વિસાવદરના હવામાનમાં અચાનક બદલાવ: બપોરે આકાશ ઘેરાયું, રાત્રે કમોસમી વરસાદ
ગુજરાતમાં હવામાનના અચાનક બદલાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. વિસાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડતાં ખેતી પર સીધી અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન વાતાવરણ મિશ્ર રહ્યું, પરંતુ બપોર બાદ આકાશ ઘેરાયું અને રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. ફેબ્રુઆરીમાં આવો વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બની ગયો છે, ખાસ કરીને ખેતરોમાં તૈયાર પાક માટે. પાક પર અસર હાલ રવિ સીઝનના પાક લણણીની તૈયારીમાં છે. ખાસ કરીને: – ઘઉં – ચણા – તુવેર – ધાણા – જીરા જો વરસાદ ચાલુ રહેતો રહ્યો, તો પાક પલળી જવાથી ગુણવત્તા ઘટી શકે છે, કાળો પડી શકે છે અથવા સડી જવાની શક્યતા પણ છે. ખેડૂતો મોંઘું બીજ, ખાતર અને મહેનતથી પાક તૈયાર કરે છે, અને કમોસમી વરસાદ…
કીર્તિ પટેલની ધરપકડ: રાજસ્થાનથી જુનાગઢ લાવવામાં આવી, 3 ગુનાઓનો મામલો નોંધાયો
સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી લઈને જુનાગઢ પોલીસે લાવ્યો છે. તેના જુનાગઢમાં ત્રણ અલગ-અલગ ગુનાઓના આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ ટીમ કીર્તિ પટેલને સીધી જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઇ ગઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. કેસની પૃષ્ઠભૂમિ મામલો મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે ઊભેલા વિવાદથી શરૂ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી ચર્ચા તેજ થઈ. જુનાગઢના યુ-ટ્યુબર અબજલ સીદાએ લાઈવ સ્ટ્રીમમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત આરોપ છે કે યુવાનને ધમકીઓ આપવામાં આવી હતી અને તેની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ દબાણને સહન ન કરી યુવાને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની સારવાર હોસ્પિટલમાં ચાલી…
સુપર 8માં ભારતની કારમી પરાજય, દક્ષિણ આફ્રિકાએ 76 રનથી જીત મેળવી
T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડની પહેલી મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હારનો સામનો કરવો પડ્યો. પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ સાત વિકેટે 187 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાને જીતવા માટે 188 રન બનાવવાના હતા, પરંતુ 20 ઓવર આખા રમવા છતાં ફક્ત 111 રન જ મેળવી શકી. આ ભારતનો આ ટુર્નામેન્ટમાં પહેલો પરાજય છે, જ્યારે દક્ષિણ આફ્રિકા આ જોરદાર જીત સાથે અજેય છે. ડેવાલ્ડ બ્રેવિસ અને ટ્રિસ્ટન સ્ટબ્સની શાનદાર ઇનિંગ – ડેવાલ્ડ બ્રેવિસ : 29 બોલમાં 45 રન, 3 ચોગ્ગા અને 3 છગ્ગા – ટ્રિસ્ટન સ્ટબ્સ : 24 બોલમાં 44 રન, 1 ચોગ્ગા અને 3 છગ્ગા ભારત તરફથી, જસપ્રીત બુમરાહએ 3 વિકેટ લીધી, અર્શદીપ સિંહએ 2 વિકેટ, અને વરૂણ ચક્રવર્તી અને શિવમ દુબેએ…
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN
સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…
રાશિફળ/22 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ ખૂલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી. પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટૅન્શનમાં ઓર વધારો થશે. આજ ના દિવસે તમને ધન લાભ થવા ની પુરી શક્યતા છે સાથેજ તમને દાન-પુણ્ય પણ કરવું જોઈએ કેમ કે આના થી તમને માનસિક શાંતિ મળશે। સાંજે કોઈ જૂના મિત્રનો કૉલ આવશે અને જૂની યાદો તાજી થશે. આજે તમે તમારા પ્રયપાત્રના…
અંક જ્યોતિષ/22 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાજકોટમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર તૈયાર | #rajkot
જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવ અભિયાનનો પ્રારંભ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવાયા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલનાર આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036 ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરીહતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાએ અમદાવાદની ‘લાલ બસ‘ AMTS થી શરૂ કરીને BRTS અને મેટ્રો સુધીની ઐતિહાસિક સફરને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 25 થી 50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રીંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય ‘લિવબલ સિટી’ બનાવશે. તેમણે રીંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો.…
21મી ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ: માનવીના હૃદયને હૃદયથી જોડવાનું માધ્યમ એટલે માતૃભાષા
કોઈ અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં આપણી ભાષામાં-માતૃભાષામાં વાત કરતી વ્યક્તિ મળી જાય, પછી ભલે તેને ન ઓળખતાં હોઈએ, તોપણ એક પ્રકારની સ્વજનસહ આત્મીયતા અનુભવાય એ સ્વાભાવિક છે. એટલે જ તો કહેવાય છે- ‘એક મા અને બીજી મારી માતૃભાષા’. આવી આપણી માતૃભાષાને પોંખવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ. “માતૃભાષા મારો શ્વાસ છે, મારી આત્માનો વિશ્વાસ છે; માતાની મમતા જેવી મીઠી, શબ્દે શબ્દે સુગંધિત આસ છે. જ્યાં પ્રથમ બોલ્યો ‘મા’ નો ઉચ્ચાર, ત્યાંથી જ જીવનનો આરંભ થયો; અક્ષર અક્ષર પ્રેમ ભળેલો, હૃદયમાં સંસ્કાર સંચિત થયો. માતૃભાષા: સંસ્કૃતિનો અરીસો સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો તેમજ લુપ્ત થતી ભાષાઓને બચાવવાનો છે.…
ઉનાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટના સ્થળે મોત
મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલીના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. ઉનાવા નજીક પહોંચતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરા જોરથી રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં મોત પામેલા આ દુર્ઘટનામાં 2 પુરુષ, 1 મહિલા અને 1 માસૂમ…
















