કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય

બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં રાજકીય હલચલ તેજ થઈ છે, પરંતુ આ વખતની ચર્ચા માત્ર તારિક રહેમાન સુધી સીમિત નથી. તેમની દીકરી જાઈમા જરનાજ રહેમાન પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.

એરપોર્ટ પર ઉમટ્યો જનસાગર
તારિક રહેમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા લંડનથી રવાના થયા હતા. ફ્લાઈટ સિલહટમાં સ્ટોપઓવર કર્યા બાદ ગુરુવારે બપોરે ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ. એરપોર્ટની બહાર ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લાખો BNP સમર્થકો પોતાના નેતાની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા.

કેમ ચર્ચામાં છે જાઈમા રહેમાન?
તારિક રહેમાન પોતાની પત્ની ડૉ. જુબેદા રહેમાન અને દીકરી જાઈમા જરનાજ રહેમાન સાથે ઢાકા પહોંચ્યા હતા. એરપોર્ટ પર પરિવારની સાથે લેવાયેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સિલહટમાં લેન્ડિંગ બાદ જાઈમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું – “આખરે સિલહટમાં, બાંગ્લાદેશની ધરતી પર.” ત્યારબાદ તેમની વધુ એક પોસ્ટે ચર્ચાને વધુ વેગ આપ્યો.

સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ
જાઈમાની પોસ્ટ પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો બાંગ્લાદેશની રાજનીતિમાં નવી પેઢીના આગમનની વાત કરી રહ્યા છે, તો કેટલાકનું માનવું છે કે જાઈમા ટૂંક સમયમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કરી શકે છે.

જાઈમા રહેમાન વિશે જાણકારી
લગભગ 30 વર્ષની ઉંમરની જાઈમા રહેમાને લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ લિંકન ઈનથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી છે. તેઓ લંડનમાં પ્રેક્ટિસિંગ બેરિસ્ટર તરીકે કાર્યરત રહી ચૂકી છે. જાઈમા પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાન અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાની એકમાત્ર પ્રપૌત્રી છે. અત્યાર સુધી તેઓ ઔપચારિક રાજકારણથી દૂર રહી છે, પરંતુ તાજેતરમાં BNPની કેટલીક વર્ચ્યુઅલ બેઠકમાં તેમની હાજરીએ રાજકીય ચર્ચાઓને નવી દિશા આપી છે.

BNP માટે રાજકીય લાભ?
તારિક રહેમાનની વાપસી ફેબ્રુઆરી 2026માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા થઈ છે, જેને BNP માટે મોટો રાજકીય લાભ માનવામાં આવી રહ્યો છે. સમર્થકોનું માનવું છે કે જાઈમા રહેમાનની હાજરી પાર્ટીમાં નવી ઊર્જા ભરી શકે છે. જોકે, તારિક રહેમાન અગાઉ કહી ચૂક્યા છે કે તેમની પત્ની અને દીકરી રાજકારણમાં સક્રિય થશે કે નહીં, તે આવનારો સમય નક્કી કરશે.

તારિક રહેમાનની વાપસી અને જાઈમા રહેમાનની હાજરીને લઈ બાંગ્લાદેશની રાજનીતિમાં હવે નવી શક્યતાઓ અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચીનના હુમલાના ભય વચ્ચે તાઇવાનમાં એલર્ટ, રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ કારમાં બંકરમાં પહોંચ્યા

વિશ્વના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે હવે તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ચીન દ્વારા સંભવિત સૈન્ય કાર્યવાહીનો ખતરો જોતા તાઇવાને પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે. અચાનક સાયરન વાગતા જ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તે બુલેટપ્રૂફ વાહનમાં બેસીને સુરક્ષિત બંકરમાં પહોંચ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા તાઇવાનની ઇમરજન્સી તૈયારી અને યુદ્ધકાળીન પ્રોટોકોલનો એક ભાગ હતી. તાઇવાન છેલ્લા ઘણા સમયથી ચીનની સૈન્ય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે, જ્યારે તાઇવાન પોતાની અલગ રાજકીય વ્યવસ્થા અને લોકશાહી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં વધુ તણાવ જોવા મળ્યો છે. ચીનની સૈન્ય ગતિવિધિઓથી વધતી ચિંતા તાઇવાનની…

પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે PM મોદી અને નેતન્યાહૂ વચ્ચે ટેલિફોનિક વાતચીત, 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને બદલાતા વૈશ્વિક રાજદ્વારી સમીકરણો વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી છે. ગુરુવારે થયેલી આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો, સુરક્ષા સ્થિતિ અને ભવિષ્યના સહયોગ અંગે ચર્ચા કરી હતી. બંને દેશોના વડાપ્રધાનો વચ્ચે થયેલી આ વાતચીતને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હાલ પશ્ચિમ એશિયામાં અનેક પડકારો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સામે આવી રહ્યા છે. બંને નેતાઓએ વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો. ચાર મુખ્ય મુદ્દાઓ પર થઈ ચર્ચા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.…