ભારતીય ક્રિકેટ ટીમને વધુ એક ઝટકો, બુમરાહ પછી વધુ એક ખેલાડીને મેદાનથી દૂર રહેવું પડશે

ભારતીય ટીમને નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે. જસપ્રીત બુમરાહ પછી, વધુ એક ભારતીય ઝડપી બોલરની ઈજાએ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે આકાશ દીપને લગભગ એક મહિના સુધી મેદાનથી દૂર રહેવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે પાંચમી ટેસ્ટમાં અંતિમ સમયે બોલિંગથી દૂર થઈ ગયો હતો.ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર આકાશ દીપને એક મહિના માટે મેદાનથી દૂર રહેવું પડશે. આકાશ દીપ કમરના દુખાવાના કારણે ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો. આકાશ દીપની ઈજા બંગાળ માટે પણ એક આંચકો છે,મિડિયમ ફાસ્ટ બોલર આકાશ દીપની ઈજા અંગે નવા અહેવાલો આવ્યા છે.

ક્રિકબઝ અનુસાર, પીઠના દુખાવાના કારણે સિડની ટેસ્ટમાંથી બહાર રહેલો આકાશ દીપ લગભગ એક મહિના સુધી કોઈ મેચ રમી શકશે નહીં. તેને સારવાર માટે બેંગલુરુમાં NCA (નેશનલ ક્રિકેટ એકેડેમી) જવું પડશે. NCA ખાતે BCCI મેડિકલ ટીમ તેમની ઈજા પર નજીકથી નજર રાખશે અને જરૂરી સારવાર પૂરી પાડશે.ભારતીય ટીમમાં બેટિંગ લાઈનઅપમાં ઘણાં બઘા ઓપ્શન છે પરંતુ બોલિંગ ડિપાર્ટમેન્ટ ચિંતા ઉભી કરી શકે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં યોજાયેલી ડોમેસ્ટ્રિક ક્રિકેટના રેકોર્ડના આધારે પણ કોઈ નવા ચહેરાને ટીમમાં સ્થાન મળી શકે છે.

નોંધનીય છે કે, આકાશ દીપે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નાની બેટિંગથી પણ લોકોના દિલ જીત્યા હતા.ભારતે 12 જાન્યુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ODI અને T20 સીરિઝ રમશે. ભારતીય ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હાલ ઘાયલ છે. મોહમ્મદ શમીની ફિટનેસ પણ પ્રશ્નાર્થમાં છે. આવી સ્થિતિમાં, પસંદગીકારો નવા ચહેરાઓ અજમાવી શકે છે.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *