કચ્છના દરિયાકાંઠે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન મોટી કાર્યવાહી, ડ્રોનના કાટમાળ અને બિનવારસી મિસાઈલ મળી
કચ્છના વ્યૂહાત્મક દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે. સર્ચ ઓપરેશન દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએથી શંકાસ્પદ ડ્રોનના કાટમાળ (ડેબ્રિજ) મળી આવતા સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે. દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ ઘટનાને પગલે પશ્ચિમ કચ્છ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તેમજ બોટ પેટ્રોલિંગ વધુ તેજ કરવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. છછીના દરિયાકાંઠેથી મિસાઈલ મળી તપાસ દરમિયાન છછીના દરિયાકાંઠેથી એક બિનવારસી મિસાઈલ મળી આવતા સુરક્ષા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત ખિદરત ટાપુ નજીકથી સોલાર આધારિત AIS (Automatic Identification System) પણ જપ્ત કરવામાં આવી છે. AIS સિસ્ટમનો…
કાંકરિયા લેક ફ્રન્ટ હવે મુલાકાતીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર, સર્જાશે ભવ્ય ઈતિહાસ
અમદાવાદની શાન સમાન કાંકરિયા લેકફ્રન્ટ હવે મુલાકાતીઓ માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. એએમસી દ્વારા કાંકરિયા ખાતે અત્યાધુનિક ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ શરૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જે અમદાવાદના હેરિટેજ, સંસ્કૃતિ અને વિકાસની ગાથાને આધુનિક ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી રજૂ કરશે. એએમસીની આ પહેલથી અમદાવાદના નાગરિકો માટે રાતના સમયે હરવા-ફરવાનું વધુ એક આધુનિક અને આકર્ષક સ્થળ તૈયાર થશે. આ શો મુખ્યત્વે નગીનાવાડી ટાપુની આસપાસના આશરે 400 રનિંગ મીટર વિસ્તારમાં આયોજિત કરવામાં આવશે. – 360-ડિગ્રી વિઝિબિલિટી: શો એવી રીતે ડિઝાઈન કરવામાં આવશે કે તળાવની ચારે બાજુથી એટલે કે પ્રોમેનેડ, બોટિંગ ઝોન અને નગીનાવાડીના વોકવે પરથી પણ મુલાકાતીઓ તેને સ્પષ્ટ રીતે જોઈ શકશે. – અદ્યતન સાધનોનો ઉપયોગ: આ શોમાં શાર્પી લાઈટ્સ (Sharpy lights), બ્લાઈન્ડર લાઈટ્સ,…
વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ
વેકેશન ડેસ્ટિનેશન અમદાવાદ: મનોરંજન અને જ્ઞાનનો અદભૂત સંગમ આ વેકેશનમાં માણો અમદાવાદી મિજાજ: ‘સ્માર્ટ અમદાવાદ’નો નવો નજારો મનોરંજન, વિજ્ઞાન અને પરંપરા: અમદાવાદના પ્રવાસમાં બધું જ એકસાથે અમદાવાદ આજે જે ઊંચાઈ પર પહોંચ્યું છે, તેનો સંપૂર્ણ શ્રેય સરકારના મજબૂત વિઝન અને પ્રવાસન ક્ષેત્રે લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને જાય છે. માત્ર એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ‘ટૂરિસ્ટ હબ’ બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ેેઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ક્યાંક બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘હેરિટેજ સિટી’ તરીકે જાણીતું આ શહેર હવે…
મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ
આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.
“માત્ર દીકરીઓને નહીં, દીકરાઓને પણ સંસ્કાર આપો”: અનાર પટેલની સમાજને ટકોર
બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામ ખાતે આયોજિત સરદાર પટેલની પ્રતિમાનાં અનાવરણ કાર્યક્રમ દરમિયાન પાટીદાર અગ્રણી અનાર પટેલે સમાજમાં વધી રહેલા દારૂના દૂષણ અને પ્રેમલગ્નોના મુદ્દે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી હતી. સમાજને સંબોધતા અનાર પટેલે ખાસ કરીને યુવાનોમાં વધતી બેદરકારી અને પરિવારમાં સંસ્કારના અભાવ મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી. “માત્ર દીકરીઓને સમજાવવાથી નહીં ચાલે” અનાર પટેલે કહ્યું કે સમાજમાં માત્ર દીકરીઓને જ સલાહ અને નિયંત્રણ આપવાની માનસિકતા બદલવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે દીકરાઓને પણ જવાબદારી, સંસ્કાર અને વ્યવહાર શીખવવો એટલો જ જરૂરી છે. તેમણે કહ્યું, “જો આપણો છોકરો દારૂ પીતો હોય, રખડતો હોય અને કોઈ કામધંધો ન કરતો હોય તો દીકરીઓ બીજા સમાજમાં કેમ નહીં જાય?” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોમાં ચર્ચા શરૂ થઈ…
જ્યારે ‘સરકારી આશ્રય’ બન્યો ‘માતૃછાયા’: સખી વન સ્ટોપ સેન્ટરની કાર્યપદ્ધતિ પાછળની અજાણી સંવેદના
અમદાવાદ: કહેવાય છે કે “ગુજરાત સુરક્ષિત છે”, અને આ વાતની પ્રતીતિ ફરી એકવાર અમદાવાદના સોલા સ્થિત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ અને ‘181 મહિલા હેલ્પલાઈન’ ની ટીમે કરાવી છે. ઉત્તર પ્રદેશના અમેઠીથી ભટકીને અમદાવાદ આવી ચઢેલી એક માનસિક અસ્વસ્થ યુવતી માટે આ કેન્દ્ર સાચા અર્થમાં ‘રક્ષક’ સાબિત થયું છે. મધરાતે ભટકેલી યુવતી અને 181ની સતર્કતા ગત 30 માર્ચ, 2026ની એ રાત આયશા (નામ બદલેલું છે) માટે ભયાનક હતી. 18 વર્ષની આ યુવતી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ભટકી રહી હતી. તેની પાસે નહોતી કોઈ ઓળખ, નહોતા શબ્દો. 181 મહિલા હેલ્પલાઈનની ટીમે તેને સુરક્ષિત રીતે સોલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડી. શરૂઆતમાં આયશા એટલી ગભરાયેલી હતી કે તે મૌન રહીને માત્ર રડતી હતી. પ્રેમ અને સ્નેહથી જીત્યો વિશ્વાસ…
જામનગરમાં PM મોદીનું સંબોધન: હાલારી પાઘડીમાં દેખાયો લોકસંપર્કનો રંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન રવિવારે રાત્રે જામનગરમાં યોજાયેલી જનસભામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પરંપરાગત હાલારી પાઘડી પહેરીને સંબોધન કર્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં સાંસ્કૃતિક રંગ છવાઈ ગયો હતો. વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ રાજકીય અને વિકાસ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે દેશમાં વિવિધ રાજ્યોમાં આવેલા રાજકીય પરિવર્તનોએ વિકાસની નવી દિશા આપી છે અને લોકોમાં નવા આશાવાદનો માહોલ સર્જાયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકસંગીતથી ભરપૂર માહોલ જનસભા સ્થળે જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવીની સંગીત પ્રસ્તુતિએ વાતાવરણને વધુ રંગીન બનાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને કાર્યક્રમ દરમિયાન પરંપરાગત લોકસંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. જામનગર શહેરને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં…
આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગરથી સોમનાથ અને વડોદરા સુધી વ્યસ્ત કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ જામનગર, સોમનાથ અને વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને લઈને રાજ્યભરમાં સુરક્ષા અને સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જામનગરમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ વડાપ્રધાન મોદી આજે રાત્રે જામનગર પહોંચશે. તેમના આગમન પહેલા શહેરને રંગબેરંગી લાઇટિંગ અને સજાવટથી ઝગમગી ઉઠ્યું છે. એરફોર્સ સ્ટેશનથી લઈને લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર માર્ગને વિશેષ રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો જેમ કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકા, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ અને મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સર્કિટ હાઉસ સહિત સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લાલ બંગલા સર્કલ ખાતે…
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે. ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી ** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૯૦ વર્ષ જૂના આ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના સહયોગથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના ૧૦ દિવસીય મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રીશ્રીએ ભક્તિ અને સનાતન…
















