બાંગ્લાદેશમાં અશાંતિ બાદ ભારતીય સરહદ પર હાઈએલર્ટ, સ્માર્ટ ફેન્સિંગ લગાવી ઘૂસણખોરી અટકાવવાની તૈયારી

બાંગ્લાદેશમાં વધતી અશાંતિને પગલે ભારતીય સેનાએ સરહદ પર હાઈએલર્ટ જાહેર કર્યો છે. ભારતીય સેનાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો ભારતીય સરહદમાં પ્રવેશ ન કરી શકે તે માટે કડક પગલાં ભર્યા છે. સીમા સુરક્ષા દળ (BSF)એ સિલીગુડી કોરિડોર (ચિકન નેક) વિસ્તારમાં સુરક્ષા વધારે મજબૂત બનાવી છે અને 75 ટકા સરહદ વિસ્તારમાં નવી ડિઝાઇનની ફેન્સિંગ લગાવી છે. BSF અધિકારીઓએ જણાવ્યું કે નવી ફેન્સિંગ 12 ફૂટ ઊંચી છે અને તેને કાપવું મુશ્કેલ છે. આ ફેન્સિંગ ઘૂસણખોરી અને પશુઓની તસ્કરી જેવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો કરશે. ફેન્સિંગ ઉપરાંત, રિયલ-ટાઈમ લાઈવ ફીડ આપતા પેન-ટિલ્ટ-જૂમ (PTZ) કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જે ઘૂસણખોરી અંગે તરત જાણકારી આપશે. ડેટા અનુસાર, BSFએ 2025માં 8.5 કરોડ રૂપિયાના મૂલ્યના પશુ, સોનું, ચાંદી, વન્યજીવ ઉત્પાદન, હથિયારો, દારુગોળો અને અન્ય તસ્કરીના સામાન…

બાંગ્લાદેશમાં હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર, વાળ કાપી મૂક્યા; જાણો સમગ્ર મામલો

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે હિંસાના કેસો સતત વધી રહ્યા છે. તાજેતરમાં જ ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજના નદીપારા વિસ્તારમાં એક હિન્દુ વિધવા પર ક્રૂર બળાત્કાર થયો. આરોપીઓએ મહિલાને ઝાડ સાથે બાંધ્યું અને વાળ કાપી નાખ્યા, સાથે જ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીડિતાએ સ્થાનિક હેલ્પ માટે નજીકના લોકોને આ ઘટના જણાવી તેને સદર હોસ્પિટલમાં દાખલ કરાઈ. તેના બાદ મહિલા દ્વારા શાહીન અને તેના સાથી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક સ્રોતો મુજબ, પીડિતાએ આશરે અઢી વર્ષ પહેલાં શાહીન અને તેના ભાઈ પાસેથી જમીન અને ઘર ખરીદ્યું હતું. ત્યારથી શાહીન મહિલા પર નજર રાખતો હતો અને અનેક વખત તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ તેના પ્રસ્તાવનો ઇનકાર કર્યો તો શાહીન અને…

બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા, માત્ર ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના

બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના કોપાલિયા બજાર, વોર્ડ નં. 17 વિસ્તારમાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ પર અચાનક ગોળીબાર કર્યો. ગોળી લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. મૃતક કેશબપુર ઉપજિલ્લાના અરુઆ ગામનો રહેવાસી હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસ સૂત્રો મુજબ, બજારમાં રહેલા રાણા પ્રતાપ પર હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. ઘટના બાદના પગલાં ગોળીબાર બાદ બજાર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મણિરામપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે તૈયારીઓ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હિન્દુ સમુદાય પર હિંસાના વધતા કેસ આ ઘટના…

પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન સહિતના દેશોને અમેરિકામાં સહાય, ટ્રમ્પની યાદીમાં ભારત નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એવા દેશોની યાદી જાહેર કરી છે, જેમના નાગરિકોને અમેરિકા ખાતે સરકારી અને કલ્યાણકારી સહાય મળે છે. આ યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન અને નેપાળ જેવા દેશોનો સમાવેશ થાય છે, પરંતુ ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ટ્રમ્પે આ માહિતી તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. યાદીનું શીર્ષક હતું “મૂળ દેશ મુજબ ઇમિગ્રન્ટ કલ્યાણ પ્રાપ્તકર્તા દર”, જેમાં આશરે 120 દેશો અને પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડેટા દર્શાવે છે કે અમેરિકામાં રહેતા કયા દેશોના કેટલા ટકા ઇમિગ્રન્ટ પરિવારો સરકારી સહાય મેળવે છે. કયા દેશોને કેટલી સહાય? યાદી મુજબ, – બાંગ્લાદેશના 54.8 ટકા ઇમિગ્રન્ટ પરિવારોને સહાય મળે છે – યુક્રેનના 42.7 ટકા – પાકિસ્તાનના 40.2 ટકા – નેપાળના 34.8 ટકા –…

બાંગ્લાદેશે ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો કર્યો ઇનકાર, BCB એ ICCને લખ્યો પત્ર

ICC T20 વર્લ્ડ કપ 2026 ને લઈને એક મોટો વિવાદ ઉભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ તેના ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરીને ભારતમાં આયોજિત ટુર્નામેન્ટમાં પોતાની ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતા રાજકીય સંબંધો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ અંગે BCB એ ICC ને પત્ર પણ લખ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડિરેક્ટર બોર્ડની એક કટોકટી બેઠક આજે બપોરે યોજાઈ હતી, જેમાં ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 સંબંધિત તાજેતરના વિકાસ પર ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડે છેલ્લા 24 કલાકના વિકાસને…

ખાલિદા ઝિયાનો ભારત સાથે કેવા રહ્યા સંબંધો? આ રીતે કરી હતી રાજકારણમાં એન્ટ્રી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને ઘણીવાર શેખ હસીના કરતાં વધુ ભારત વિરોધી બાંગ્લાદેશી નેતા માનવામાં આવતા હતા, પરંતુ તેમના ભારત સાથે ગાઢ સંબંધો હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મ 1945માં જલપાઇગુડીમાં થયો હતો, જે હવે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનો ભાગ છે. તે સમયે, તે દિનાજપુર જિલ્લાનો ભાગ હતો, અને ભારત એક હતું. ભાગલા પડ્યા ન હતા, અને બંગાળ એક થયું હતું. ભાગલા પછી જ રાજ્યનો ભારતીય ભાગ પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાવા લાગ્યો. દરમિયાન, પૂર્વ બંગાળ પાકિસ્તાનનો ભાગ બન્યું, અને પછી, 16 ડિસેમ્બર, 1971 ના રોજ સ્વતંત્રતા પછી, બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આમ, ખાલિદા ઝિયાએ ભારત, પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશના નાગરિક તરીકે પોતાનું જીવન જીવ્યું. તેઓ બાંગ્લાદેશમાં ટોચના…

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતાએ ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ખાલિદા ઝિયાના પક્ષ, બીએનપી, એ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, બીએનપીએ જણાવ્યું હતું કે ડોકટરોએ તેમને થોડા સમય પહેલા મૃત જાહેર કર્યા હતા. ખાલિદા ઝિયાએ સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બીએનપીની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, પૂર્વ વડા પ્રધાન ખાલિદાની તબિયત 29-30 ડિસેમ્બરની રાત્રે બગડી ગઈ હતી. તેમની તબિયત વધુ ખરાબ થતાં, તેમને સારવાર માટે વિદેશ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. કતારથી એક…

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરના દરવાજા બંધ હોવાને કારણે આશરે 8 લોકોએ વાડ કાપીને બહાર નીકળ્યા. ઘરના અંદર રહેલું તમામ સામાન તેમજ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા. પોલીસ અને તપાસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાની સાચી કારણો શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસે 5 શંકાસ્પદની ધરપકડ કરી છે. કેટલાક મીડિયારિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ રૂમમાં કપડા ભરીને આગ લગાવી હતી. આગ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને લાંબા સમય સુધી કાબુમાં લાવી શકાઈ નહોતું. ઘટના સ્થળે…

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ટોળાએ ઢોર માર મારીને મોત નિપજાવ્યું

બાંગ્લાદેશમાં અશાંતિ હજુ પણ યથાવત્ છે. વધુ એક હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ખંડણી સાથે સંબંધિત છે. આ મામલે પોલીસે મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવાર (24 ડિસેમ્બર) મોડી રાત્રે ગામલોકોના એક ટોળાએ ખંડણીના આરોપમાં એક હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા નિપજાવી. બુધવાર રાત્રે અંદાજિત 11 વાગ્યે ટોળાએ હુમલો કર્યો. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે. આ ઘટના દીપ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની મોબ લિંચિંગના થોડા દિવસ બાદ બની છે. મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા રી નાખી હતી અને ત્યારબાદ તેમના મૃતદેહને સળગાવી દીધો હતો. ડેલી સ્ટારના અનુસાર, પાંગ્શા…

આ ખેલાડીએ ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી, અચાનક કરી મોટી જાહેરાત

બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત લેવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે હાલમાં ત્રણેય ફોર્મેટમાં રમવા માંગે છે. તેણે ગયા વર્ષે ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ગયા વર્ષે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. શાકિબ અલ હસને બીયર્ડ બિફોર વિકેટ પોડકાસ્ટ પર કહ્યું, “મેં સત્તાવાર રીતે બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી નથી. આ પહેલી વાર છે જ્યારે હું તેનો ખુલાસો કરી રહ્યો છું. મારી યોજના બાંગ્લાદેશ પાછા જઈને ODI, ટેસ્ટ અને T20 ની સંપૂર્ણ સીરિઝ રમવાની છે, અને પછી નિવૃત્તિ લેવાની છે.” શાકિબે આગળ કહ્યું, “હું બધા ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકું છું. તેથી તે T20, ODI અને ટેસ્ટ, અથવા ટેસ્ટ, ODI અને T20…