ખેડૂતો આનંદો! અરવલ્લીમાં શિયાળુ પાકને લઈ સિંચાઈ માટે પાણી છોડાયું

અરવલ્લીમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. વાત્રક જળાશયમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. જેમાં ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી છોડાયું અને ખેડૂતોને ફાયદો થશે તેવું ખેડૂતો જણાવી રહ્યાં છે. માલપુર અને બાયડના ખેડૂતોને ફાયદો થશે. સાથે સાથે હાલમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતો ઘઉં, ચણા, જીરું, વરિયાળીના પાકનું વાવેતર કરી રહ્યાં છે.ત્યારે જરૂરિયાત મુજબ પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.અરવલ્લીના ખેડૂતોની ઘણા સમયથી માગ હતી કે, શિયાળુ પાકને લઈ પાણી છોડવામાં આવે ત્યારે ખેડૂતોની આ માગ પૂર્ણ થઈ છે. ત્રીજા તબક્કાનું 130 ક્યુસેક પાણી કેનાલમાં છોડાયું છે જેમાં માલપુર અને બાયડ તાલુકાની 2500 હેક્ટર કરતા વધુ જમીનને ફાયદો થશે. ખેડૂતોના ઘઉં,ચણા, જીરું વરિયાળી અને દિવેલાના પાકમાં ફાયદો થશે. તો બીજી તરફ માલપુર અને બાયડ તાલુકાના 50 થી વધુ…