસ્તાન (SAEP)એ જણાવ્યું કે છેલ્લા 8 વર્ષથી તેમની પગાર વધારો થયું નથી. ઘણા મહિનાઓ એન્જિનિયરો કાળી પટ્ટી પહેરીને કામ કરે છે, પરંતુ મેનેજમેન્ટની નકારાત્મકતા પગાર વધારાના હેતુને રોકી રહી છે, જેના કારણે હડતાળ ફરજિયાત બની. મેનેજમેન્ટની ચેતવણી: PIAના CEOએ આ હડતાળને ગેરકાયદેસર જાહેર કરી છે. હડતાળ ચાલુ રાખનાર એન્જિનિયરો સામે કડક કાનૂની કાર્યવાહી થશે. PIAના પ્રવક્તાએ જણાવ્યું કે હડતાળ પાછળનો હેતુ એરલાઇનની…
“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન મસાલાના ₹5 ના પાઉચનો દાવો કર્યો હતો, જે શક્ય નથી. અદાલતે બંને પક્ષોને 27 નવેમ્બર 2025 સુધીમાં જવાબ આપવા કહ્યું છે. આ મામલો હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. ફરિયાદનો મુદ્દો ફરિયાદ કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઇન્દ્રમોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે,“અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹4 લાખ છે. તેથી ₹5 ના પાઉચમાં અસલી કેસર હોવું શક્ય જ નથી. આ પ્રકારની જાહેરાતો ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે.” ફરિયાદમાં એ પણ દલીલ કરવામાં આવી કે…
મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત: 2 ડિસેમ્બરે મતદાન, 3 ડિસેમ્બરે પરિણામ
મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણી માટે મતદાન 2 ડિસેમ્બર 2025એ અને ગણતરી 3 ડિસેમ્બર 2025એ યોજાશે. ચૂંટણી પંચે આ જાહેરાત એક ખાસ પત્રકાર પરિષદમાં કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે રાજ્યની 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતો માટે મતદાન યોજાશે. આ ચૂંટણી દ્વારા 6,859 સભ્યો અને 288 અધ્યક્ષોની પસંદગી કરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ – નામાંકન ભરવાની છેલ્લી તારીખ: 17 નવેમ્બર 2025 – ચૂંટણી પ્રતીક ફાળવણી: 26 નવેમ્બર 2025 – મતદાન: 2 ડિસેમ્બર 2025 – ગણતરી: 3 ડિસેમ્બર 2025 વિભાગવાર ચૂંટણીની વિગતો – કોંકણ વિભાગ: 27 નગર પરિષદો – નાસિક વિભાગ: 49 નગર પરિષદો – છત્રપતિ સંભાજીનગર વિભાગ: 52 નગર પરિષદો – અમરાવતી…
ઇન્દોરના ભેરુઘાટમાં ગમખ્વાર અકસ્માત : બસ અને કાર ખીણમાં પડી, 3 ના મોત
ઇન્દોર જિલ્લામાં મહુના ભેરુઘાટમાં સોમવારે રાત્રે લગભગ 9:40 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા બંને વાહનો ઊંડી ખીણમાં ખસી ગયા. આ દુર્ઘટનામાં બે મહિલાઓ સહિત 3 મુસાફરોના મોત થયા છે, જ્યારે 13 મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોમાં સુરતના રિક્ષાચાલકનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. લગભગ 30 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા, જેમાં કેટલાકને બસની બારી તોડીને બહાર કાઢવું પડ્યું. ઘાયલોને ઇન્દોરની MY હોસ્પિટલ અને મહુ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મૃતકોમાં ઇન્દોરના તિલક નગરની પદ્માબાઈ (45), યુપીના દેવરિયાના રાહુલ (25) અને ઇન્દોરના ન્યૂ ગોરી નગરની અનિતા (40)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ડૉ.…
નેપાળમાં યાલુંગ રી બેઝ કેમ્પ પર ભયાનક હિમપ્રપાત: 7 પર્વતારોહકોનાં મૃત્યુ, 4 લાપતા
ઉત્તર-પૂર્વી નેપાળના દોલખા જિલ્લામાં સોમવારે, 3 નવેમ્બર ૨૦૨૫ના સવારે યાલુંગ રી (5630 મીટર) પર્વતના બેઝ કેમ્પ પર અચાનક ભયાનક હિમપ્રપાત સર્જાયો. આ દુર્ઘટનામાં 15 પર્વતારોહકોની ટીમનો સમાવેશ થતો હતો. હિમપ્રપાતની ઘટનાઓમાં 7 પર્વતારોહકોનાં મોત થયા છે, જ્યારે 4 ઘાયલ છે અને અન્ય 4 હજુ લાપતા છે. મૃતકોમાં વિદેશી અને નેપાળી પર્વતારોહકો સામેલ ડીએસપી જ્ઞાન કુમાર મહતોએ જણાવ્યું કે, મૃતકોમાં 5 વિદેશી નાગરિકો અને 2 નેપાળી ગાઇડનો સમાવેશ થાય છે: – 3 અમેરિકન નાગરિક – 1 કેનેડિયન નાગરિક – 1 ઇટાલિયન નાગરિક – 2 નેપાળી ગાઇ ઘાયલ 4 પર્વતારોહકોને સારવાર માટે ખસેડવામાં આવી રહી છે. લાપતા પર્વતારોહકોની શોધખોળ માટે નેપાળ આર્મી અને પોલીસ દ્વારા ઓપરેશન ચાલુ છે. બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ દુર્ઘટનાની જાણ થતાં જ નેપાળ આર્મી, સશસ્ત્ર…
રાશિફળ/04 નવેમ્બર 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તબિયત પર ધ્યાન આપવું પડશે. કોઈપણ અનુભવી માણસ ની સલાહ વગર આજે એવું કોઈપણ કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે. આ રાશિ ના વયસ્ક લોકો મફત સમય માં આજે તેમના જૂના…
અંક જ્યોતિષ/04 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
યુદ્ધના ખતરા વચ્ચે રશિયાએ યુક્રેન સામે તૈનાત કરી 9M729 ક્રુઝ મિસાઇલ, જાણો વિગત
યુક્રેન અને રશિયાના સંઘર્ષમાં હવે 9M729 ક્રુઝ મિસાઇલ (નાટો કોડ: SSC-8 ‘સ્ક્રુડ્રાઇવર’)ની એન્ટ્રી થઈ છે. યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી ત્સિબિહાના જણાવ્યા મુજબ, ઓગસ્ટ 2025થી રશિયાએ આ મિસાઇલ 23 વખત ઉપયોગ કરી ચુકી છે. 5 ઑક્ટોબર, 2025ના રોજ, 600 કિમી દૂર લાપીવકા ગામને નિશાન બનાવી આ મિસાઇલ લૉન્ચ કરવામાં આવી હતી, જેમાં 4 લોકોના મોત થયા. મિસાઇલ વિવાદનું કારણ આ મિસાઇલ એટલી વિવાદાસ્પદ કેમ છે? મુખ્ય કારણ INF સંધિ છે. – અમેરિકા દાવો: મિસાઇલની રેન્જ 2,500 કિમી, જે INF સંધિનું ઉલ્લંઘન કરે છે. – રશિયા દાવો: મિસાઇલ માત્ર 480-500 કિમીની રેન્જ ધરાવે છે. INF સંધિ વિવાદને કારણે જ 2019માં અમેરિકા સંધિમાંથી બહાર નીકળી ગયું હતું. યુક્રેન પર 600 કિમી દૂરના લક્ષ્યને નિશાન બનાવવું અમેરિકાના આરોપોને સમર્થન આપે…
બિહાર: વિધાનસભા ચૂંટણી પૂર્વે કરોડો રૂપિયાની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત
બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીઓ વચ્ચે ચૂંટણી પંચની સઘન ચકાસણી હેઠળ ₹108.19 કરોડથી વધુ કિંમતની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સામગ્રીમાં ₹9.62 કરોડ રોકડ, ₹42.14 કરોડનો દારૂ (9.6 લાખ લિટર), ₹24.61 કરોડના ડ્રગ્સ, ₹5.8 કરોડની કિંમતી ધાતુઓ અને ₹26 કરોડથી વધુના અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આ જપ્તી 6 ઓક્ટોબરથી 3 નવેમ્બર 2025 વચ્ચે ઘણી હતી. ચૂંટણી પંચે રાજ્ય સરકારોને આદર્શ આચારસંહિતા (MCC)નું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આક્રમક તપાસ અને ચેકિંગ કામગીરી દરમિયાન મતદારોને પ્રેરિત કરવા માટે રોકડ, દારૂ, માદક દ્રવ્યો અને કિંમતી વસ્તુઓનું વિતરણ સખત પ્રતિબંધિત છે. બિહાર વિધાનસભાની ચૂંટણી રાજ્યની 243 બેઠકો માટે બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન…















