પશ્ચિમ બંગાળમાં લાઉડસ્પીકર વિવાદે પકડ્યું જોરઃ ટિટાગઢમાં મસ્જિદોના માઈક હટાવાયા, પોલીસ કાર્યવાહી સામે સવાલ
પશ્ચિમ બંગાળમાં ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ટિટાગઢ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા કેટલીક મસ્જિદો પરથી લાઉડસ્પીકર અને માઈક્રોફોન હટાવવામાં આવ્યા હોવાના અહેવાલ બાદ સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. મસ્જિદ સમિતિઓ અને કેટલાક મુસ્લિમ સંગઠનોએ પોલીસની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો છે, જ્યારે પોલીસ અને વહીવટીતંત્રનું કહેવું છે કે કાર્યવાહી ધ્વનિ પ્રદૂષણના નિયમોના અમલ માટે કરવામાં આવી રહી છે. આ મામલો હવે કલકત્તા હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવાની મંજૂરી મળ્યા બાદ સમગ્ર કાર્યવાહી કયા નિયમો હેઠળ કરવામાં આવી અને પોલીસને કયા આધારે લાઉડસ્પીકર હટાવવાની સત્તા મળી તે મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. ટિટાગઢમાં મસ્જિદો પરથી…
બંગાળ વિધાનસભામાં મોટો હોબાળો, TMC ધારાસભ્યને માર્શલોએ બહાર કાઢ્યા
ભાષણ દરમિયાન વેલમાં પહોંચ્યા TMC કુણાલ ઘોષ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બુધવારે ભારે હંગામો જોવા મળ્યો હતો. ગૃહની કાર્યવાહી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય કુણાલ ઘોષને માર્શલો દ્વારા બહાર કાઢવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, TMCના બળવાખોર ધારાસભ્ય અખરુજ્જમાં ગૃહમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે કુણાલ ઘોષ અચાનક વેલમાં પહોંચી ગયા હતા. તેમણે અખરુજ્જમાના ભાષણ દરમિયાન અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગૃહમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. અધ્યક્ષની અપીલ બાદ પણ સ્થિતિ ન સુધરી ગૃહમાં વધી રહેલા હોબાળા વચ્ચે વિધાનસભા અધ્યક્ષે કુણાલ ઘોષને પોતાની બેઠક પર પાછા ફરવા માટે વારંવાર અપીલ કરી હતી. જોકે, કુણાલ ઘોષ વેલમાંથી હટ્યા ન હતા. સ્થિતિ વધુ વણસતા વિધાનસભા અધ્યક્ષે માર્શલોને…
બિહાર ચૂંટણી પછી પીએમ મોદીનું મોટું નિવેદન: “બિહારમાં વિજયે બંગાળ માટે માર્ગ મોકળો કર્યો, જંગલરાજને જડમૂળથી ઉખેડી નાખીશું”
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરતાં પશ્ચિમ બંગાળને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. પીએમ મોદીએ જણાવ્યું – “ગંગા બિહારથી વહે છે અને બંગાળ સુધી પહોંચે છે. બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે. હું બંગાળના ભાઈઓ-બહેનોને ખાતરી આપું છું કે હવે આપણે ત્યાં પણ જંગલરાજને જડમૂળથી ઉખેડી નાખીશું.” બિહારની જીત સાથે બંગાળ માટે નવી રાજકીય દિશા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બિહારના લોકોએ વિકાસ, સુશાસન અને સુરક્ષાને મત આપીને રાજ્યમાંથી ભય, આતંક, ભ્રષ્ટાચાર અને જંગલરાજને નકારી દીધું છે. તે જ લહેર હવે પશ્ચિમ બંગાળમાં દેખાશે એવી તેમની સ્પષ્ટ દલીલ છે. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, બિહારની જીત બંગાળ માટે “વિજયનો બ્યુગલ” સાબિત થશે. બંગાળના લોકો પરિવર્તન…









