Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ
પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં ગેરકાયદે વસતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડીપરામાં ધારી પોલીસ દ્વારા ગઈકાલે તપાસ કરવામાં આવી હતી. જેમાં મદ્રેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેશન સામે આવ્યું છે. મૌલવીના મોબાઈલમાંથી પાક-અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા છે. ગઈકાલે ધારીના હિમખીમડી પરામાં ગઈકાલે કાલે ધારી પોલીસે તપાસ કરી હતી. જેમાં પોલીસને મૌલાનાની ગતિવિધિઑ પર શંકા ગઈ હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી અને મૌલાનાના ફોનમાંતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈને SOG એ મોબાઈલ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે મૌલાનાનો મોબાઈલ ફોન લઈ વધુ તપાસ માટે FSLમાં મોકલ્યો છે. મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો…
2 May, World Asthma Day: શા માટે ઉજવાય છે આજનો દિવસ, ચાલો જાણીએ આજના દિવસ વિષે
દર વર્ષે 2 મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ (World Asthma Day) ઉજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ, ડૉક્ટરો અને આરોગ્ય વિશેષજ્ઞો શ્વાસ સંબંધિત ગંભીર રોગ અસ્થમા વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. આ દિવસ શ્વાસની સમસ્યાઓના કારણે જીવનની ગુણવત્તા પર પડતા પ્રભાવ અને તેનાથી બચવાના માર્ગો અંગે સમજ આપવાનો ઉદ્દેશ ધરાવે છે. અસ્થમાની વૈશ્વિક સ્થિતિ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ, આજના સમયમાં વિશ્વભરમાં આશરે 30 કરોડ લોકો અસ્થમાથી પીડાતા છે. વર્ષ 2005માં અંદાજે 2,55,000 લોકોના મૃત્યુ અસ્થમા સામેની યોગ્ય સારવાર ન મળવાથી થયા હતા. અસ્થમાના કેસ ખાસ કરીને મધ્યમ અને નીચી આવક ધરાવતા દેશોમાં વધુ જોવા મળે છે, જ્યાં આરોગ્યસુવિધાઓ મર્યાદિત હોય છે. અસ્થમાના સામાન્ય લક્ષણો – સતત ઉધરસ (ખાસ કરીને રાત્રે)…
અંક જ્યોતિષ/02 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ :02 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પંચમી (પાંચમ) 09:17 AM નક્ષત્ર આર્દ્રા 01:05 PM કરણ : બાલવ 09:17 AM કૌલવ 09:17 AM પક્ષ શુક્લ યોગ ધૃતિ +03:19 AM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:40 AM ચંદ્રોદય 09:28 AM ચંદ્ર રાશિ મિથુન સૂર્યાસ્ત 06:56 PM ચંદ્રાસ્ત +00:11 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…
રાશિફળ/02 મે 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ સ્વાસ્થ્ય સારૂં રહેશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી-સિક્કા કરવાથી દૂર…
અજમેર હોટલમાં ભીષણ આગ મામલો, લાઠીના એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત
રાજસ્થાનના પવિત્ર શહેર અજમેરમાં ગુરુવારે એક હોટલમાં થયેલી ભીષણ આગમાં અમરેલી જિલ્લાના લાઠીના એક જ પરિવારના ત્રણ સભ્યોના દુઃખદ મોત થયા છે. આ ઘટના મામૂલી ન હતી. આગ એટલી વિકરાળ હતી કે હજારો લોકો હોટલ બહાર ભેગા થઈ ગયા અને બચાવ કામગીરી માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ લેવાઈ. શું બન્યું હતું? અજમેરના દિગ્ગી બજાર વિસ્તારમાં આવેલી નાઝ હોટલમાં રાત્રી દરમિયાન અચાનક આગ ફાટી નીકળી. પ્રાથમિક માહિતી મુજબ, આગનું મુખ્ય કારણ ACમાં બ્લાસ્ટ હોવાનું મનાય છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોએ જીવ બચાવવા માટે નીચે કૂદી પડવાનું પસંદ કર્યું. મૃતકોની ઓળખ આ દુઃખદ ઘટનામાં ગુજરાતના અમરેલી જિલ્લાના લાઠી શહેરના ત્રણ વ્યક્તિઓના જીવ ગયા છે. તેઓ અજમેર शरीફના દર્શનાર્થે ગયા હતા અને નાઝ હોટલમાં રોકાયા હતા. અલ્ફ્રેઝ…
મહિલા કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો હિતલક્ષી નિર્ણય, જાણો શું છે નિર્ણય
ગુજરાત સરકારે રાજ્યની મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને હિતલક્ષી નિર્ણય કર્યો છે. હવે સરકારી નોકરીમાં જોડાણ પૂર્વે માતા બનેલી મહિલાઓને પણ માતૃત્વ રજા (મેટરનિટી લીવ) મળશે. આ નિર્ણયથી હજારો વર્કિંગ વુમનને રાહત મળશે, જે નોકરી પહેલાં માતા બન્યા બાદ માતૃત્વના અધિકારથી વંચિત રહી હતી. શું છે નવો નિયમ? રાજ્ય નાણાં વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ, જો મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલા માતા બની હોય તો: બાળકના જન્મની તારીખથી 180 દિવસની અંદરનો સમયગાળો ગણવામાં આવશે. જો નોકરીમાં જોડાણ 180 દિવસ પછી થાય, તો જેટલા દિવસ બાકી રહે, એટલી મેટરનિટી લીવ માન્ય રહેશે. તે દરમિયાન અન્ય કોઈ ખાસ શરતો લાગુ નહીં પડે. આ નિર્ણય ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો અંતર્ગત લેવામાં આવ્યો છે…
RR vs MI: મુંબઈએ રાજસ્થાનને 100 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાંથી બહાર ગઈ રાજસ્થાનની ટીમ
IPL 2025ની રોમાંચક સિઝનમાં ગુરુવારે રમાયેલી RR vs MI વચ્ચેની ટકકરમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન સાથે રાજસ્થાન રોયલ્સને 100 રનથી હાર આપી. આ જીત સાથે ન માત્ર મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે, પણ રાજસ્થાન રોયલ્સને પ્લેઓફની રેસમાંથી પણ બહાર ફેંકી દીધી છે. મેચ દરમિયાન કર્ણ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટે રાજસ્થાનના બેટ્સમેનનો પતન લાવ્યું હતું. મેસીવ સ્કોર: મુંબઈએ 217 રનથી બતાવી તાકાત ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં માત્ર 2 વિકેટે 217 રનનો વિશાળ સ્કોર કર્યો. રાયન રિકેલ્ટન (61) અને રોહિત શર્મા (53) વચ્ચેcentury partnership થઈ. બાદમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ પણ 48-48 રનની તોફાની ઇનિંગ રમી. રાજસ્થાન તરફથી માત્ર મહેશ થીકશન અને રિયાન પરાગે એક-એક વિકેટ મેળવી. કર્ણ-બોલ્ટની…
પહેલગામ આતંકવાદી હુમલાને લઇ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ, પાકિસ્તાને ટ્રમ્પ પાસે માંગી મદદ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતકી આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં મોટા ભાગના ભોગ બનનાર પ્રવાસીઓ હતા. હુમલા બાદ સમગ્ર દેશમાં ચક્રાવાતી દોષારોપણ શરૂ થયો છે અને પાકિસ્તાનના આતંકવાદી સમર્થન વિરુદ્ધ ભારતે દૃઢ વલણ અપનાવ્યું છે. ભારતની સતત કડક કાર્યવાહીથી પાકિસ્તાનમાં ઘબરાહટ હુમલા બાદ ભારતીય સુરક્ષા દળોએ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં આતંકી ઠેકાણાઓ સામે તીવ્ર કાર્યવાહી શરૂ કરી છે. બીજી બાજુ, પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધી રહ્યું છે. ભારતે સ્પષ્ટ સૂચવ્યું છે કે આતંકવાદ સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગણી વિસ્તરતા તણાવના દ્રશ્યો વચ્ચે, અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સઈદ શેખે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓસરાવવા દખલ આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે,…
















