ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, જાણો છેલ્લા 5 વર્ષમાં કેટલી સહાય ચૂકવાઈ
વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના કૃષિ યાંત્રીકીકરણના વધતા વ્યાપ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીમાં શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટ્રેક્ટર એક અનિવાર્ય સાધન છે અને ગુજરાત સરકાર ખેડૂતોને આ દિશામાં મહત્તમ સહાય કરી રહી છે. કૃષિ મંત્રીએ ગૃહમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને વેગ આપવા માટે એજીઆર-50 (ટ્રેક્ટર સહાય યોજના)ની શરૂઆત વર્ષ 2011-12માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર રૂ. 55 કરોડની જોગવાઈથી શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરી ખેતીને આધુનિક બનાવવાનો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…
દિલ્હી ખાતે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) સમિતિની મહત્વની બેઠક યોજાઈ, આ મામલે થઈ ચર્ચા
રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં UCC ના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે. આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલ કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવામાં હતી. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે…
Ahmedabad : મેટ્રો મુસાફરોની સુવિધા અને સુરક્ષા અર્થે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો વિગત
અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે. મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, પેટા કલમ 12ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે. નવા જાહેરનામા અનુસાર, મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોની બિલ્ડિંગ, પ્લેટફોર્મ કે વાયરને…
વેરાવળ ખાતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થશે
ગાંધીનગર: ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીરાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી (એક્સેસ પાસ) મેળવવાનું સરળ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ પહેલ ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO) ને સશક્ત બનાવશે. ઉલ્લેખનીય…
CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં વિવિધ બોર્ડ-કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી: પ્રવક્તા મંત્રી જીતુવાઘાણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ 1,22,53,096 ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર…
ટેકાના ભાવે તુવેરની ખરીદી મામલે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત
વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1600 પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33…
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા. 21 અને 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા ભુજ ખાતે એક મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે. ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને…
શિક્ષણ જગત ફરી શર્મસાર | GUJARATI NEWS BULLETIN
શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરના શિક્ષણ જગતમાંથી લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી કે.એમ.દોશી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડતી કરી દિનેશ પ્રસોત્તમ ભુવા પર દસમાં ધોરણની વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ ઓફિસમાં બોલાવી હાથ પકડ્યો શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરિક મોનિટરિંગ નિષ્ફળ ? શિક્ષણ મંદિરમાં જ અસુરક્ષા જવાબદારી કોણ લેશે ? શું બાળકો શાળામાં સુરક્ષિત છે ખરા ? શાળા સંચાલકોની નૈતિક જવાબદારી ક્યાં ગઈ ? બાળક માટે ક્લાસરૂમ ભણતર કે ભય ? Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત! 7 વર્ષમાં કરશે આટલા લાખ કરોડનું રોકાણ
નવી દિલ્હીમાં આયોજિત AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં, કોર્પોરેટ જગતે એક એવી જાહેરાત કરી જેણે ટેકનોલોજી ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ઇન્ટેલિજન્સ આગામી સાત વર્ષમાં સંયુક્ત રીતે ₹10 લાખ કરોડનું રોકાણ કરશે. તેમનો દાવો છે કે આ રોકાણ ભારતને 21મી સદીની અગ્રણી AI શક્તિઓમાંની એક બનાવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે જેમ જિયોએ દેશને સસ્તા ઇન્ટરનેટથી જોડ્યો, તેમ હવે તે બુદ્ધિના યુગ સાથે જોડાયેલો હશે. તેમનો ધ્યેય દરેક નાગરિક, દરેક ઉદ્યોગ અને દરેક સરકારી સેવા માટે AI સુલભ બનાવવાનો છે, અને તે ખૂબ જ સસ્તું ભાવે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત બુદ્ધિ ભાડે રાખી શકે તેમ નથી. તેથી, કમ્પ્યુટિંગ અને AI સેવાઓના ખર્ચને ડેટા જેટલો જ સસ્તો બનાવવો એ…
ગુજરાતનું વિક્રમી બજેટ | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
ગુજરાતનું 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી કનુ દેસાઈનો પાંચમો સતત વિક્રમ રૂ. 4.08 લાખ કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર ઓલિમ્પિક રેડી અમદાવાદ, રમતગમત માટે વિશાળ જોગવાઈ વાજબી ભાવ દુકાન સંચાલકોના કમિશનમાં વધારો અન્ન પુરવઠા વિભાગ માટે 2856 કરોડની જોગવાઈ રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ માટે 2006 કરોડ પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડની જોગવાઈ 500 AC બસ સહિત નવી 2463 બસ મૂકવાની જાહેરાત બજેટમાં રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા બજેટમાં સરકારની જાહેરાત બજેટને ધી સંઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ આવકાર્યું મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7690 કરોડનું બજેટ 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની કરાઈ જાહેરાત…
















