’55 ટકા ભારતીયો ઇચ્છે છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાય’, યુનુસ સરકારે કહ્યું આ અમારી પ્રાથમિકતા
બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું ભારતથી પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે કહ્યું કે ઢાકા શેખ હસીનાના પ્રત્યાર્પણના પ્રયાસો ચાલુ રાખશે જેથી તેણી પર વ્યક્તિગત રીતે કેસ ચલાવી શકાય અને ટૂંક સમયમાં ભારતથી પરત લાવી શકાય. આલમે જણાવ્યું હતું કે એક ભારતીય મીડિયા જૂથ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે 55 ટકા ભારતીયો ઇચ્છે છે કે તેમને ઢાકા પાછા લાવવામાં આવે, જ્યારે થોડા ટકા લોકો ઇચ્છે છે કે તેમને બીજા દેશમાં મોકલવામાં આવે અને માત્ર 16-17 ટકા લોકો ઇચ્છે છે કે તેઓ ભારતમાં રહે. -> આ સર્વે ઇન્ડિયા ટુડે એનઇ દ્વારા આયોજિત “મૂડ ઓફ ધ નેશન” શીર્ષક હેઠળ હાથ ધરવામાં…
નીતિશ પાછા ફરવા માંગતા હોય તો દરવાજા ખુલ્લા, તેમની બધી ભૂલો માફ કરી દઇશુઃ લાલુ યાદવ
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે નવા વર્ષના અવસર પર નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પલટવાર કરતા લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ કહ્યું છે કે જો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર તેમની સાથે ગઠબંધનમાં આવે છે તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. લાલુ યાદવનું આ નિવેદન એટલા માટે હેડલાઇન્સમાં છે કારણ કે મકરસંક્રાંતિની આસપાસ બિહારની રાજનીતિમાં અવારનવાર કોઈને કોઈ રમત જોવા મળતી હોય છે. નવા વર્ષ નિમિત્તે બિહારની એક સ્થાનિક યુટ્યુબ ચેનલ સાથે વાત કરતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું, ‘નીતીશ કુમાર આવતા હોય તો તેમને સાથે કેમ ન લઈએ ?. સાથે રહો અને કામ કરો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો નીતિશ કુમાર આવશે તો શું આરજેડી તેમની…
મુંબઇ ફેરીબોટ દુર્ઘટનામાં બચી ગયેલા યુવકનું નિવેદન ‘સ્પીડબોટનો ડ્રાઇવર સ્ટંટ કરી રહ્યો હતો’
મુંબઈના દરિયામાં થયેલી બોટ દુર્ઘટનામાં એક મોટી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ટકરાયેલી નેવીની સ્પીડબોટનું એન્જિન ખરાબ નહોતું,પરંતુ સ્પીડ બોટનું સંચાલન કરતી નેવી ટીમ શોઓફ કરી રહી હતી. તે એક રીતે સ્ટંટ જેવું હતું.પાલઘર જિલ્લાની નજીક સ્થિત નાલાસોપારાના શાકભાજી વિક્રેતા ગૌરવ ગુપ્તા તેમની કાકી અને અન્ય સંબંધીઓ સાથે બોટ પર સવાર હતા, ગયા અઠવાડિયે તેમની કાકી અને અન્ય સંબંધીઓ તેમના(ગૌરવ ગુપ્તાના) લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા. તેઓ તે બધાને બહાર ફરવા માટે લઇને આવ્યા હતા તેઓ કહે છે કે. મને શું ખબર હતી કે આ તેમના જીવનનો છેલ્લો દિવસ હશે.” -> અચાનક સ્પીડબોટના ચાલકે વળાંક લીધો :- વાતચીત દરમિયાન સૌરભે નૌકાદળના એ દાવાને પણ ફગાવી…









