દિલ્હીની હવામાં ‘ધીમું ઝેર’: 19 ખતરનાક તત્વો શ્વાસ સાથે લોહીમાં ભળી રહ્યા, કેન્સર અને હૃદયરોગની ચિંતા

નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NLM) દ્વારા થયેલા અભ્યાસમાં દિલ્હીની હવાના ખરાબ પ્રદૂષણ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલ્લીની હવામાં માત્ર ધૂળ જ નહીં, પરંતુ ૧૯ એવા ઝેરી તત્વો હાજર છે, જે સીધા માનવ સ્વાસ્થ્ય પર અસર કરી રહ્યા છે. ખતરનાક તત્વો PM 2.5 કણોમાં એલ્યુમિનિયમ, સીસું, આર્સેનિક, ક્રોમિયમ અને નિકલ જેવા તત્વો ભળેલા છે. આ તત્વો એટલા સૂક્ષ્મ છે કે ફેફસાના ફિલ્ટરને પાર કરી લોહીમાં ભળી જાય છે, જેના કારણે ફેફસાનું કેન્સર, હૃદય અને કિડનીના ગંભીર રોગ થવાની સંભાવના વધી જાય છે. પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત અભ્યાસ મુજબ આ ઝેરી તત્વો મુખ્યત્વે નીચેના સ્ત્રોતો દ્વારા હવામાં ભળે છે: – રસ્તાની ધૂળ અને માટી – વાહનોનું ઉત્સર્જન – ઔદ્યોગિક પ્રવૃત્તિઓ – અશ્મિભૂત…

દિલ્હી-એનસીઆર ધુમ્મસમાં ઢંકાયું, હવાની ગુણવત્તા ગંભીર સ્તરે; AQI જાણો

દિલ્હી-એનસીઆરમાં આજે ભાદરભરી ધુમ્મસની જાડી પડછાયા અને હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. સવારથી જ દૃશ્યતા ખૂબ ઓછી રહી, અને લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ થયો. NCR પર પણ ગાઢ ધુમ્મસ છવાયેલો છે, જેના કારણે રસ્તા અને હવાઈ ટ્રાફિક પર અસર પડી રહી છે. AQIની હાલની સ્થિતિ: દિલ્હી માટે એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર બુધવારે સવારે રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 383 નોંધાયું, જે “ખૂબ જ ખરાબ” શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ની આગાહી પ્રમાણે, હવાની ગુણવત્તા આગળ પણ ગંભીર સ્તરે પહોંચી શકે છે, જે શ્વસન સંબંધી દર્દીઓને વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. વિભાગવાર AQI: અલીપુર: 327 આનંદ વિહાર: 452 અશોક વિહાર: 411 આયા નગર: 321 બવાના: 307…

દિલ્હી-NCRમાં ઠંડી અને પ્રદૂષણનો બમણો માર: AQI ચિંતાજનક, 30 ડિસેમ્બર સુધી શીત લહેર અને ધુમ્મસની ચેતવણી

દિલ્હી-NCR વિસ્તારમાં હાલની ઠંડી અને હવા પ્રદૂષણનો મિશ્રણ મોટા પાયે ગભરાવનું કારણ બની રહ્યું છે. હવામાન વિભાગે 30 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં શીત લહેર અને ધુમ્મસની ચેતવણી આપી છે. આ ક્ષેત્રોમાં ઠંડીના જોરદાર ઝટકા સાથે પ્રદૂષણના સ્તર પણ વધતા જવા માટે આ ચેતવણી આપવામાં આવી છે. દિલ્હીમાં 40 મોનિટરિંગ સ્ટેશનોમાંથી અડધા થી વધુ “ગંભીર” શ્રેણીમાં છે. CPCBના જણાવ્યા અનુસાર, 6 વાગ્યે દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 391 નોંધવામાં આવ્યો હતો, જે “ગંભીર” શ્રેણીમાં છે. આનંદ વિહારમાં 445, ITOમાં 403, વઝીરપુરમાં 433, રોહિણીમાં 424 અને પટપડગંજમાં 424 AQI નોંધાયા છે. NCRમાં પણ હવા ગુણવત્તા ખૂબ ખરાબ છે. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ અને વસુંધરામાં અનુક્રમે 394 અને 429 AQI નોંધાયું, જ્યારે નોઇડાના સેક્ટર 125 અને 1માં…

દિલ્હી સરકારનો મોટો નિર્ણય : PUCC નહીં તો ઇંધણ નહીં, DTC સંભાળશે બસ વ્યવસ્થા

વધતા પ્રદૂષણ સામે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં દિલ્હી મંત્રીમંડળે પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. આ પગલાંઓનો હેતુ દિલ્હીને સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત બનાવવાનો છે. કેબિનેટના નિર્ણયોની જાહેરાત કરતાં પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું કે હવે માન્ય PUCC (Pollution Under Control Certificate) વિના કોઈપણ વાહનને ઇંધણ આપવામાં આવશે નહીં. આ નિર્ણય વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો પર સીધી અસર કરશે અને પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલીમાં કાયમી સુધારો લાવશે. ₹100 કરોડથી દિલ્હીના જળસ્ત્રોતોનું પુનર્જીવન કેબિનેટે દિલ્હીના જળસ્ત્રોતોના પુનર્જીવન માટે ₹100 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં આશરે 1,000 જળસ્ત્રોતો છે, જેમાંથી લગભગ 160 જળસ્ત્રોતો દિલ્હી સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. અગાઉ ડીપીસીસી દ્વારા ₹19 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે…

દિલ્હી બની ‘ગેસ ચેમ્બર’: GRAP-4 ના કડક પ્રતિબંધ છતાં હવામાં ઝેર, શું સરકારના પ્રયાસો નિષ્ફળ?

દિલ્લી-NCRમાં હવામાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400 ને પાર કરી જતા સ્થાનિક પ્રશાસન દ્વારા GRAP-4 (Graded Response Action Plan)ના સૌથી કડક તબક્કા અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ છતાં, દિલ્હીની હવા ‘ઝેરી’ bani રહી છે અને સામાન્ય લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. GRAP-4 હેઠળ કરવામાં આવેલા પગલાં જૂના ડીઝલ અને પેટ્રોલ વાહનો પર પૂર્ણ પ્રતિબંધ. – ભારે ટ્રકો માટે દિલ્હીમાં પ્રવેશ પર મનાઈ; માત્ર જીવનજરૂરી સામાન લાવતા વાહનોને છૂટ. – સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સૂચના. – માન્ય PUC (Pollution Certificate) વગર પેટ્રોલ પંપ પર ઇંધણ પૂરૂ પાડવા પર રોક. સ્થિતિ સુધરી નથી? નિષ્ણાતો મુજબ, માર્ગ પરની ધૂળ, લેન્ડફિલ સાઈટ…

દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર: આનંદ વિહારમાં AQI 415, માત્ર BS-6 વાહનોને જ પ્રવેશની મંજૂરી

દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફરી એકવાર ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝેરી સ્મોગની ઘેરી ચાદર છવાઈ ગઈ છે. ખાસ કરીને પૂર્વ દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 415 નોંધાતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે કડક પગલાં જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર હવે દિલ્હીમાં માત્ર BS-6 શ્રેણીના વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે પીયુસી (Pollution Under Control) પ્રમાણપત્ર વગરના વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયને કારણે શહેરભરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના વાહનોના પીયુસી સર્ટિફિકેટ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ પેટ્રોલ…

દિલ્હી-એનસીઆરમાં શ્વસન કટોકટી: અનેક વિસ્તારોમાં AQI 500ની નજીક, GRAP-4 લાગુ

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ભયાનક સ્તરે પહોંચી ગઈ છે. ધીમી પવનની ગતિ, સ્થિર હવામાન અને પ્રદૂષકોના વિખેરાવના અભાવને કારણે રવિવારે રાજધાનીમાં આ વર્ષની સૌથી ખરાબ હવા ગુણવત્તા નોંધાઈ છે. ઘણા વિસ્તારોમાં AQI 500ની નજીક પહોંચી જતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે. સવારથી જ ઘુમ્મસ અને ઝાકળની જાડી ચાદર છવાઈ હતી, જેના કારણે દૃશ્યતા ઘટી ગઈ હતી. લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા અને આંખોમાં બળતરા તથા શ્વસન તકલીફની ફરિયાદો વધી છે. દિલ્હી માટેની એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ મુજબ, રવિવારે સવારે સરેરાશ AQI 462 નોંધાયો હતો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. દિલ્હીના વિસ્તારોમાં AQI સ્થિતિ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના સવારે 7 વાગ્યાના ડેટા મુજબ: ક્રમ વિસ્તાર AQI (સવારે 7 વાગ્યે) 1 અલીપુર 439 2…

ગુજરાતના શહેરોમાં હવા પ્રદૂષણ પર કડક પગલાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાની તત્કાલ અસર

શિયાળાની શરૂઆત સાથે જ ગુજરાતના મહાનગરોમાં હવા પ્રદૂષણ વધવાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર કડક એક્શન મોડમાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાને ધ્યાનમાં રાખી, શહેરી વિકાસ વિભાગ દ્વારા માત્ર ત્રણ જ દિવસમાં 17 મહાનગરપાલિકાની 2600થી વધુ બાંધકામ સાઈટોનું ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું. આ દરમિયાન 541 સાઈટોને દંડ કરી કુલ રૂ. 123 લાખથી વધુની વસૂલાત કરવામાં આવી છે. રાજ્ય પહેલેથી જ સાવચેત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે વિસ્તૃત એક્શન પ્લાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા સૂચના આપી કે હવા પ્રદૂષણના ભવિષ્યના ગંભીર અસરોને અટકાવવા માટે રાજ્યના તમામ વિભાગો સાથે સંકલિત પ્રયત્નો કરવાની જરૂર છે. શહેરી વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાઓ એક્શન મોડમાં મુખ્યમંત્રીની સૂચનાને અનુરૂપ, શહેરી વિકાસ…

ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટનો પ્રભાવ ભારત સુધી, દિલ્હી સહિત અનેક શહેરોમાં રાખના વાદળ

ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના શક્તિશાળી વિસ્ફોટનો પ્રભાવ હવે ભારતમાં પણ જોવા મળ્યો છે. હજારો કિલોમીટર દૂર થયેલા આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખનો વિશાળ વાદળ ઉત્તર ભારતનાં આકાશમાં પ્રવેશતા ચિંતા વધારાઈ છે. રાખનું આ વાદળ ફ્લાઇટ સલામતી માટે મોટો ખતરો બને એવી સ્થિતિમાં DGCAએ એરલાઇન્સને સતર્કતા સૂચનાઓ જારી કરી છે. ઈથોપિયાની રાખ સીધી ભારત સુધી સોમવારે રાત્રે 11 વાગ્યે ઈથોપિયાના 10,000 વર્ષ જૂના જ્વાળામુખી વિસ્ફોટની રાખ ભારતના હવામંડળમાં પ્રવેશી હતી. આ રાખનો વાદળ: – 130 કિમી પ્રતિ કલાકની ઝડપે લાલ સમુદ્ર પાર કરીને – સૌપ્રથમ જોધપુર અને જેસલમેરમાં દેખાયો – બાદમાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સુધી ફેલાઈ ગયો – વિજ્ઞાનીઓ અનુસાર રાખ 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ છે, એટલે જમીન સ્તરે લોકોના આરોગ્ય પર હાલ કોઈ મોટો ખતરો…

ઇન્ડિયા ગેટ પર પ્રદૂષણ વિરોધ પ્રદર્શન દરમિયાન પેપર સ્પ્રે હુમલો, 3–4 પોલીસકર્મીઓ ઘાયલ; FIR નોંધાઇ

દિલ્હીમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે રવિવારે સાંજે ઇન્ડિયા ગેટ પર નાગરિકો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં અચાનક તંગદિલી સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે 3 થી 4 પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા. વિરોધ દરમિયાન હિડમાના પોસ્ટરો મળ્યા પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનકારીઓ તાજેતરમાં માર્યા ગયેલા નક્સલી કમાન્ડર માધવી હિડમાના પોસ્ટરો લઈને આવ્યા હતા. પોસ્ટરો ક્યાંથી લાવવામાં આવ્યા અને તેમની પાછળ કોણ છે, તેની તપાસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ઇન્ડિયા ગેટ પર જ વિરોધ પ્રદર્શનકારીઓ દિલ્હીની ઝેરી હવા સામે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા હતા. પોલીસે સુપ્રીમ કોર્ટનો આદેશ દર્શાવીને જણાવ્યું કે દિલ્હીમાં કોઈપણ પ્રકારના વિરોધ માટે જંતર મંતર…