દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 3,745 લોકોનું રેસ્ક્યૂ, 1,201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 3,745 લોકોનું રેસ્ક્યૂ, 9,929 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,201 રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 15 ડેમ હાઇ ઍલર્ટ પર છે. NDRF, SDRF અને આર્મીની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. ગુજરાતમાં ચોમાસાએ આ વર્ષે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. નવસારી, વલસાડ, સુરત અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે અનેક ગામો અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે માર્ગ, રેલવે અને જાહેર પરિવહન સેવાઓ પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી…
☔ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદનું જોર, હવામાન વિભાગની વધુ વરસાદની આગાહી.
હવામાન અપડેટ: ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, આગામી બે દિવસ પણ વરસાદી માહોલની આગાહી ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે જામ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન છૂટાછવાયા થી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત…
ચોમાસાની હરિયાળીમાં ખીલી ઊઠ્યું ગુજરાત, કુદરતના ખોળે ઉમટી રહ્યા છે પ્રવાસીઓ
સાપુતારા, ડાંગ અને અન્ય પર્વતીય વિસ્તારોમાં હરિયાળી છવાતાં પ્રવાસીઓ માટે આકર્ષણ વધ્યું છે ચોમાસાની મોસમ શરૂ થતાં જ ગુજરાતના પર્વતીય વિસ્તારો ફરી એકવાર લીલાછમ બની ગયા છે. ખાસ કરીને સાપુતારા, ડાંગ, પોળો ફોરેસ્ટ, ગિરિમાળાઓ અને અન્ય કુદરતી સ્થળોએ હરિયાળી છવાઈ જતાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વરસાદના ઝરમર ઝાપટાં, ધુમ્મસથી ઢંકાયેલા પહાડો અને વહેતા ઝરણાં કુદરતપ્રેમીઓને અનોખો અનુભવ કરાવી રહ્યા છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ચોમાસામાં વધુ રમણીય બની જાય છે. અહીં સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, લેક, રોપવે અને ગાર્ડન જેવા સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં ઠંડી હવા અને મનમોહક દૃશ્યો લોકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. ડાંગ જિલ્લાનાં જંગલો અને ધોધો પણ ચોમાસામાં જીવંત બની જાય…
વરસાદની ઠંડી હવામાં ગરમ મસાલા ચા અને કરકરા ભજીયાનો સ્વાદ – દરેક પળને બનાવે ખાસ!”
વરસાદી મોસમ શરૂ થતાં જ ગરમાગરમ મસાલા ચા અને કરકરા ભજીયાની યાદ સૌના મનમાં તાજી થઈ જાય છે. ઠંડા વાતાવરણમાં ચાની સુગંધ અને તાજા તળેલા ભજીયાનો સ્વાદ વરસાદની મજા અનેકગણી વધારી દે છે. તેથી જ ચા અને ભજીયાની આ જોડી વરસાદી દિવસોની સૌથી લોકપ્રિય વાનગીઓમાં ગણાય છે. ગુજરાતમાં ડુંગળીના ભજીયા, બટાકાના ભજીયા, મરચાના ભજીયા, મેથીના ગોટા અને પનીરના પકોડા જેવી વિવિધ વાનગીઓ ખાસ પસંદ કરવામાં આવે છે. તેની સાથે આદુ, એલચી, તજ અને લવિંગવાળી મસાલા ચા પીવાની મજા જ અલગ હોય છે. પરિવાર સાથે ઘરે હોય કે મિત્રો સાથે ચાની લારી પર, આ જોડી દરેકને આકર્ષે છે. વરસાદ પડતાં જ શહેરોની ચાની કીટલીઓ અને નાસ્તાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળે છે. અનેક લોકો વરસાદની મજા…
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈ કૃષિ વિભાગે પાક રક્ષણ માટે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો વિગત
ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. 01 જાન્યુઆરી-2026 સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા અગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે. માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાં: કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું જેથી પાક નુકશાનીથી બચી શકાય. -ખાતર…
રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ, હવામાન વિભાગે આપી ચેતવણી
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. હવામાન વિભાગે આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી માટે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર અને સાબરકાંઠા જિલ્લાઓનો સમાવેશ થાય છે. વાતાવરણમાં ભેજ અને નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા હવામાન વિભાગે આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગે લોકોને ચેતવણી આપી છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી.…
રાજસ્થાન: આગામી દિવસોમાં હવામાનમાં ફેરફારની સંભાવના, નવા પશ્ચિમી વિક્ષેપ સક્રિય
નવી હવામાન પ્રણાલીના પ્રભાવને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયપુર હવામાન કેન્દ્ર મુજબ, અરબના અખાતમાં બનેલ ડિપ્રેશન ધીમું પડી ગયેલું છે અને હવે તે ‘વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા’ (WMM)માં પરિવર્તિત થયું છે. પરિણામે, 1 અને 2 નવેમ્બરના રોજ ઉદયપુર અને કોટા વિભાગમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના મોટાભાગના અન્ય વિસ્તારોમાં હવામાન સુકું રહેશે. 3 નવેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. આ કારણે 3 અને 4 નવેમ્બરના રોજ જોધપુર, ઉદયપુર, અજમેર, જયપુર, ભરતપુર અને કોટા વિભાગના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને હવામાનમાં ઠંડી લાગવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે ખેડૂતો અને સામાન્ય જનતાને આ સમયગાળા દરમિયાન…
કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા- 2025નું આયોજન થઇ શકશે નહીં, જાણો વિગત
ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા- 2025 મોકૂફ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કિચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે. આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે, લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે, તેમજ અકસ્માત પણ થઈ શકે છે. આ સ્થિતિનું આજે મહંત ઇન્દ્રભારતી બાપુ, મહેશ ગીરીબાપુ સહિતના સાધુ સંતો, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ઉતારા- અન્નક્ષેત્રના ભાવેશભાઈ વેકરીયા સહિતના પ્રતિનિધિઓ , કલેકટર સહિતના…
ગિરનાર પરિક્રમા પર વરસાદનું વિઘ્ન : જંગલના રસ્તાઓનું ભારે ધોવાણ, રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર
જૂનાગઢ જિલ્લામાં યોજાતી પવિત્ર ગિરનાર પરિક્રમા પર આ વર્ષે અચાનક પડેલા ભારે વરસાદે મોટું વિઘ્ન ઊભું કર્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે પરિક્રમા રૂટના જંગલ વિસ્તારોમાં આવેલા માર્ગોનું ભારે ધોવાણ થયું છે, જેના કારણે હાલ પરિક્રમા માર્ગ અપ્રવેશ્ય બની ગયો છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને આ બાબતે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ પરિક્રમા રૂટ પર ચાલવા કે વાહન લઇ જવા યોગ્ય પરિસ્થિતિ નથી, કારણ કે માર્ગો પર અતિશય કીચડ અને પાણી ભરાયા છે. કલેક્ટરનો મહત્વપૂર્ણ નિર્ણય કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે,“યાત્રાળુઓની સુરક્ષા સર્વોપરી છે. હાલની પરિસ્થિતિ જોખમી હોવાથી પરિક્રમા રૂટ પર તાત્કાલિક પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જ્યાં સુધી માર્ગો ફરીથી સુરક્ષિત ન બને, ત્યાં સુધી કોઈને પણ…















