રાજયમાં કડકડાતી ઠંડીનો ચમકારો, અહીં જાણો તમારા શહેરમાં કેટલા ડિગ્રી છે તાપમાન

રાજયમાં કડકડાતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજયમાં હજી પણ ઠંડીનો ચમકારો રહેશે અને પવન ફૂંકાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે તેજ ગતિએ પવન ફૂંકાય છે અને રાજ્યમાં સૌથી ઓછી નલિયાનું લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે.આવતીકાલ સુધી રાજયમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેના કારણે ગુજરાતભરમાં ઠંડીનો માહોલ હશે અને પવનો પણ ફૂંકાશે.પવન 15 થી 20 કિમીની ઝડપે ફૂંકાઈ રહ્યો છે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. -> ક્યાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13.7 ડિગ્રી,અમરેલી 13.8 ડિગ્રી,કંડલામાં…

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધડપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

B india અમદાવાદ :- અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી ફરાર રહેનાર ખ્યાતિકાંડનો મૂખ્ય સૂત્રધાર અને ખ્યાતિ હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. આ સમય દરમિયાન ગત મોદી રાત્રે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે.મહત્વનું છે કે, કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. હેલ્થ, એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે કાર્તિક પટેલ સંકળાયેલો છે. છેલ્લા અનેક માસથી કાર્તિક પટેલ ફરાર હતો. ખ્યાતિકાંડની ઘટના સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો. ઓસ્ટ્રેલિયાથી દૂબઈ ભાગી ગયો હતો. પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન હોવાના કારણે કાર્તિક પટેલ ખ્યાતિકાંડ થયો. ત્યારે ઓસ્ટ્રેલિયમાં વેકેશન માણી રહ્યો હતો.આ સમગ્ર કાંડ થતા પોલીસે કાર્તિક…

ખેડૂતો માટે માઠા સમાચાર, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો

સરકારે ખેડૂતોનાં માથા પર મોટો બોજો ઝીંક્યો છે. ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. એનપીકે ખાતરની 50 કિલોની એક ગુણ પર ઈફ્કો દ્વારા સીધો 250 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આમ, 2025 ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. -> ઈફ્કોએ કર્યો ભાવ વધારો :- ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1470 રૂપિયામં મળી રહેતી હતી. તેને બદલે હવે તેઓને 250 રૂપિયા વધારે ચૂકવવા પડશે. ત્યારે 50 કિલોની બોરીનો ભાવ 1720 રૂપિયા કરી દેવાયો છે. -> ખેડૂતોમાં આક્રોશ…

સુરતના હીરા બજારમાં મંદીનો માહોલ વચ્ચે વધુ એક વેપારીનું ઉઠમણું, લેણદારોના નાણાં ફસાયા

B india સુરત : સુરતમાં હીરા ઉદ્યોગની મંદીનાં કારણે વધુ એક વેપારીએ ઉઠામણું થયું છે. જેના કારણે લેણદારોના નાણાં ફસાયા હતા. શહેરના મહિધરપુરાના હીરા વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. મહિધરપુરાના વેપારી ત્રણ વેપારીઓ પાસેથી હીરા લીધા બાદ રુપિયાની ચૂકવણી કર્યા વગર ગાયબ થઈ ગયો હતા. લાંબા સમય સુધી કોઈ સમાચાર ના મળતાં લેણદાર ત્રણ વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. હીરા બજારમાં ઉઠમણાંનો દોર યથાવત છે. મહીધરપુરાના હીરાના વેપારીએ 83.69 લાખમાં ઉઠામણું કર્યું. વેપારીએ હીરાના કારોબારને લઈને વરાછાના ત્રણ વેપારી પાસેથી હીરા લીધા હતા. જેના બાદ વરાછાના વેપારીઓ પાસેથી લીધેલ હીરાની કિમંતની ચૂકવણી કરવામાં પાછીપાની કરી હતી. વિશ્વાસે ચાલતા આ ઉદ્યોગમાં વેપારીએ વેપારી સાથે જ છેતરપિંડી કરી અને રૂપિયાની ચૂકવણી કર્યા…

સુરતમાં કોલસાનો કાળો કારોબાર, SMCએ દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતમાં કોલસાના કાળાં કારોબારનો પર્દાફાશ થયો છે. SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. કામરેજના ઉંભેળ ગામે SMCએ કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોર્ટ પરથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં ભેળસેળ અને હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરી વેચતા માફિયાઓ સામે SMCએ કાર્યવાહી હાથ ધરી છે. કામરેજના ઉંભેળ ગામે સ્ટેટ વિજિલન્સે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઉંભેળ ગામે નેશનલ હાઈને અડીને આવેલા ગોડાઉનમાં વેપલો ચાલતો હતો. જેમાં વિદેશથી આવતા ઇમ્પોર્ટએડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરીને વેચવામાં આવતો હતો. મળતી માહિતી મુજબ, પોર્ટ પરથી કોલસો ભરી નીકળી ટ્રકના ડ્રાયવર સાથે મેળા પીપણામાં વેપલો ચાલતો હતો. આખરે SMCએ કાળા કોલસાના કાળા કારોબાર સામે લાલાઆંખ કરી છે. વિઝીલનસે આશરે 7 લાખની કિંમતનો 98 ટન ઇમ્પોર્ટએડ કોલસો, 1.31 લાખની…

આ ચાર ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન એવોર્ડ, મનુ ભાકર, ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને કરાયા સન્માનિત

પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર મનુ ભાકર અને સૌથી નાની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયન બનનારા ડી ગુકેશ સહિત ચાર ભારતીય ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં ખેલાડીઓને પુરસ્કારો આપ્યા હતા. ઉપરાંત, પુરુષ હૉકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લીટ પ્રવીણ કુમારને એવોર્ડ આપવામાં આવ્યા હતા. મનુ ભાકરે 2024 પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા, જેમાંથી એક તેણીએ સિંગલ મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. બીજો મેડલ મિશ્ર 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જીત્યો હતો. જ્યારે ડી ગુકેશે સૌથી નાની ઉંમરના વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાનું ટાઇટલ જીત્યું હતું. ગુકેશે ચીની ગ્રાન્ડમાસ્ટર ડિંગ લિરેનને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. ગુકેશ માત્ર 18 વર્ષની…

સૈફ અલી ખાન હુમલો: સૈફ પર હુમલાના શંકાસ્પદને પોલીસે કસ્ટડીમાં લીધો, બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના શંકાસ્પદ આરોપીની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. શુક્રવારે સવારે શંકાસ્પદ વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા શંકાસ્પદનું નામ શાહિદ જણાવવામાં આવી રહ્યું છે. ઘટના પછી, શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા રેલ્વે સ્ટેશન પાસે ફરતો જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી લીધી છે. પોલીસે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે ધરપકડ કરાયેલ શાહિદે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો કે નહીં. તપાસ બાદ જ આ સ્પષ્ટ થશે. આરોપીઓને શોધવા માટે 35 પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, ગુરુવારે વહેલી સવારે એક આરોપીએ અભિનેતાના ઘરમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો.…

પ્રિયંકા ચોપરા કોઝી વિન્ટર લુક: અભિનેત્રી પ્રિયંકા ચોપરા કોઈ મહત્વપૂર્ણ કામ માટે ભારત કેમ આવી? આરામદાયક હૂડીમાં સુંદર લાગતી હતી

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ગુરુવારે હૈદરાબાદ પહોંચી હતી અને અહીં તેની આગામી ભારતીય ફિલ્મની જાહેરાત કરવા માટે આવી છે. ભારતમાં પગ મૂકતાની સાથે જ ચાહકો અને ભારતીય સિનેમામાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. એરપોર્ટ પર તેનો આરામદાયક અને ફેશનેબલ લુક પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. -> એરપોર્ટ પર પ્રિયંકા ચોપરાનો આરામદાયક દેખાવ :- પ્રિયંકા ચોપરાએ એરપોર્ટ પર ખૂબ જ આરામદાયક અને શિયાળા-પ્રૂફ પોશાક પહેર્યો હતો. તેણીએ સંપૂર્ણ ભૂરા રંગ પસંદ કર્યો, જે ઠંડા હવામાન માટે યોગ્ય લાગતો હતો. આ પોશાકમાં હૂડી સ્વેટશર્ટ હતું જેમાં ફુલ-સ્લીવ્સ, ડ્રોપ-શોલ્ડર ડિઝાઇન હતી.તમને જણાવી દઈએ કે, પ્રિયંકાએ આ સ્વેટશર્ટને મેચિંગ બ્રાઉન જોગર પેન્ટ સાથે જોડી હતી. આ પેન્ટના સાઇડ પોકેટ્સ તેને વધુ સુંદર બનાવતા હતા. તેમનો આરામદાયક અને કેઝ્યુઅલ સ્ટાઇલ…

સૈફ પર જીવલેણ હુમલો: ડોક્ટરોએ કહ્યું- જો છરી વધુ અંદર ગઈ હોત તો તેનું મૃત્યુ થઈ શક્યું હોત

મુંબઈમાં સૈફ અલી ખાન પર થયેલા હુમલાએ બધાને ચોંકાવી દીધા છે. એક અજાણ્યો હુમલાખોર સૈફના બાળકોના રૂમમાં ઘૂસી ગયો. હુમલાખોરે સૈફ પર છ વાર છરી વડે હુમલો કર્યો. છરીનો ટુકડો અભિનેતાના કરોડરજ્જુ પાસે અટવાઈ ગયો હતો. શુક્રવારે, લીલાવતી હોસ્પિટલના ડોકટરોએ સૈફ અલી ખાનની સર્જરી પછી આરોગ્ય બુલેટિન બહાર પાડ્યું. ડોક્ટરોએ કહ્યું કે છરીનો ટુકડો ફક્ત 2 મીમીના અંતરે અટકી ગયો. ડોક્ટરોનું કહેવું છે કે જો આ ટુકડો થોડો વધુ અંદર ગયો હોત તો કરોડરજ્જુમાં ઈજા થઈ શકી હોત. જો આવું થયું હોત, તો અભિનેતાનો જીવ બચાવવો મુશ્કેલ હોત. હાલમાં સૈફની હાલત સ્થિર છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ડોક્ટરોએ સૈફને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. ચેપથી બચાવવા માટે, મુલાકાતીઓ પર પ્રતિબંધ છે. સર્જરી…

તંદૂરી રોટલી: મહેમાનો માટે ઘરે હોટલ જેવી તંદૂરી રોટલી બનાવો, આ રીતે તે નરમ અને સ્વાદિષ્ટ બનશે

લોકો ઘણીવાર હોટલોમાં તંદૂરી રોટલી ખાતા જોવા મળે છે. તંદૂરી રોટલી તેના ઉત્તમ સ્વાદને કારણે ખૂબ જ લોકપ્રિય છે. હોટેલમાં રહીને તમે તંદૂરી રોટલીનો આનંદ માણ્યો હશે. હોટલના ભોજન જેવા સ્વાદિષ્ટ તંદૂરી રોટલીનો સ્વાદ ઘરે બનાવીને પણ માણી શકાય છે. જો તમે મહેમાનોને તંદૂરી રોટલી પીરસવા માંગતા હો, તો તમે તેને ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. તંદૂર વગર પણ ઘરે સ્વાદિષ્ટ તંદૂરી રોટલી બનાવી શકાય છે. તંદૂરી રોટલી બનાવવા માટે, ઘઉંના લોટ સાથે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પહેલી વાર તંદૂરી રોટલી બનાવવાના છો તો અમારી રેસીપી તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. તંદૂરી રોટી બનાવવા માટેની સામગ્રી ઘઉંનો લોટ: ૨ કપ દહીં: ૧/૪ કપ મીઠું: સ્વાદ મુજબ તેલ: ૨ ચમચી…