બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારતીય સેના એલર્ટ, પૂર્વીય કમાન્ડરે સરહદની સમીક્ષા કરી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધતી હિંસા અને રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શેખ હસીના વિરોધી ચળવળના નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યા છે. ભારત વિરોધી નારા અને ભારતીય હાઇ કમિશન પર હુમલાના પ્રયાસ બાદ સુરક્ષા ચિંતા વધી છે. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.સી. તિવારીએ બાંગ્લાદેશને અડીને આવેલી સરહદોની મુલાકાત લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. સરહદ પર ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક લેફ્ટનન્ટ જનરલ તિવારીએ મિઝોરમના પરવા વિસ્તારમાં સ્થિત આસામ રાઇફલ્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના કંપની ઓપરેટિંગ બેઝની મુલાકાત લીધી. અહીં તેમણે સ્પીયર કોર્પ્સ હેઠળ કાર્યરત દળો સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ પરની હાલની…

મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો

મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની નજીક આવેલા સંવેદનશીલ વિસ્તારમાં થયો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે હુમલા બાદ સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા અને સ્થળની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નિયંત્રિત અને સાવધાનીપૂર્વક જવાબી કાર્યવાહી કરી હતી. હુમલા બાદ આસપાસના વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તંગનોપાલ જિલ્લો મ્યાનમારની નજીક હોવાને કારણે અહીં આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓની શક્યતા વધુ રહેતી હોય છે. હાલ સુધી હુમલાખોરોના જૂથની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સુરક્ષા એજન્સીઓ વિસ્તારની સ્થિતિ પર નજર રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital…