તિરુપતિમાં નાસભાગમાં થયેલા મોતનો મામલો, ગેટ ખોલનાર DSP સામે FIR
તિરુપતિના પ્રખ્યાત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાત્રે એક દુ:ખદ ભાગદોડ મચી ગઈ હતી જેમાં છ ભક્તોના મોત થયા હતા અને 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે સેંકડો ભક્તો ભગવાનના દર્શન માટે એકઠા થયા હતા અને ‘વૈકુંઠ દ્વાર દર્શનમ’ માટે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ખાસ પ્રસંગ 10 જાન્યુઆરીથી શરૂ થતા 10 દિવસના વૈકુંઠ દ્વાર દર્શનમનો હતો, જેના માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો તિરુપતિ પહોંચ્યા હતા. ભક્તોની ભીડ ટિકિટ મેળવવા માટે આગળ વધવા લાગી ત્યારે નાસભાગ મચી ગઈ. આ ઘટના તિરુમાલાના બૈરાગી પટ્ટેડા વિસ્તારમાં એમજીએમ સ્કૂલ પાસે થઇ હતી, જે મંદિરની નજીકનો વ્યસ્ત વિસ્તાર છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક બીમાર મહિલાને બહાર કાઢવા માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા…
ઉત્તરાયણમાં પવન અને ઠંડી હશે કે નહીં ? જાણો શું કહ્યું, હવામાન વિભાગે,…
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઉત્તર દિશા તરફથી ઠંડા-સૂકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે. હાલ ગુજરાતમાં પવનની દિશા બદલાઈને પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફની થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાનમાં એકથી લઈ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. જેના કારણે મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડી વર્તાઈ હતી. ત્યારે હવામાન વિભાગે ઉત્તરાયણમાં અને તે પહેલા ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે. -> કેવું રહેશે ગુજરાતનું હવામાન :- ગુજરાતમાં ઠંડી, માવઠું અને પવન અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ…
ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો, બુમરાહ પછી વધુ એક ખેલાડીને મેદાનથી દૂર રહેવું પડશે
ભારતીય ટીમને નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. જસપ્રીત બુમરાહ પછી, વધુ એક ભારતીય ઝડપી બોલરની ઈજાએ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે આકાશ દીપને લગભગ એક મહિના સુધી મેદાનથી દૂર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પાંચમી ટેસ્ટમાં અંતિમ સમયે બોલિંગથી દૂર થઈ ગયો હતો.ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર આકાશ દીપને એક મહિના માટે મેદાનથી દૂર રહેવું પડશે. આકાશ દીપ કમરના દુખાવાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. આકાશ દીપની ઈજા બંગાળ માટે પણ એક આંચકો છે,મિડિયમ ફાસ્ટ બોલર આકાશ દીપની ઈજા અંગે નવા અહેવાલો આવ્યા છે. ક્રિકબઝ અનુસાર, પીઠના દુખાવાના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર રહેલો આકાશ દીપ લગભગ એક મહિના સુધી કોઈ…
મહાકુંભમાં દરરોજ 1 લાખ શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ આપશે અદાણી ગ્રુપ, 2500 સ્વયંસેવકો તૈયાર કરશે રસોઇ
પ્રયાગરાજમાં મહા કુંભ મેળા 2025ની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને તે 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચે તેવી અપેક્ષા છે. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી જૂથ પણ આ ભવ્ય કાર્યક્રમમાં તેની સેવાઓ પ્રદાન કરવા માટે તૈયાર છે અને તેણે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ ચેતના (ઇસ્કોન) સાથે હાથ મિલાવ્યા છે. અહેવાલો અનુસાર, આ દ્વારા દરરોજ લગભગ 1 લાખ ભક્તોને મહાપ્રસાદની સેવા પૂરી પાડવામાં આવશે. -> 2500 સ્વયંસેવકો પ્રસાદ તૈયાર કરશે :- અદાણી ગ્રુપે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ મેળા-2025માં મહાપ્રસાદ સેવા આપવા માટે ઈસ્કોન સાથે હાથ મિલાવ્યા છે. આ સેવામાં દરરોજ અહીં આવતા લગભગ 1 લાખ શ્રદ્ધાળુઓને ભોજનરૂપી પ્રસાદ…
અરવલ્લીમાં નકલી ASIનો પર્દાફાશ, નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ
અરવલ્લીના બાયડના આંબલીયારાના યુવકનું કારસ્તાન સામે આવતા જ લોકો દંગ રહી ગયા હતા. આંબવીયારામાં નકલી આસીસ્ટન્ટ સબ ઈન્સપેકટર બની છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે. નિમેષ ચૌહાણ નામનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરી ASI તરીકે ઓળખાણ આપી હતી. નોકરીની લાલચ આપી યુવાનો પાસેથી રુપિયા પડાવ્યા હતા. -> નોકરીની લાલચ આપી કરી છેતરપિંડી :- યુવાનોનું ગાંધીનગરના તાલીમ ક્લાસમાં એડમિશન કરાવી પોલીસમાં નોકરીની લાલચ આપી હતી. પોતાના પિતા પણ ગુજરાત પોલીસમાં હોવાનો નકલી ASIએ દાવો કર્યો હતો. યુવાનોને ભરમાવીને પોતાના પિતા સાથે વાત કરાવતો હતો. -> નકલી ASIએ 13.50 લાખ પડાવ્યાનો આક્ષેપ :- આ નકલી ASI 6 અલગ – અલગ યુવાનો સાથે છેતરપિંડી કરી કુલ 13.50 લાખ પડાવ્યા હતા. બાયડ પોલીસે પુત્ર નિમેષ ચૌહાણ, પિતા અશોક ચૌહાણ સામે ગુનો…
જો ઇન્ડિયા ગઠબંધન માત્ર ચૂંટણી માટે હતું તો પછી તેને ખતમ કરી દેવું જોઇએઃ ઓમર અબ્દુલ્લા
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ ગઠબંધન નથી. બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડતા જોવા મળે છે, જ્યારે આ બંને પક્ષો લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો ભાગ હતા. હવે ઓમર અબ્દુલ્લાએ દિલ્હીમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો આ ગઠબંધન સંસદીય ચૂંટણી માટે હતું તો તેને ખતમ કરી દેવું જોઈએ. -> ઓમર અબ્દુલ્લાએ આ વાત કહી :- જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “દિલ્હીમાં શું ચાલી રહ્યું છે તે અંગે મારે કંઈ કહેવું નથી. અમારે દિલ્હીની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. જ્યાં સુધી મને યાદ…
ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારતની વસ્તીમાં મોટા ઘટાડાનું અનુમાન રજુ કર્યુ, નાઇઝીરીયા બનશે વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ
અબજોપતિ ઇલોન મસ્કે 2100 સુધીમાં ભારત અને ચીનની વસ્તીમાં અંદાજિત ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મસ્કના X હેન્ડલ પરથી ગ્રાફની તસવીર પોસ્ટ કરવામાં આવી છે, જે વિશ્વના મુખ્ય દેશોની વસ્તીમાં સંભવિત ફેરફાર દર્શાવે છે. મસ્કે તેને માનવતા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો છે. આ અનુમાન મુજબ, 2100 સુધીમાં, ભારતની વસ્તી ઘટીને 110 કરોડ થઇ જવાનું અનુમાન છે. આ અંદાજે રૂ. 40 કરોડનો ઘટાડો દર્શાવે છે.. હાલમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતની વસ્તીમાં આ ઘટાડો ચિંતાજનક હોઈ શકે છે.ચીનની વસ્તીમાં પણ ધરખમ ઘટાડો થવાનો અંદાજ છે. 2100 સુધીમાં, ચીનની વસ્તી ઘટીને 74 કરોડ થઇ જશે , આ વસ્તીમાં મોટો ઘટાડો સૂચવે છે, જે દેશના સામાજિક અને આર્થિક માળખાને અસર કરી શકે છે.…
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કીંગ જાહેર થયું, જાણો ભારતના પાસપોર્ટનો ક્રમાંક કયો ?
વર્ષ 2025ના પ્રથમ છ મહિના માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું છે. આ રેન્કિંગ પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સ પાસપોર્ટનું રેન્કિંગ તે આધાર પર તૈયાર કરે છે કે તે પાસપોર્ટ ધારક કેટલા દેશોની મુલાકાત કોઈપણ વિઝા વિના લઈ શકે છે.હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. સિંગાપોરનો પાસપોર્ટ ધરાવતા લોકો વિશ્વના 195 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે.સિંગાપોર પછી જાપાનનો પાસપોર્ટ બીજા ક્રમનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જાપાની પાસપોર્ટ તેના નાગરિકોને 193 દેશોમાં વિઝા ફ્રી મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જાપાન પછી, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને ફિનલેન્ડ સંયુક્ત રીતે આ રેન્કીંગમાં ત્રીજા સ્થાને છે. આ દેશોના પાસપોર્ટ 192…
બેબી જોન સ્ટાર વરુણ ધવન દીકરી અને પત્ની સાથે નવા ઘરમાં શિફ્ટ થયો? આટલા કરોડમાં આલીશાન બંગલો ખરીદ્યો
વરુણ ધવન અને તેની ફેશન ડિઝાઈનર પત્ની નતાશા દલાલે મુંબઈના જુહુ વિસ્તારમાં એક વૈભવી અને મોંઘી મિલકત ખરીદી છે. IndexTap દ્વારા પ્રાપ્ત માહિતી દર્શાવે છે કે વરુણ ધવનનું આ નવું લક્ઝરી એપાર્ટમેન્ટ જુહુ, મુંબઈમાં આવેલું છે. આ લક્ઝરી એપાર્ટમેન્ટ સાતમા માળે છે. MahaRERAના એક અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ 31 મે, 2025 સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ તેઓ તેમના નવા -> મકાનમાં શિફ્ટ થવા જઈ રહ્યા છે :- અભિનેતાના ઘરની કિંમત કેટલા કરોડ છે? ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વરુણ ધવન અને નતાશા દલાલના આલીશાન ઘરની કિંમત 44.52 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 5,112 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ઘરમાં 4 કાર પાર્કિંગ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે દંપતીએ ગયા વર્ષે 3 ડિસેમ્બરે તેમની મિલકતની નોંધણી પૂર્ણ…
સલમાન ખાને લગ્ન કેમ ન કર્યા? પિતાએ કહ્યું કે આ વિશેષતા શોધવાથી અભિનેતા નિરાશ થઈ જાય
સલમાન ખાન એક એવું નામ છે જે હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક ફિલ્મોને લઈને, ક્યારેક વિવાદોને લઈને અને ક્યારેક તેમની સુરક્ષા પણ મોટો મુદ્દો બની જાય છે. આ બધા સિવાય એક પ્રશ્ન જેનો જવાબ તેના ચાહકો અને પરિવારજનો શોધી રહ્યા છે તે છે લગ્ન. યુવાનીથી લઈને આજ સુધી ભાઈજાનના જીવનમાં ઘણી છોકરીઓ આવી અને તેને સાચો પ્રેમ થયો, પરંતુ વાત લગ્ન સુધી પહોંચી શકી નહીં. -> સલમાન ખાને લગ્ન કેમ ન કર્યા? :- સલમાન ખાન તેના પિતાને ખૂબ જ પ્રેમ કરે છે. તેમના પિતા ઘણીવાર તેમના પુત્રના જીવન સાથે જોડાયેલી વાતો શેર કરે છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સલીમ ખાન જણાવી રહ્યા છે કે સલમાનના લગ્ન આજ સુધી…
















