રાજકોટમાં કાળઝાળ ગરમી જીવલેણ: મનપાના કર્મચારીનું લૂ લાગવાથી મોત
રાજકોટ શહેરમાં વધતી જતી ગરમી હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઉનાળાની કાળઝાળ તાપમાન વચ્ચે લોકોના આરોગ્ય પર સીધી અસર જોવા મળી રહી છે. આવી જ એક દુખદ ઘટનામાં મનપાના એક કર્મચારીનું લૂ લાગવાના કારણે મોત થયું છે. મળતી માહિતી મુજબ 54 વર્ષીય કલ્પેશભાઈ, જે મનપામાં ફરજ બજાવતા હતા, તેમને ભારે ગરમીના કારણે અચાનક તબિયત બગડી ગઈ હતી. લૂ લાગવાના પ્રભાવને કારણે તેમને ઝાડા-ઉલ્ટી શરૂ થઈ અને બાદમાં તેઓ બેભાન થઈ ગયા હતા. તાત્કાલિક તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તાપમાન સતત વધી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને બપોરના સમયે બહાર કામ કરતા લોકો માટે જોખમ…
1 મેે સુરતમાં ‘ગુજરાત ગૌરવ દિન’ની ભવ્ય ઉજવણી, મોટરસાયકલ સ્ટંટ બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરત શહેરમાં 1 મે, 2026ના રોજ ગુજરાત ગૌરવ દિન ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંતર્ગત વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજાશે. આ પરેડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી સહિત અનેક અગ્રણીઓ હાજરી આપશે. પરેડના મુખ્ય આકર્ષણોમાં માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શૉનો સમાવેશ થાય છે, જે લોકોને ખાસ આકર્ષિત કરશે. નાગરિકો મોટી સંખ્યામાં કાર્યક્રમ નિહાળી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાત્રે 8 વાગ્યે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં 250થી વધુ કલાકારો ભાગ લેશે. લાઈટ અને સાઉન્ડના આકર્ષક સંયોજન…
વિશ્વ ગુજરાતી સમાજના ‘વિશ્વમેળો’ના નવસંચાર વિશેષાંક તેમજ નવી અદ્યતન વેબસાઈટનું લોન્ચિંગ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વ ગુજરાતી સમાજના ‘વિશ્વમેળો’ના નવસંચાર વિશેષાંક તેમજ નવી અદ્યતન વેબસાઈટનું લોન્ચિંગ — મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓની વિવિધ સિદ્ધિઓને પ્રતિબિંબિત કરતી અવનવી વાંચનસામગ્રીથી ભરપૂર ‘વિશ્વમેળો’ નવસંચાર વિશેષાંક અને નવી વેબસાઈટનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે લોંન્ચિંગ કર્યુ હતું. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત ‘વિશ્વમેળો’ નવસંચાર વિશેષાંકમાં ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સંવર્ધન, વૈશ્વિક સ્તરે ગુજરાતીઓની સિદ્ધિઓ અને સમાજના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ નવસંચાર પામેલા સામયિકમાં હવે વાચકોને નૂતન વિચારો, નવી પહેલો, નવા વિભાગો અને અવનવી માહિતી જાણવા મળશે. તેમજ ગુજરાતી સંગઠનો અને વિવિધ સમાજોના સમાચારો જાણવા મળશે. એટલું જ નહીં, યુવા વર્ગ, મહિલા વર્ગ, વ્યાપારી વર્ગ અને જુદા જુદા ક્ષેત્ર માટે ઉપયોગી સામગ્રી ‘વિશ્વમેળો’ના અંકોમાં સમાવેશ…
આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ
આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ ** VGRC સુરત 2026: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન માટે નવા દ્વાર ખુલશે ** અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન ** ગાંધીનગર, 30 એપ્રિલ 2026: ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને…
ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ: પાટણમાં કમોસમી વરસાદ, રાજકોટમાં તાપમાન 43.6°C પાર
ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બુધવારે (29 એપ્રિલ, 2026) બપોર બાદ પાટણ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી થોડોક સમય માટે રાહત મળી હતી. પાટણમાં ભરઉનાળે ચોમાસા જેવી સ્થિતિ પાટણ જિલ્લામાં અચાનક વાતાવરણ બદલાતા જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભરઉનાળામાં પડેલા આ ઝાપટાંને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગરમીથી કંટાળેલા લોકોને આ અચાનક વરસાદે થોડી ઠંડકનો અનુભવ કરાવ્યો હતો. રાજકોટમાં ગરમીનો પારો 43.6°C બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી યથાવત રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં…
સાયખા GIDCમાં ભીષણ આગ: ટી-વેન્ચર કંપનીમાં ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આજે ફરી એકવાર ભયાનક આગની ઘટના સામે આવી છે. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ‘ટી-વેન્ચર’ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટાથી દહેશત આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. જેના કારણે આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકો સલામતી માટે બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડનો તાત્કાલિક રિસ્પોન્સ ઘટનાની જાણ થતાં જ સાયખા GIDC અને નજીકના વિસ્તારોમાંથી ફાયર ફાઈટર ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને સતત બચાવ કામગીરી ચાલી રહી છે. આગનું કારણ હજુ અકબંધ પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું…
લોકગાયક કિર્તીદાન ગઢવીને હાઇકોર્ટની નોટિસ: SP રાજદીપ ઝાલા સહિત અધિકારીઓ મુશ્કેલીમાં
ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ કાયદાકીય વિવાદમાં ફસાયા છે. ગુજરાત હાઇકોર્ટએ ગંભીર આક્ષેપોની સુનાવણી દરમિયાન કિર્તીદાન ગઢવી સહિત CID ક્રાઇમ સાયબર સેલના અધિકારીઓને નોટિસ ફટકારી છે. શું છે સમગ્ર મામલો? અમદાવાદના ઇવેન્ટ ઑર્ગેનાઇઝર જયેશ પરમારે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજી મુજબ, વર્ષ 2025ની નવરાત્રિ ઇવેન્ટ માટે તેમની અને કિર્તીદાન ગઢવી વચ્ચે ભાગીદારી હતી, પરંતુ બાદમાં નાણાકીય વિવાદ ઊભો થયો હતો. અરજદારનો આક્ષેપ છે કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ કોઈ વોરંટ અથવા નોટિસ વગર સાયબર સેલ ગાંધીનગરના અધિકારીઓએ તેમને અટકાયત કરી અને લાંબા સમય સુધી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખ્યા હતા. પોલીસ અત્યાચારના ગંભીર આક્ષેપ જયેશ પરમારનો દાવો છે કે કિર્તીદાન ગઢવીના કહેવાથી પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો હતો. આ દાવાને…
સુરતના ખેડૂતે લખી નવી કહાની: ‘ઘનજીવામૃત’થી જૈવિક ખાતરમાં આત્મનિર્ભર ભારત તરફ પગલું
સુરત: સમગ્ર રાજ્યમાં હાલ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર જઇ રહ્યો છે એવા સમયે સુરતનાં માંગરોળિયા ગામમાં કમલેશ પટેલનાં ખેતરમાં 20થી વધુ મજૂરો ખરિફ સીઝન પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ‘ઘનજીવામૃત’ બનાવવામાં વ્યસ્ત છે. સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં અંભેટી ગામનાં ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે. એટલુ જ નહીં, પણ દેશને રાસાયણિક ખાતરની આયાત ઘટે અને તેના મજબૂત વિકલ્પ તરીકે ઘનજીવમૃત લાખો ખેડૂતો સુંધી પહોંચે તે સંકલ્પ સાથે ઘનજીવામૃત મોટા પાયે તૈયાર કરે છે. કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને માસ્ટર ટ્રેઇનર તૈયાર કરવામાં આવે છે. કમલેશ પટેલ પણ માસ્ટર ટ્રેઇનર છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપે છે. રાજ્યમાં હાલ 8 લાખથી વધુ…
પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો દબદબો, ગુજરાતમાં કેસરીયો લહેરાયો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ એકતરફી જીત મેળવીને રાજ્યમાં પોતાની રાજકીય શક્તિ ફરી એકવાર સાબિત કરી છે. મહાનગરપાલિકા થી લઈને ગ્રામ્ય પંચાયતો સુધી ભાજપનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો છે, જ્યારે Indian National Congress (કોંગ્રેસ) નબળી પડી રહી હોવાનો સંકેત મળ્યો છે. મનપામાં ભાજપનો જંગી વિજય મહાનગરપાલિકાઓમાં ભાજપે ભવ્ય પ્રદર્શન કર્યું છે: – અમદાવાદમાં 192માંથી 160 બેઠકો ભાજપના ખાતામાં – સુરતમાં 115 બેઠકો પર જીત – વડોદરામાં 69 બેઠકો પર કબજો – રાજકોટમાં 65 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી પોરબંદર અને મોરબીમાં તો ભાજપે તમામ 52-52 બેઠકો જીતીને વિપક્ષને એકપણ તક આપી નથી. જામનગર અને ભાવનગરમાં પણ ભાજપની મજબૂત હાજરી નોંધાઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસરીયો પ્રભાવ શહેરો સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો યથાવત…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, PM મોદીની શુભેચ્છા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે. આ વિજય બાદ વડાપ્રધાન Narendra Modi એ ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે. “સુશાસન અને વિકાસની રાજનીતિનો વિજય વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં સંદેશ પાઠવીને આ જીતને “સુશાસન અને વિકાસની રાજનીતિનો વિજય” ગણાવ્યો. તેમણે મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મળેલા જનસમર્થન બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો. વિકાસ પર જનતાની મહોર PM મોદીએ જણાવ્યું કે રાજ્ય સરકારના સારા કામો અને પારદર્શક શાસનને કારણે જનતાએ ફરી એકવાર વિકાસના મુદ્દાને મત આપ્યો છે. તેમણે કહ્યું કે આ પરિણામો દર્શાવે છે કે લોકો પ્રગતિ અને સ્થિરતાને મહત્વ આપે છે. કાર્યકરોની મહેનતને આપ્યો શ્રેય વડાપ્રધાન મોદીએ જીતનો શ્રેય ભાજપના પાયાના કાર્યકરોને…
















