બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, BCB એ ICCને લખ્યો પત્ર

ICC T20 વર્લ્ડ કપ 2026 ને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ તેના ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરીને ભારતમાં આયોજિત ટુર્નામેન્ટમાં પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજકીય સંબંધો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ અંગે BCB એ ICC ને પત્ર પણ લખ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડિરેક્ટર બોર્ડની એક કટોકટી બેઠક આજે બપોરે યોજાઈ હતી, જેમાં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 સંબંધિત તાજેતરના વિકાસ પર ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે છેલ્લા 24 કલાકના વિકાસને…

ખાલિદા ઝિયાનો ભારત સાથે કેવા રહ્યા સંબંધો? આ રીતે કરી હતી રાજકારણમાં એન્ટ્રી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને ઘણીવાર શેખ હસીના કરતાં વધુ ભારત વિરોધી બાંગ્લાદેશી નેતા માનવામાં આવતા હતા, પરંતુ તેમના ભારત સાથે ગાઢ સંબંધો હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મ 1945માં જલપાઇગુડીમાં થયો હતો, જે હવે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનો ભાગ છે. તે સમયે, તે દિનાજપુર જિલ્લાનો ભાગ હતો, અને ભારત એક હતું. ભાગલા પડ્યા ન હતા, અને બંગાળ એક થયું હતું. ભાગલા પછી જ રાજ્યનો ભારતીય ભાગ પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાવા લાગ્યો. દરમિયાન, પૂર્વ બંગાળ પાકિસ્તાનનો ભાગ બન્યું, અને પછી, 16 ડિસેમ્બર, 1971 ના રોજ સ્વતંત્રતા પછી, બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આમ, ખાલિદા ઝિયાએ ભારત, પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશના નાગરિક તરીકે પોતાનું જીવન જીવ્યું. તેઓ બાંગ્લાદેશમાં ટોચના…

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતાએ ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ખાલિદા ઝિયાના પક્ષ, બીએનપી, એ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, બીએનપીએ જણાવ્યું હતું કે ડોકટરોએ તેમને થોડા સમય પહેલા મૃત જાહેર કર્યા હતા. ખાલિદા ઝિયાએ સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બીએનપીની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, પૂર્વ વડા પ્રધાન ખાલિદાની તબિયત 29-30 ડિસેમ્બરની રાત્રે બગડી ગઈ હતી. તેમની તબિયત વધુ ખરાબ થતાં, તેમને સારવાર માટે વિદેશ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. કતારથી એક…

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરના દરવાજા બંધ હોવાને કારણે આશરે 8 લોકોએ વાડ કાપીને બહાર નીકળ્યા. ઘરના અંદર રહેલું તમામ સામાન તેમજ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા. પોલીસ અને તપાસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાની સાચી કારણો શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસે 5 શંકાસ્પદની ધરપકડ કરી છે. કેટલાક મીડિયારિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ રૂમમાં કપડા ભરીને આગ લગાવી હતી. આગ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને લાંબા સમય સુધી કાબુમાં લાવી શકાઈ નહોતું. ઘટના સ્થળે…

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ટોળાએ ઢોર માર મારીને મોત નિપજાવ્યું

બાંગ્લાદેશમાં અશાંતિ હજુ પણ યથાવત્ છે. વધુ એક હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ખંડણી સાથે સંબંધિત છે. આ મામલે પોલીસે મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવાર (24 ડિસેમ્બર) મોડી રાત્રે ગામલોકોના એક ટોળાએ ખંડણીના આરોપમાં એક હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા નિપજાવી. બુધવાર રાત્રે અંદાજિત 11 વાગ્યે ટોળાએ હુમલો કર્યો. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે. આ ઘટના દીપ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની મોબ લિંચિંગના થોડા દિવસ બાદ બની છે. મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા રી નાખી હતી અને ત્યારબાદ તેમના મૃતદેહને સળગાવી દીધો હતો. ડેલી સ્ટારના અનુસાર, પાંગ્શા…

આ ખેલાડીએ ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી, અચાનક કરી મોટી જાહેરાત

બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત લેવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે હાલમાં ત્રણેય ફોર્મેટમાં રમવા માંગે છે. તેણે ગયા વર્ષે ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ગયા વર્ષે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. શાકિબ અલ હસને બીયર્ડ બિફોર વિકેટ પોડકાસ્ટ પર કહ્યું, “મેં સત્તાવાર રીતે બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી નથી. આ પહેલી વાર છે જ્યારે હું તેનો ખુલાસો કરી રહ્યો છું. મારી યોજના બાંગ્લાદેશ પાછા જઈને ODI, ટેસ્ટ અને T20 ની સંપૂર્ણ સીરિઝ રમવાની છે, અને પછી નિવૃત્તિ લેવાની છે.” શાકિબે આગળ કહ્યું, “હું બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકું છું. તેથી તે T20, ODI અને ટેસ્ટ, અથવા ટેસ્ટ, ODI અને T20…

શેખ હસીનાની મુશ્કેલીમાં ફરી થયો વધારો, ઢાકા કોર્ટે જમીન કૌભાંડ કેસમાં…

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઢાકાની એક ખાસ કોર્ટે સોમવારે હસીના, તેમની બહેન શેખ રેહાના અને રેહાનાની પુત્રી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને પૂર્વાચલ ન્યૂ ટાઉન પ્રોજેક્ટમાં કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (RAJUK) દ્વારા પ્લોટ ફાળવણીમાં અનિયમિતતાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, હસીનાએ વડા પ્રધાન તરીકે સેવા આપતી વખતે રાજ્યના અધિકારનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે પ્લોટ મેળવ્યા હતા. ACC અનુસાર, હસીનાએ રાજુકના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને, ઢાકા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ (જમીન ફાળવણી) નિયમો, 1969નું ઉલ્લંઘન કરીને, પૂર્વાચલમાં સેક્ટર 27 ના ડિપ્લોમેટિક ઝોનમાં ગેરકાયદેસર રીતે છ પ્લોટ ફાળવ્યા હતા. આમાં હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોય, પુત્રી સાયમા વાઝેદ પુતુલ, બહેન રેહાના અને રેહાનાની પુત્રી ટ્યૂલિપ રિઝવાના મુજીબ સિદ્દીકનો…

બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

બાંગ્લાદેશની એક કોર્ટ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર પોતાનો ચુકાદો આપવા માટે તૈયાર છે. છેલ્લા બે દિવસથી દેશમાં તણાવ વધી રહ્યો છે, જેમાં આગચંપી અને કાચા બોમ્બ હુમલાની ઘટનાઓ બની રહી છે. આ હિંસક ઘટનાઓએ 2024 ના તોફાની વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનની યાદો તાજી કરી દીધી છે, જેમાં 500 થી વધુ લોકો માર્યા ગયા હતા. શેખ હસીનાની પાર્ટી, અવામી લીગે “ઢાકા લોકડાઉન”નું આહ્વાન કર્યું હોવાથી, બાંગ્લાદેશની રાજધાની ઢાકા ગુરુવારે કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ના કર્મચારીઓને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. ઢાકાના પ્રવેશ સ્થળોએ અસંખ્ય ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે, અને જાહેર વાહનોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ (ICT) ની આસપાસ પણ સુરક્ષા કડક કરવામાં આવી છે.…

લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત

લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી માટે લડી રહ્યા છે. દુઃખદ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું માહોલ સર્જી દીધું છે. બીજી તરફ, આ દુઃખની ક્ષણમાં વિશ્વભરના દેશોએ પણ શોક વ્યક્ત કર્યો છે. જાપાન, ઈરાન, આર્જેન્ટિના, બ્રિટન, માલદીવ અને બાંગ્લાદેશ સહિતના દેશોના રાજદૂતોએ ભારતીય લોકોને અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. જાપાનના રાજદૂત ઓનો કેઇચીએ જણાવ્યું કે, “દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી હું ખૂબ દુઃખી છું. પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે મારી ઊંડી સંવેદના છે અને ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.” ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર દુઃખ…

એશિયા કપ 2025 : બાંગ્લાદેશને હરાવી એશિયા કપ 2025માં ઈન્ડિયાનો ફાઇનલમાં પ્રવેશ, જાણો વિગત

એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમનું જશ્ન ચાલુ છે. સુપર 4 તબક્કામાં ટીમ ઈન્ડિયાએ આજે (24 સપ્ટેમ્બર, 2025) બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. બાંગ્લાદેશ સામે ભારતની આ સતત પાંચમી જીત છે, જે ટીમની મજબૂત સ્થિતિ દર્શાવે છે. ભારતની બેટિંગની વાત કરીએ તો… બાંગ્લાદેશના કેપ્ટન ઝાકિર અલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયામાં અભિષેક શર્મા અને શુભમન ગિલે મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે બંનેએ 77 રનનું જોડાણ બનાવ્યું. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી અને 37 બોલમાં 75 રન બનાવ્યા. શુભમન ગિલે 29 રન કર્યા. હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 38 રનનો યોગદાન આપ્યું. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને બે વિકેટ ઝડપી, જ્યારે તન્ઝીહ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન અને…