વધી શકે છે શેખ હસીનાની મુશ્કેલીઓ, બાંગ્લાદેશે રેડ કોર્નર નોટિસ માટે કર્યો ઇન્ટરપોલનો સંપર્ક
બાંગ્લાદેશ સરકાર હવે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. હસીનાની મુશ્કેલીઓ વધુ વધવાની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલને 12 લોકો સામે રેડ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી છે અને નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ બાંગ્લાદેશ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાનું નામ પણ સામેલ છે. બાંગ્લાદેશ પોલીસે ઇન્ટરપોલનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેઓ હસીના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ અરજીઓ તપાસ દરમિયાન અથવા કોઈપણ ચાલુ કેસની કાર્યવાહીમાં ઉદ્ભવતા આરોપોના સંદર્ભમાં દાખલ કરવામાં આવે છે અને આ નોટિસનો ઉપયોગ ઇન્ટરપોલ દ્વારા વ્યક્તિની કામચલાઉ ધરપકડ માટે કરવામાં આવે છે જેથી ધરપકડ પછી…
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના નેતાની હત્યા, અપહરણ કરી માર્યો નિર્દયતાથી માર
બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું તેમના ઘરેથી અપહરણ કરીને હત્યા કરી હોવાનો આરોપ છે. ધ ડેઇલી સ્ટારે પોલીસ અને પરિવારના સભ્યોને ટાંકીને જણાવ્યું હતું કે, ઢાકાથી લગભગ 330 કિમી ઉત્તરપશ્ચિમમાં દિનાજપુરના બાસુદેવપુર ગામના રહેવાસી 58 વર્ષીય ભાવેશ ચંદ્ર રોયનું બાઇક પર સવાર લોકો દ્વારા તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને મૃત હાલતમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા. ભાવેશની પત્ની શાંતાનાએ ધ ડેઇલી સ્ટારને જણાવ્યું હતું કે તેમના પતિને સાંજે 4:30 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો અને તેમણે દાવો કર્યો હતો કે ગુનેગારોએ તેમના ઘરે હાજરીની પુષ્ટિ કરવા માટે ફોન કર્યો હતો. શાંતાનાએ આગળ કહ્યું, ‘લગભગ 30 મિનિટ પછી, ચાર માણસો બે મોટરસાઇકલ પર આવ્યા અને કથિત રીતે ભાવેશનું તેના ઘરેથી અપહરણ…
મુર્શિદાબાદ હિંસા પર બાંગ્લાદેશની ટિપ્પણી પર ભારતે વાંધો વ્યક્ત કર્યો, વિદેશ મંત્રાલયે કહ્યું – અસ્વીકાર્ય
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની વચગાળાની સરકારની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતીય વિદેશ મંત્રાલયે તેને અયોગ્ય ગણાવ્યું અને બાંગ્લાદેશને તેના દેશમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાની સલાહ આપી. વિદેશ મંત્રાલયે કહ્યું – “અયોગ્ય સરખામણી કરવાનો પ્રયાસ”:- વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને તે ભારતમાં લઘુમતીઓની સ્થિતિની તેમના દેશની પરિસ્થિતિ સાથે તુલના કરવાનો નિષ્ફળ પ્રયાસ છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ ગુના કરનારા લોકો ઘણીવાર કોઈ સજા વિના મુક્તપણે ફરે છે. ભારતની સલાહ – “તમારા લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરો”:- પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પર ટિપ્પણી કરવાને બદલે, બાંગ્લાદેશે તેના દેશમાં લઘુમતીઓની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે…
Bangladesh: 15 વર્ષ પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે થઇ વાત, કરી આ ખાસ માંગ
લગભગ 15 વર્ષ બાદ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વિદેશ સચિવ સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ઢાકામાં આયોજિત આ બેઠકમાં બાંગ્લાદેશે 1971ના યુદ્ધ દરમિયાન થયેલા અત્યાચાર બાબતે પાકિસ્તાન સામે સત્તાવાર માફીની માંગણી કરી. સાથે જ લગભગ 4.32 અબજ ડોલરનો નાણાકીય દાવો પણ રજૂ કર્યો. અતિતના પડછાયાઓ વચ્ચે નવી શરૂઆતની આશા બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, “1971માં પાકિસ્તાની સેનાએ જે માનવ અધિકાર ભંગ કર્યા હતા, તેનું ન્યાયપાત્ર નિવારણ ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન સત્તાવાર માફી માંગે.” વિદેશ સચિવ મોહમ્મદ જશીમ ઉદ્દીનના જણાવ્યા મુજબ, “અણઉકેલાયેલા ઐતિહાસિક મુદ્દાઓના સમાધાન વગર દ્વિપક્ષીય સંબંધોમાં સારૂં ભવિષ્ય બની શકે નહીં.” 4.32 અબજ ડોલરના દાવાનું વિસ્તૃત વિગતો બાંગ્લાદેશે જે નાણાકીય વળતર માંગ્યું છે, તેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે: 1971ના યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશમાં…
બાંગ્લાદેશી નાગરિકની કરાઈ ધરપકડ, ગેરકાયદેસર પાસપોર્ટ બનાવવાનો આરોપ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે એક બાંગ્લાદેશી નાગરિક આઝાદ મલિક ઉર્ફે અહેમદ હુસૈન આઝાદને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે તેણે બાંગ્લાદેશના નાગરિકો માટે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ બનાવ્યા હતા, જેને કારણે દેશની આંતરિક સુરક્ષાને મોટો ખતરો ઉભો થયો છે. શું છે સમગ્ર મામલો? ED અનુસાર, આઝાદ મલિક પૈસાના બદલામાં બાંગ્લાદેશી નાગરિકોને ભારતના નાગરિક તરીકે ઓળખાવતાં દસ્તાવેજો, જેમ કે પાસપોર્ટ, આધાર કાર્ડ વગેરે બનાવવામાં સામેલ હતો. મલિક સામે આગળની કાર્યવાહી માટે મંગળવારે કોલકાતાની PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 13 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. દરોડા દરમિયાન મળેલા પુરાવા – EDએ પશ્ચિમ બંગાળના સાત સ્થળોએ દરોડા પાડી હતા જેમાંથી મલિકની ધરપકડ થઈ. – દરોડા દરમિયાન…
શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને સત્તાના ભૂખ્યા” ગણાવ્યા અને તેમના પર દેશનો નાશ કરવા માટે વિદેશી દળો સાથે કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો. વર્ચ્યુઅલ સંબોધનમાં, શેખ હસીનાએ વિદ્યાર્થી નેતા અબુ સઈદની હત્યા પર શંકા વ્યક્ત કરી અને તેને સરકાર વિરોધી કાવતરાં સાથે જોડી દીધી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે જોડાયેલા પ્રતીકોને ભૂંસી નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુનુસને સીધી ચેતવણી આપતા કહ્યું, “જો તમે આગ સાથે રમશો, તો તે તમને પણ બાળી નાખશે.” તેમણે કહ્યું કે સ્વતંત્રતા સેનાનીઓની યાદો ભૂંસાઈ રહી છે, જિલ્લાઓમાં બનેલા સ્વતંત્રતા સેનાની સંકુલને બાળી નાખવામાં આવી…
શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના સભ્યોને નિશાન બનાવી રહ્યા છે તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. શેખ હસીનાએ સોશિયલ મીડિયા પર તેમના પક્ષના નેતાઓ અને તેમના પરિવારના સભ્યો સાથે વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. શેખ હસીનાએ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ પર પણ નિશાન સાધ્યું. હસીનાએ તેમને “એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા જે ક્યારેય લોકોને પ્રેમ કરતા નહોતા”. તેમણે કહ્યું કે યુનુસે ઊંચા વ્યાજ દરે ઉછીના લીધેલા પૈસાનો ઉપયોગ વિચિત્ર જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે કર્યો. હસીનાએ આગળ કહ્યું, “અમે ત્યારે તેમનો બેવડો સ્વભાવ સમજી શક્યા નહીં, અમે તેમને…
બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ નિમિતે PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહ્યું ભાગીદારીને વિકસાવવા પ્રતિબદ્ધ છીએ
ભારત-બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા પત્ર લખ્યો. તેમણે બંને દેશો વચ્ચે ભાગીદારીને આગળ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો પ્રધાનમંત્રીએ લખ્યું, “મહામહિમ, હું બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે તમને અને બાંગ્લાદેશના લોકોને મારી શુભકામનાઓ પાઠવું છું.” પીએમએ લખ્યું, “આ દિવસ આપણા સહિયારા ઇતિહાસ અને આપણી દ્વિપક્ષીય ભાગીદારીનો પાયો નાખનારા બલિદાનોની સાક્ષી તરીકે ઉભો છે. બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધની ભાવના આપણા સંબંધોને માર્ગદર્શન આપી રહી છે, જે ઘણા ક્ષેત્રોમાં વિકસ્યા છે, જેનાથી આપણા લોકોને મૂર્ત લાભો થયા છે.” પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેની આપણી સામાન્ય આકાંક્ષાઓથી પ્રેરિત અને એકબીજાના હિતો અને ચિંતાઓ પ્રત્યે પરસ્પર સંવેદનશીલતા પર આધારિત આ ભાગીદારીને વધુ વિકસાવવા…
ઢાકાની રાજધાની બદલવાની માંગે જોર પકડ્યું, મૂળભૂત સુવિધાઓનો અભાવ મુખ્ય કારણ
બાંગ્લાદેશમાં રાજધાની ઢાકા બદલવાની માંગ જોર પકડી રહી છે. આનું મુખ્ય કારણ શહેરમાં મૂળભૂત સુવિધાઓનો ભારે અભાવ છે. ૩૦૬ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ શહેરમાં એક કરોડથી વધુ લોકો રહે છે, જેમાંથી ૮૦ ટકાથી વધુ વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. ઢાકા નદીના કિનારે આવેલું છે, પરંતુ મોટી સંખ્યામાં લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. બિનઆયોજિત શહેરીકરણે પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી છે. કેટલાક પસંદગીના વિસ્તારોને બાદ કરતાં, આખું શહેર આડેધડ વિકાસથી ઝઝૂમી રહ્યું છે. ધૂળ, તૂટેલા રસ્તા, અસ્તવ્યસ્ત ટ્રાફિક, નબળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મૂળભૂત સુવિધાઓના અભાવે અહીંના રહેવાસીઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ઢાકા હવે રહેવા યોગ્ય સ્થળ રહ્યું નથી!:- ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, હવે સ્થાનિક લોકો પણ આ શહેરને રહેવા માટે યોગ્ય માનતા…
બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટની તૈયારીના સંકેત, આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકત્ર થવા કર્યો આદેશ
શેખ હસીના સરકારના બળવા પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ રહી નથી. નવા સમાચાર એ છે કે બાંગ્લાદેશના આર્મી ચીફે પોતાના સૈનિકોને ઢાકામાં ભેગા થવાનો આદેશ આપ્યો છે. આ આદેશ શા માટે આપવામાં આવ્યો છે તે સ્પષ્ટ નથી, પરંતુ જો આપણે છેલ્લા કેટલાક અઠવાડિયાની ઘટનાઓ પર નજર કરીએ તો, આ આદેશ કોઈ મોટી ઘટનાનો સંકેત હોઈ શકે છે. આ પણ વાંચો :- ‘વાતચીત ચાલુ છે, આશા છે સમજુતી થશે’ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરીફની જાહેરાતને લઇ MEAની પ્રતિક્રિયા નોર્થ-ઈસ્ટ ન્યૂઝના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ સેનાએ દરેક બ્રિગેડના 100 સૈનિકોને ઢાકા પહોંચવાનો નિર્દેશ આપ્યો હતો. આ અહેવાલમાં, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સાવર સ્થિત 9મા ડિવિઝનના સૈનિકોએ પણ ઢાકા પહોંચવાનું શરૂ કરી દીધું છે. સેનાનો આ આદેશ આ બે…
















