ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, જાણો છેલ્લા 5 વર્ષમાં કેટલી સહાય ચૂકવાઈ

વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના કૃષિ યાંત્રીકીકરણના વધતા વ્યાપ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીમાં શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટ્રેક્ટર એક અનિવાર્ય સાધન છે અને ગુજરાત સરકાર ખેડૂતોને આ દિશામાં મહત્તમ સહાય કરી રહી છે. કૃષિ મંત્રીએ ગૃહમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને વેગ આપવા માટે એજીઆર-50 (ટ્રેક્ટર સહાય યોજના)ની શરૂઆત વર્ષ 2011-12માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર રૂ. 55 કરોડની જોગવાઈથી શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરી ખેતીને આધુનિક બનાવવાનો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજનાના વ્યાપમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ 2026-27 સુધીમાં આ યોજના માટે બજેટમાં રૂ. 800 કરોડ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સમગ્ર દેશમાં ટ્રેક્ટર ઘટક માટે આટલી મોટી રકમની જોગવાઈ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત ટ્રેક્ટરની ખરીદીમાં સહાયની મર્યાદા પણ વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે. વિગતવાર માહિતી આપતાં તેમણે કહ્યું કે, છેલ્લા 5 નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યના કુલ 2,01,605 ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટરની ખરીદી માટે કુલ રૂ. 1,191.94 કરોડની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. ગત પાંચ વર્ષમાં ટ્રેક્ટર માટે ખેડૂતોને આપવામાં આવેલી સહાયની વિગતો: – વર્ષ 2021-22 માં 30,568 ખેડૂતોને કુલ રૂ. 144 કરોડની સહાય – વર્ષ 2022-23માં 29933 ખેડૂતોને કુલ રૂ. 142.08 કરોડની સહાય – વર્ષ 2023-24માં 59,311 ખેડૂતોને કુલ રૂ. 282.34 કરોડની સહાય – વર્ષ 2024-25માં 49,227 ખેડૂતોને કુલ રૂ. 238.16 કરોડની સહાય – વર્ષ 2025-26માં (31-12-25 સુધીમાં) 32,566 ખેડૂતોને કુલ રૂ. 325.36 કરોડની સહાય ચૂકવવામાં આવી કૃષિ મંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા ખેત મજૂરોની અછતની સમસ્યા હલ થઈ છે અને રાજ્યનો ખેડૂત આધુનિક મશીનરીના ઉપયોગથી સમૃદ્ધ બનીને તેમની આવકમાં વૃદ્ધિ કરી રહ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

દિલ્હી ખાતે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) સમિતિની મહત્વની બેઠક યોજાઈ, આ મામલે થઈ ચર્ચા

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં UCC ના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે. આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલ કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવામાં હતી. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સામાજિક સમરસતા જળવાઈ રહે તે હેતુથી ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે તમામ સમુદાયોના હિતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અગાઉ મેળવવામાં આવેલા નાગરિકોના સૂચનો અને વિવિધ સામાજિક-ધાર્મિક સંગઠનો સાથેની ચર્ચાઓ બાદ તૈયાર કરવામાં આવેલા અંતિમ તારણો અંગે સમિતિના સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ બેઠકમાં સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત IAS અધિકારી સી. એલ. મીના, એડવોકેટ આર. સી. કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

Ahmedabad : મેટ્રો મુસાફરોની સુવિધા અને સુરક્ષા અર્થે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો વિગત

અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે. મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, પેટા કલમ 12ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે. નવા જાહેરનામા અનુસાર, મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોની બિલ્ડિંગ, પ્લેટફોર્મ કે વાયરને થતા નુકસાન અંગેના ગુનાઓ માટે સેક્ટર મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સેક્ટર-1 ની હદ જાણો જે અંતર્ગત સેક્ટર-1 ના હદ વિસ્તારમાં આવતા ઝોન-1, ઝોન-7, ઝોન-2 અને ઝોન-3 ના વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડીયા, ગુજરાત યુનિવર્સિટી, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ, વાડજ, એલિસબ્રિજ, સરખેજ, વાસણા, વેજલપુર, બોડકદેવ, આનંદનગર, પાલડી, સેટેલાઈટ, ચાંદખેડા, માધવપુરા, રાણીપ, સાબરમતી, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, કારંજ, શાહપુર, કાલુપુર, શહેર કોટડા, ગાયકવાડ હવેલી અને ખાડીયા વગેરે વિસ્તારોમાં બનતી ઘટનાઓ માટે પાલડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવાની રહેશે. આ વ્યવસ્થાથી મુસાફરોને અલગ-અલગ સ્થાનિક પોલીસ સ્ટેશનો વચ્ચે મુંઝવણ અનુભવવી પડશે નહીં. સેક્ટર-2 ની હદ જાણો તેવી જ રીતે, સેક્ટર-2 ના હદ વિસ્તારમાં આવતા ઝોન-4, ઝોન-5 અને ઝોન-6 હેઠળના પોલીસ સ્ટેશનો જેવા કે દરિયાપુર, શાહીબાગ, એરપોર્ટ, કૃષ્ણનગર, મેઘાણીનગર, નરોડા, સરદાર નગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ, રામોલ, ઇસનપુર, મણીનગર, વટવા, વટવા જીઆઇડીસી, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ વગેરે વિસ્તારોમાં મેટ્રો ટ્રેન કે મિલકતને લગતા ગુનાઓ માટે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે. જોકે, આ જાહેરનામામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેટ્રો ટ્રેનની અંદર કે સંપત્તિ સિવાયની અન્ય કોઈ પણ બાબતો જેવી કે પ્લેટફોર્મ ઉપર થતી મારામારીના બનાવો વગેરે માટે જે-તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશને જ કાર્યવાહી કરવાની રહેશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી જ અમલમાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

વેરાવળ ખાતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થશે

ગાંધીનગર: ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીરાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી (એક્સેસ પાસ) મેળવવાનું સરળ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ પહેલ ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO) ને સશક્ત બનાવશે. ઉલ્લેખનીય છે કે, એક્સેસ પાસ ભારતના EEZ માં માછીમારોને માછીમારી માટે કાયદેસર અને પારદર્શક રીતે પરવાનગી આપશે. તે તેમને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં ટુના જેવી ઉચ્ચ-મૂલ્યની પ્રજાતિઓને પકડવામાં મદદ કરશે તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણોનું યોગ્ય ટ્રેકિંગ અને પાલન પણ સુનિશ્ચિત કરશે. એક્સેસ પાસ પ્રદાન કરવાનો નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે? ભારત 11,099 કિમીનો દરિયાકિનારો ધરાવે છે અને 24 લાખ ચોરસ કિમીમાં EEZ ધરાવે છે. પુષ્કળ દરિયાઈ સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં મોટાભાગની માછીમારી પ્રવૃત્તિઓ 40-50 નોટિકલ માઇલ સુધી મર્યાદિત રહે છે. EEZ રૂલ્સ, 2025 માં માછીમારીના ટકાઉ ઉપયોગને 4 નવેમ્બર, 2025ના રોજ ટેરિટોરિયલ વોટર્સ, કોન્ટિનેન્ટલ શેલ્ફ, એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અને અન્ય મેરીટાઇમ ઝોન્સ એક્ટ, 1976 હેઠળ સૂચિત કરવામાં આવ્યા હતા. આ નિયમો એક મજબૂત કાનૂની અને સંસ્થાકીય માળખું બનાવે છે, જેમનો ઉદ્દેશ EEZ માં માછીમારી પ્રવૃત્તિઓને જવાબદાર અને ટકાઉ રીતે વિસ્તૃત કરવાનો છે. આ માળખું દેખરેખ, પાલન અને સલામતીમાં સુધારો કરશે, સાથે સાથે મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં આવકમાં વધારો કરશે. તે ભારતના સીફૂડ નિકાસને પણ મજબૂત બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે. નાણાકીય વર્ષ 2024-25 માં ₹62,408 કરોડની દેશની સીફૂડ નિકાસ સાથે ભારત વિશ્વના બીજા ક્રમનો સૌથી મોટો મત્સ્યઉદ્યોગ અને જળચરઉછેર ઉત્પાદક દેશ બન્યો હતો. ગુજરાતમાં વેરાવળ એક મુખ્ય ફિશરીઝ પ્રોસેસિંગ (મત્સ્યઉદ્યોગ પ્રક્રિયા) અને નિકાસ કેન્દ્ર છે અને તેના વ્યૂહાત્મક સ્થાનના કારણે તેને એક્સેસ પાસના લૉન્ચ માટે પસંદ કરવામાં આવ્યું છે. ભારત સરકારનો ઉદ્દેશ દેશભરમાં 34 મત્સ્યઉદ્યોગ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્લસ્ટરોનો વિકાસ કરવાનો છે, જેમાં વેરાવળ સીફૂડ નિકાસ, મૂલ્યવર્ધન અને પ્રોસેસિંગ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પહેલ સરકારના બ્લુ ઇકોનોમી વિઝન સાથે સુસંગત છે, જે સુનિશ્ચિત કરે છે કે ભારતના સીફૂડ નિકાસના લાભો સીધા માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયોને મળે, સાથે સાથે પ્રીમિયમ વૈશ્વિક બજારોમાં પણ પ્રવેશ સુનિશ્ચિત થાય. 1982 ના યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લૉ ઑફ ધ સી (UNCLOS) હેઠળ વ્યાખ્યાયિત કરાયેલ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) એ દેશના દરિયાકાંઠાથી 200 નોટિકલ માઇલ સુધી વિસ્તરેલું દરિયાઈ ક્ષેત્ર છે. આ ઝોનમાં, દેશને દરિયાઈ સંસાધનોનું અન્વેષણ, સંરક્ષણ અને ઉપયોગ કરવાના વિશિષ્ટ અધિકારો મળે છે – જેમાં માછીમારી, ઊર્જા ઉત્પાદન અને ખનિજ નિષ્કર્ષણનો સમાવેશ થાય છે. આશરે 24 લાખ ચોરસ કિમીમાં ફેલાયેલા EEZ સાથે ભારત વિશ્વના સૌથી મોટા દરિયાઈ ક્ષેત્રો ધરાવતા દેશો પૈકીનો એક છે. આ ક્ષેત્ર ટકાઉ માછીમારી વિકાસ, આજીવિકા ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા અને નિકાસ વૃદ્ધિ માટે અપાર તકો પ્રદાન કરે છે. વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ) માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થવાથી આ પ્રદેશ મત્સ્યઉદ્યોગ વિકાસ માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે, જે દરિયાઈ સંસાધન વૃદ્ધિ અને નિકાસમાં ગુજરાતનું નેતૃત્વ દર્શાવે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં વિવિધ બોર્ડ-કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી: પ્રવક્તા મંત્રી જીતુવાઘાણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23  દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ 1,22,53,096 ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર આગામી સમયમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ કાર્યરત થશે, જેનો સીધો લાભ સ્થાનિક જનતાને મળશે. સૌથી વધુ ગુજરાત પાવર કોર્પોરેશનને બનાસકાંઠાના રાધાનેસડા ખાતે અંદાજે 1,20,60,000 ચો.મી. જેટલી વિશાળ જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત પાણી પુરવઠા બોર્ડને વિવિધ 14 સ્થળોએ આશરે 1,36,291 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. જ્યારે, જેટકો (JETCO)ને રાજ્યમાં વીજ માળખું મજબૂત કરવા માટે કુલ 7 સ્થળોએ અંદાજે 31,010 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત મેરીટાઇમ બોર્ડને પણ મહુવાના કતપર ખાતે બંદર વિકાસ માટે 25,795ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. મંત્રીના જણાવ્યા પ્રમાણે પાણી પુરવઠા બોર્ડને તાપી, મોરબી, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, કચ્છ, વલસાડ, અમદાવાદ, રાજકોટ અને બોટાદમાં જ્યારે, જેટકોને ગીર સોમનાથ, છોટા ઉદેપુર, પોરબંદર, વલસાડ, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લામાં જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ જમીન ફાળવણીથી રાજ્યમાં પીવાના પાણીની સુવિધા તેમજ વીજ પુરવઠાની ક્ષમતા વધશે. તદુપરાંત, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ ગુજરાત નવી ઊંચાઈઓ સર કરશે. આ નિર્ણય રાજ્યના પાયાના માળખાને વધુ મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in     

ટેકાના ભાવે તુવેરની ખરીદી મામલે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત

વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1600 પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને આશરે 130 ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. આ ખરીદ કેન્દ્રો ખાતેથી આગામી તા. 23 ફેબ્રુઆરીના રોજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોએ SMSથી ખરીદી માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને SMS મળ્યેથી ફાળવેલ ખરીદ કેંદ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહી આ યોજનાનો લાભ મેળવવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે. કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર દ્વારા તુવેર પાકની નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકારે તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા. 21 અને 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા ભુજ ખાતે એક મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે. ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સજ્જતા ચકાસશે. આ ઉપરાંત, દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના મનોબળને વધારવા માટે તેમની સાથે સીધો સંવાદ કરશે અને તેમના કલ્યાણ માટેની સુવિધાઓની સમીક્ષા કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

શિક્ષણ જગત ફરી શર્મસાર | GUJARATI NEWS BULLETIN

શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરના શિક્ષણ જગતમાંથી લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી કે.એમ.દોશી પ્રાથમિક શાળાના આચાર્યએ વિદ્યાર્થીની સાથે છેડતી કરી દિનેશ પ્રસોત્તમ ભુવા પર દસમાં ધોરણની વિદ્યાર્થીની સાથે અડપલાનો આક્ષેપ ઓફિસમાં બોલાવી હાથ પકડ્યો શારીરિક અડપલાં કર્યાનો આક્ષેપ શૈક્ષણિક સંસ્થાઓમાં આંતરિક મોનિટરિંગ નિષ્ફળ ? શિક્ષણ મંદિરમાં જ અસુરક્ષા જવાબદારી કોણ લેશે ? શું બાળકો શાળામાં સુરક્ષિત છે ખરા ? શાળા સંચાલકોની નૈતિક જવાબદારી ક્યાં ગઈ ? બાળક માટે ક્લાસરૂમ ભણતર કે ભય ?   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

AI સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત! 7 વર્ષમાં કરશે આટલા લાખ કરોડનું રોકાણ

નવી દિલ્હીમાં આયોજિત AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં, કોર્પોરેટ જગતે એક એવી જાહેરાત કરી જેણે ટેકનોલોજી ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી. મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ઇન્ટેલિજન્સ આગામી સાત વર્ષમાં સંયુક્ત રીતે ₹10 લાખ કરોડનું રોકાણ કરશે. તેમનો દાવો છે કે આ રોકાણ ભારતને 21મી સદીની અગ્રણી AI શક્તિઓમાંની એક બનાવશે. મુકેશ અંબાણીએ કહ્યું કે જેમ જિયોએ દેશને સસ્તા ઇન્ટરનેટથી જોડ્યો, તેમ હવે તે બુદ્ધિના યુગ સાથે જોડાયેલો હશે. તેમનો ધ્યેય દરેક નાગરિક, દરેક ઉદ્યોગ અને દરેક સરકારી સેવા માટે AI સુલભ બનાવવાનો છે, અને તે ખૂબ જ સસ્તું ભાવે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત બુદ્ધિ ભાડે રાખી શકે તેમ નથી. તેથી, કમ્પ્યુટિંગ અને AI સેવાઓના ખર્ચને ડેટા જેટલો જ સસ્તો બનાવવો એ પ્રાથમિકતા રહેશે. ગીગાવોટ-સ્કેલ ડેટા સેન્ટર્સ અને ગ્રીન પાવર અંબાણીએ જણાવ્યું હતું કે જામનગરમાં મલ્ટી-ગીગાવોટ એઆઈ-રેડી ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષના બીજા ભાગમાં ૧૨૦ મેગાવોટ ક્ષમતા ઓનલાઈન થશે, જેમાં ગીગાવોટ સ્તર સુધી વિસ્તરણ થશે. વધુમાં, કચ્છ અને આંધ્રપ્રદેશમાં એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પાવર આપવા માટે ૧૦ ગીગાવોટ સુધીની સૌર-આધારિત ગ્રીન પાવર ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવશે. એક રાષ્ટ્રીય એજ કમ્પ્યુટ નેટવર્ક પણ બનાવવામાં આવશે, જેનાથી દેશભરમાં એઆઈ સેવાઓ ઓછી વિલંબતા અને ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે. AI ભારતની ભાષામાં વાત કરશે અંબાણીએ કહ્યું કે AI ફક્ત મોટી કંપનીઓ માટે જ ઉપયોગી થશે નહીં, પરંતુ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નાના વ્યવસાયો માટે પણ મદદરૂપ થશે. Jio શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં AI નો ઉપયોગ કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, તેણે વિદ્યાર્થીઓ માટે એક AI શિક્ષક વિકસાવ્યો છે જે બહુવિધ ભાષાઓમાં શીખવે છે, એક માર્ગદર્શિકા જે સ્થાનિક ભાષાઓમાં આરોગ્ય સલાહ પૂરી પાડે છે, અને એક સિસ્ટમ જે ખેડૂતોને સેટેલાઇટ દ્વારા ખેતીની સરળ ટિપ્સ પૂરી પાડે છે. તેમણે કહ્યું કે AI ભારતીય ભાષા બોલશે, ભારતીય સંસ્કૃતિમાં ખીલશે અને ભારતીય ભૂમિમાં ખીલશે. ભારત AI સુપરપાવર કેમ બનશે? અંબાણીના મતે, ભારતની તાકાત તેની વસ્તી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઓછી ડેટા કિંમત અને ઝડપથી વિકસતી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં રહેલી છે. આધાર, યુપીઆઈ અને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરે મજબૂત પાયો નાખ્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો એઆઈનું લોકશાહીકરણ કરવામાં આવે અને તેને સસ્તું બનાવવામાં આવે, તો તે ગરીબી ઘટાડવા અને સમૃદ્ધિ વધારવા માટે એક મુખ્ય સાધન બની શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગુજરાતનું વિક્રમી બજેટ | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ગુજરાતનું 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી કનુ દેસાઈનો પાંચમો સતત વિક્રમ રૂ. 4.08 લાખ કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર ઓલિમ્પિક રેડી અમદાવાદ, રમતગમત માટે વિશાળ જોગવાઈ વાજબી ભાવ દુકાન સંચાલકોના કમિશનમાં વધારો અન્ન પુરવઠા વિભાગ માટે 2856 કરોડની જોગવાઈ રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ માટે 2006 કરોડ પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડની જોગવાઈ 500 AC બસ સહિત નવી 2463 બસ મૂકવાની જાહેરાત બજેટમાં રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા બજેટમાં સરકારની જાહેરાત બજેટને ધી સંઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ આવકાર્યું મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7690 કરોડનું બજેટ 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની કરાઈ જાહેરાત શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2902 કરોડ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in