તારિક રહેમાન બનશે બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રી, મોહમ્મદ યુનુસે શપથ પહેલા રાજીનામું આપ્યું
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે નવી સરકાર સત્તા સંભાળે તે પહેલાં રાજીનામું આપી દીધું છે. યુનસે મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી અને વિદાય સંબોધનમાં આ જાહેરાત કરી. મંગળવાર બાંગ્લાદેશ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે બીએનપી પ્રમુખ તારિક રહેમાન વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ કરાવશે. ભારતીય પ્રતીનિધિ તરીકે ઓમ બિરલા શપથ સમારોહમાં ભાગ લેશે. બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીમાં વિજયી થયા બાદ, બીએનપીના અધ્યક્ષ તારિક રહેમાન મંગળવારે નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પરંપરાગત બંગભવનની જગ્યાએ રાષ્ટ્રીય સંસદના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: આરોગ્ય સલાહકાર સૈયદુર રહેમાને આપ્યું રાજીનામું
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ફરીથી રાજકીય હલચલ મચી છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની સરકારને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે આરોગ્ય મંત્રાલયના વિશેષ સલાહકાર ડૉ. સૈયદુર રહેમાનએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું. ગેઝેટ નોટિફિકેશન મુજબ, રાષ્ટ્રપતિએ સૈયદુર રહેમાનનું રાજીનામું તરત અસરથી સ્વીકાર્યું. તેમ છતાં, તેમના રાજીનામાના પાછળના કારણને જાહેર કરવામાં આવ્યું નથી. રહેમાનના દાવો અનુસાર, તેમણે એક મહિના પહેલા રાજીનામું આપ્યું હતું, અને મંગળવારે તેને ઔપચારિક મંજૂરી મળી હતી. સૈયદુર રહેમાન કોણ છે? સૈયદુર રહેમાન બાંગ્લાદેશના વરિષ્ઠ ચિકિત્સક અને પ્રશાસક છે. તેઓ પહેલાં બંગબંધુ શેખ મુજીબ મેડિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી ચૂક્યા છે. નવેમ્બરમાં, તેમને આરોગ્ય મંત્રાલય માટે મુખ્ય સલાહકારના વિશેષ સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, તેમજ રાજ્યમંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજ્યની…
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ: NCP નું જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધન, અનેક નેતાઓએ આપ્યું રાજીનામું
બાંગ્લાદેશ: નવી બનેલી નેશનલ સિટિજન્સ પાર્ટી (NCP) આગામી સામાન્ય ચૂંટણી માટે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ગઠબંધનમાં શામેલ થઈ રહી છે. આ ગઠબંધનનું ઔપચારીક એલાન જમાત-એ-ઈસ્લામના અમીર શફીકુર રહેમાએ કર્યું છે, જેની માહિતી બાંગ્લાદેશી મીડિયામાં પ્રગટાવવામાં આવી છે. NCPની શરૂઆત આ વર્ષે કરવામાં આવી હતી અને આ પાર્ટી વિદ્યાર્થીઓના નેતૃત્વે શરૂ કરવામાં આવી હતી, જેમણે પહેલા શેખ હસીના સરકાર વિરુદ્ધ આંદોલનો ચલાવ્યો હતો. તેમ છતાં, ઈસ્લામિક પાર્ટી સાથે ગઠબંધનનો નિર્ણય કેટલાક મોટા નેતાઓને નારાજ કરી રહ્યો છે. ખાસ કરીને મહિલા નેતાઓએ આ નિર્ણયનો વિરોધ કરતાં રાજીનામા આપવાનું શરૂ કર્યું છે. પાર્ટી પ્રમુખ ડો. તસનીમ જારા હવે NCP છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. નવા ગઠબંધનના નિર્ણય બાદ કેન્દ્રિય સમિતિના ઘણા નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય કર્યો…
કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય
બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં રાજકીય હલચલ તેજ થઈ છે, પરંતુ આ વખતની ચર્ચા માત્ર તારિક રહેમાન સુધી સીમિત નથી. તેમની દીકરી જાઈમા જરનાજ રહેમાન પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. એરપોર્ટ પર ઉમટ્યો જનસાગર તારિક રહેમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા લંડનથી રવાના થયા હતા. ફ્લાઈટ સિલહટમાં સ્ટોપઓવર કર્યા બાદ ગુરુવારે બપોરે ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ. એરપોર્ટની બહાર ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લાખો BNP સમર્થકો પોતાના નેતાની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા. કેમ ચર્ચામાં છે જાઈમા રહેમાન? તારિક રહેમાન પોતાની પત્ની ડૉ.…
બાંગ્લાદેશમાં ક્રિસમસ પૂર્વે પેટ્રોલ બોમ્બ હુમલો, એક નિર્દોષ નાગરિકનું થયું મૃત્યુ
બાંગ્લાદેશમાં મોઘબાજાર વિસ્તારમાં બુધવારે સાંજે શરારતી તત્વોએ પેટ્રોલ બોમ્બ ફેંકી ભયાનક હુમલો કર્યો, જેમાં એક નિર્દોષ નાગરિક સૈફુલ સિયામનું મોત થયું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી પેદા કરી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો વાયરલેસ ગેટ નજીક ફ્રીડમ ફાઈટર્સ કાઉન્સિલના કાર્યાલય સામે થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બોમ્બ ફ્લાયઓવર પરથી ફેંકવામાં આવ્યું, જે સીધું સૈફુલના માથા પર પડ્યું. તેનું ઘટના સ્થળે જ મોત થયું. સુરક્ષા અને તપાસ ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશ્નર મસૂદ આલમે જણાવ્યું કે, હાલ હમલાખોરોની ઓળખ માટે આસપાસના CCTV ફૂટેજ અને પુરાવા તપાસી રહ્યા છે. મૃતક સૈફુલ મોઘબાજારમાં એક ઓટોમોબાઈલ એક્સેસરીઝની દુકાનમાં કામ કરતો હતો અને કોઈ સાથે શત્રુતા ન હતી. ક્રિસમસના તહેવાર પૂર્વે આ હુમલો આસપાસના બે મોટા ચર્ચોના નજીક થયો હોવાથી,…
બાંગ્લાદેશમાં 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026 ના રોજ, આવામી લીગ પર પ્રતિબંધ
બાંગ્લાદેશની 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. આ વખતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ લાગવાના કારણે તે ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. ચૂંટણીના દિવસે જ જનમત સંગ્રહ (referendum) પણ હાથ ધરવામાં આવશે. મતદાન સવારે 7:30 કલાકથી સાંજના 4:30 કલાક સુધી ચાલશે. આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે, કારણ કે એ જ દિવસે જનમત સંગ્રહ પણ થવાનો છે. ચૂંટણી શેડ્યૂલ 29 ડિસેમ્બર 2025: ઉમેદવારી પત્રો દાખલ કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર – 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની તપાસ 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની નિયુક્તિ 18 જાન્યુઆરી 2026: અપીલ પ્રક્રિયા 20 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચ ચિહ્ન ફાળવે 12 ફેબ્રુઆરી 2026: મતદાન અને…
બાંગ્લાદેશની શેખ હસીનાની પ્રત્યાર્પણ માગણી, ICTના ફાંસીના ચુકાદા બાદ રાજકીય તોફાન
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે ફાંસીની સજા સંભળાવ્યા બાદ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે હલચલ મચી છે. ચુકાદાના થોડા કલાકોમાં જ ડૉ. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને ઔપચારિક રીતે પ્રત્યાર્પણ માટે પત્ર મોકલીને બંને નેતાઓને “તાત્કાલિક સોંપી દેવા”ની માંગણી કરી છે. ભારતને બાંગ્લાદેશી સરકારનો પત્ર બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે “ICTએ માનવતા વિરુદ્ધના અપરાધોમાં દોષિત ઠેરવાયેલા શેખ હસીના અને અસદુઝમાન ખાન કમાલને ફાંસીની સજા સંભળાવી છે. જો કોઈ દેશ આવા ફરાર આરોપીઓને આશરો આપે છે, તો તે ન્યાયની અવગણના અને દ્વિપક્ષીય મિત્રતાની ભાવનાના વિરુદ્ધ ગણાશે.” પત્રમાં 2013ની દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધીનો ઉલ્લેખ કરતા બાંગ્લાદેશે કહ્યું કે, તે…














