બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરતાં પશ્ચિમ બંગાળને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો.
પીએમ મોદીએ જણાવ્યું – “ગંગા બિહારથી વહે છે અને બંગાળ સુધી પહોંચે છે. બિહારે બંગાળમાં ભાજપની જીતનો માર્ગ મોકળો કર્યો છે. હું બંગાળના ભાઈઓ-બહેનોને ખાતરી આપું છું કે હવે આપણે ત્યાં પણ જંગલરાજને જડમૂળથી ઉખેડી નાખીશું.”
બિહારની જીત સાથે બંગાળ માટે નવી રાજકીય દિશા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બિહારના લોકોએ વિકાસ, સુશાસન અને સુરક્ષાને મત આપીને રાજ્યમાંથી ભય, આતંક, ભ્રષ્ટાચાર અને જંગલરાજને નકારી દીધું છે. તે જ લહેર હવે પશ્ચિમ બંગાળમાં દેખાશે એવી તેમની સ્પષ્ટ દલીલ છે.
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, બિહારની જીત બંગાળ માટે “વિજયનો બ્યુગલ” સાબિત થશે. બંગાળના લોકો પરિવર્તન માટે તૈયાર છે. કાર્યકરોની મહેનત અને જનસમર્થનથી પશ્ચિમ બંગાળમાં પણ મોટી રાજકીય બદલાવ નિશ્ચિત છે.
બિહાર વિજયથી બંગાળ BJPમાં ઉત્સાહ
પીએમ મોદીના આ નિવેદન પછી પશ્ચિમ બંગાળ BJPમાં નવી ઊર્જા જાગી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બિહારની જીત માત્ર એક રાજ્ય સુધી મર્યાદિત નથી, પરંતુ “પૂર્વી ભારતના રાજકીય નકશાને બદલવાની શરૂઆત” છે.
આ ભાષણથી સ્પષ્ટ થાય છે કે 2025 પછી BJPનો મોટો ફોકસ પશ્ચિમ બંગાળ પર રહેશે અને “જંગલરાજ”ના અંત માટે મોટું અભિયાન શરૂ થશે.






