વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં અમદાવાદ સાયન્સ સિટીનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 121મા એપિસોડમાં ગુજરાતની શાન સમાન અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનએ દેશના યુવાનોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન પ્રત્યે વધી રહેલી રુચિની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આ બાબત ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. તેમણે છત્તીસગઢના દંતેવાડા જેવા વિસ્તારોમાં સ્થપાયેલા વિજ્ઞાન કેન્દ્રોની સકારાત્મક અસરની વાત કરી અને આ જ સંદર્ભમાં અમદાવાદ ખાતે આવેલ ગુજરાત સાયન્સ સિટીનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું, “હમણાં કેટલાક સમય પહેલાં મેં ગુજરાત સાયન્સ સિટીમાં પણ સાયન્સ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેલેરીઝમાંથી એ ઝલક મળે છે કે આધુનિક વિજ્ઞાનની ક્ષમતા શું છે, વિજ્ઞાન આપણા માટે કેટલું બધું કરી શકે છે. મને જાણકારી મળી છે કે આ ગેલેરીઝ અંગે…

Ahmedabad : સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાગી લાંબી લાઇન, બહાર પાડવું પડ્યું વેઇટિંગ લિસ્ટ

પંકજ મકવાણા, અમદાવાદ/ ‘સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે ના હોય ! આવું તો માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે, સરકારી સ્કૂલોમાં થોડું આવું હોય ! પણ આ વાત એટલી જ સત્ય છે કે, હવે સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા – 2 એ પૂરું પાડ્યું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં…

અમદાવાદ : નરોડા વિસ્તારમાં સર્જાયો અકસ્માત, બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડતાં 2 ઘાયલ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક રહેણાંક બિલ્ડિંગમાં શનિવારે સાંજના સમયે લિફ્ટ તૂટી પડવાની ઘટના ઘટી હતી. લિફ્ટ તૂટીને સીધા બેઝમેન્ટમાં પટકાતા આશરે 2 વ્યક્તિઓને સામાન્ય ઇજા થવા પામી છે, જ્યારે લિફ્ટમાં ફસાયેલા મહિલાઓ અને બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાએ રહીશો અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો છે. ઘટનાનો ક્રમ અને તાત્કાલિક રાહત કાર્ય પ્રાથમિક માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટમાં અનેક લોકો સવાર હતા. લિફ્ટ કામ કરતી વખતે અચાનક તેની કેબલ તૂટી ગઈ હોવાનું મનાય છે, જેના કારણે લિફ્ટ સીધી નીચે બેઝમેન્ટમાં પટકાઈ ગઈ. દુર્ઘટના સમયે અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતા. દરવાજા લોક થઇ જતા લોકોએ અવાજ કરી બચાવની અપીલ કરી હતી. બિલ્ડિંગના રહીશો અને સુરક્ષા કર્મચારીઓએ…

સંબંધોને લાંછન લગાવાનો કિસ્સો, અમદાવાદમાં કળયુગી પુત્રએ કરી પિતાની હત્યા

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં સબંધોને લાંછન લગાવાનો કિસ્સો બન્યો છે. પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહતમાં રહેતા એક યુવકનો પિતા સાથે ઝઘડો થયો હતો અને તેમણે પિતાને ફેંટો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક તેની માતા સાથે ઝઘડો કરતા હોઈ તેના મોટાપુત્રએ હત્યા કરી દીધી હોવાનુ બહાર આવ્યુ છે. આ અંગે માતાએ પુત્રની સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કરી ધરપકડ બાપુનગર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય…

Ahemdabad: હિટ એન્ડ રનમાં કૃષિ વિભાગની મહિલા અધિકારીનું મોત

શહેરમાં ફરી એકવાર બેફામ અને જવાબદારી વિહોણી ડ્રાઈવિંગના કારણે નિર્દોષનું જીવ ગયું. અમદાવાદના સોલા બ્રિજ પર મંગળવારે સાંજે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. અકસ્માત કેવી રીતે બન્યો? મળતી માહિતી અનુસાર, શગુફતા ખોખર ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ નિયામક તરીકે કાર્યરત હતાં. ઓફિસની ફરજ પૂરી કરીને તેઓ એક્ટિવા સ્કૂટર પર ગાંધીનગર ખાતે તેમના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સોલા બ્રિજ પાસે અજાણ્યા કારચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓના કારણે તુરંત તેમનું મૃત્યુ થયું. ચાલક ઘટના સ્થળ પરથી ફરાર અકસ્માત બાદ વાહનચાલક કાયદાને અવગણતો ફરાર થઇ ગયો. હાલ SG-1 ટ્રાફિક પોલીસે અજાણ્યા…

Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત

શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો દ્વારા ડ્રાઇવરનો પીછો કરીને હુમલો કરવામાં આવ્યો. આ દરમ્યાન કારચાલકનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાની વિગત: કારચાલક વાસણા તરફથી જુહાપુરા તરફ આવી રહ્યો હતો અને રસ્તામાં અન્ય વાહનોને અડફેટ લઇ આગળ વધતો રહ્યો. માર્ગ પર ઊભેલા બાઇક, રિક્ષા અને અન્ય વાહનોને નુકસાન પહોંચાડતા લોકો ભડકી ઉઠ્યા. ચાલક નશાની હાલતમાં હતો એવું શરુઆતી અહેવાલોમાં જણાઈ આવ્યું છે. પાછળથી સ્થાનિક વાહન ચાલકો અને રાહદારોએ તેને પકડી પાડી. ડ્રાઈવર પોતાને બચાવવા માટે જુહાપુરાની સંકડી ગલીઓમાં ઘૂસી ગયો, જ્યાં લોકોનો ગુસ્સો વધુ ઉગ્ર બન્યો. લોકોના હિંસક…

કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર, રાહુલ ગાંધીએ તૈયાર કરી આ રણનીતિ

વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની…

Congress Convention: ખડગે ઉઠાવ્યો EVMનો મુદ્દો, ભાજપ પર સાધ્યું નિશાન

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં કોંગ્રેસના સંમેલનમાં કહ્યું કે ભાજપે મહારાષ્ટ્રની ચૂંટણી છેતરપિંડી દ્વારા જીતી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં વિપક્ષને હરાવવા માટે છેતરપિંડી કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમણે ફરીથી EVM દ્વારા ચૂંટણી કરાવવા પર સવાલો ઉઠાવ્યા. ખડગેએ કહ્યું કે આખી દુનિયા EVM થી બેલેટ પેપર તરફ આગળ વધી રહી છે પરંતુ આપણે હજુ પણ EVM નો ઉપયોગ કરી રહ્યા છીએ. આ બધું છેતરપિંડી છે. આ બંધ થવું જોઈએ અને ભારતમાં પણ બેલેટ પેપર દ્વારા ચૂંટણીઓ યોજવાની જરૂર છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આખું વિશ્વ હવે મતદાન પર છે અને આપણે EVM દ્વારા ચૂંટણી કરાવી રહ્યા છીએ. એટલું જ નહીં, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આપણે આઝાદીની બીજી લડાઈ લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે…

Ahmedabad/ CWC ની બેઠકમાં ખડગેએ RSS પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બે દિવસીય બેઠકમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. પહેલા દિવસે, મંગળવારે, મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર આકરા પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય નાયકોની છબી અંગે એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. ખડગેએ બેઠકમાં કહ્યું કે સરદાર પટેલની વિચારધારા RSSના વિચારોથી વિપરીત છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આજે RSSના લોકો સરદાર પટેલના વારસા પર દાવો કરી રહ્યા છે, જે હાસ્યાસ્પદ છે. ખડગેએ કહ્યું, “સરદાર પટેલે RSS પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ આજે એ જ લોકો તેમના વારસા પર દાવો કરી રહ્યા છે. આ એક સુનિયોજિત કાવતરું છે.” મૂળભૂત મુદ્દાઓ…

ગુજરાતમાં કોંગ્રેસ CWC ની બેઠક શરૂ, જાણો શું છે રણનીતિ

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આજથી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) આજે બે દિવસીય સત્રના પહેલા દિવસે મળશે. CWC ની આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. કોંગ્રેસના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. કોંગ્રેસ આ નિર્ણય થોડા મહિનામાં છ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવા જઈ રહી છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું છે કે પ્રિયંકા ગાંધીને એક નિયુક્ત ભૂમિકા આપી શકાય છે. આ કારણે, તેમનો રાજકીય અનુભવ અને જનતા સાથેનું જોડાણ પાર્ટી માટે અસરકારક સાબિત થઈ શકે છે. કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચેલા શશી થરૂરે કહ્યું છે કે અમે દેશની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા માટેની રણનીતિ પર ચર્ચા કરીશું. શું કહ્યું કોંગ્રેસ…