મુંબઇ ફેરીબોટ દુર્ઘટનામાં બચી ગયેલા યુવકનું નિવેદન ‘સ્પીડબોટનો ડ્રાઇવર સ્ટંટ કરી રહ્યો હતો’

મુંબઈના દરિયામાં થયેલી બોટ દુર્ઘટનામાં એક મોટી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ટકરાયેલી નેવીની સ્પીડબોટનું એન્જિન ખરાબ નહોતું,પરંતુ સ્પીડ બોટનું સંચાલન કરતી નેવી ટીમ શોઓફ કરી રહી હતી. તે એક રીતે સ્ટંટ જેવું હતું.પાલઘર જિલ્લાની નજીક સ્થિત નાલાસોપારાના શાકભાજી વિક્રેતા ગૌરવ ગુપ્તા તેમની કાકી અને અન્ય સંબંધીઓ સાથે બોટ પર સવાર હતા, ગયા અઠવાડિયે તેમની કાકી અને અન્ય સંબંધીઓ તેમના(ગૌરવ ગુપ્તાના) લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા. તેઓ તે બધાને બહાર ફરવા માટે લઇને આવ્યા હતા તેઓ કહે છે કે. મને શું ખબર હતી કે આ તેમના જીવનનો છેલ્લો દિવસ હશે.”

-> અચાનક સ્પીડબોટના ચાલકે વળાંક લીધો :- વાતચીત દરમિયાન સૌરભે નૌકાદળના એ દાવાને પણ ફગાવી દીધો હતો કે અકસ્માત એન્જિનની ખામીને કારણે થયો હતો. તેમણે કહ્યું, “ સ્પીડ બોટનો ડ્રાઈવર મસ્તીભર્યા મૂડમાં હતો અને સ્ટંટ કરી રહ્યો હતો. અન્ય મુસાફરોની જેમ પોતે પણ તે સ્પીડબોટનો વીડિયો બનાવવામાં વ્યસ્ત હતો, જે રીતે સ્પીડબોટનો ડ્રાઈવર પાણીમાં ફરતો હતો, તે જોઈને લાગી રહ્યું હતું કે શો ઓફ કરી રહ્યો છે. અચાનક ડ્રાઈવરે સ્પીડબોટ ફેરવી અને થોડી જ સેકન્ડોમાં તે અમારી ફેરી સાથે અથડાઈ. “અથડામણ થઈ ત્યારે ફેરી પરના ઘણા મુસાફરો લાઇફ જેકેટ પહેરેલા ન હતા.”

-> ‘અથડામણ પછી થોડો સમય બધું બરાબર હતું’ :- સૌરભે કહ્યું, “સ્પીડબોટમાં મુસાફરી કરી રહેલો એક વ્યક્તિ અમારી બોટ પર પડી ગયો. ટક્કર બાદ તરત જ બોટ સામાન્ય રીતે આગળ વધી રહી હતી. અમે માની લીધું કે અમે સુરક્ષિત છીએ, પરંતુ ટૂંક સમયમાં જ બોટ ડૂબવા લાગી.

Related Posts

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *