શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા
શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી ગામમાં અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્વ. રળિયાતબેન ટીલારાના સ્મરણાર્થે ભવ્ય ભેટ આ સેવાનું ઉમદા કાર્ય દાતાશ્રી ધર્મેશભાઈ રણછોડભાઈ ટીલારા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે પોતાના માતૃશ્રી સ્વ. રળિયાતબેન રણછોડભાઈ ટીલારાના પુણ્ય સ્મરણાર્થે શાપર ગ્રામ પંચાયતને આ નવી એમ્બ્યુલન્સ અર્પણ કરી છે. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી તેમનો જીવ બચાવવાનો છે. ઇમર્જન્સી સારવારમાં સાબિત થશે આશીર્વાદરૂપ શાપર અને તેની આસપાસના વિસ્તારમાં ઘણીવાર ઇમર્જન્સી સમયે વાહનની સુવિધા ન મળવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હોય છે. હવે આ નવી એમ્બ્યુલન્સ સેવા શરૂ…
કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત
કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જહાજમાં કામ દરમિયાન અચાનક બેભાન થયા શ્રમિકો મળતી માહિતી મુજબ લાકડાથી ભરેલા જહાજમાં માલ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ત્રણ મજૂરો અચાનક બેભાન થઈ ગયા હતા. પ્રાથમિક આશંકા મુજબ લાકડામાં વપરાતા ઝેરી કેમિકલ અથવા ગેસના સંપર્કમાં આવતા શ્રમિકોની તબિયત બગડી હતી. સારવાર પહેલાં જ મોત ઘટનાની જાણ થતા પોર્ટ અધિકારીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણેય શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબી સારવાર મળે તે પહેલાં જ તેમના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસના આદેશ ઘટના બાદ Deendayal…
મોંઘવારીનો વધુ એક ઝટકો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો
Gujarat Cooperative Milk Marketing Federation દ્વારા સંચાલિત Amul એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દર મુજબ હવે અમૂલ દૂધ પ્રતિ લિટર ₹2 મોંઘું મળશે. વધારેલા ભાવ 14 મે 2026ની મધરાતથી સમગ્ર દેશમાં લાગુ થશે. મુખ્ય વેરિઅન્ટના ભાવમાં વધારો અમૂલ દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો વિવિધ મુખ્ય દૂધ વેરિઅન્ટ અને પેક પર લાગુ પડશે. ફેડરેશનના જણાવ્યા અનુસાર આ વધારો અંદાજે 2.5% થી 3.5% જેટલો છે, જે વર્તમાન ખાદ્ય ફુગાવાની સરેરાશ કરતાં ઓછો હોવાનું કહેવાયું છે. નોંધનીય છે કે અમૂલ દૂધના ભાવમાં છેલ્લો વધારો મે 2025માં કરવામાં આવ્યો હતો. શા માટે વધ્યા દૂધના ભાવ? GCMMF અનુસાર પશુપાલકોના ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થવાના કારણે આ નિર્ણય લેવાયો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન: – પશુ આહારના ભાવમાં…
કેન્દ્ર સરકારે ખરીફ પાકોના ટેકાના ભાવમાં કર્યો વધારો, ગુજરાતના ખેડૂતોને મળશે મોટો લાભ
ગુજરાત સહિત દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટ દ્વારા 14 ખરીફ પાકોના નવા MSPને મંજૂરી આપવામાં આવી છે. સૂર્યમુખી અને કપાસમાં સૌથી મોટો વધારો સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ સૂર્યમુખીના બીજના MSPમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. સૂર્યમુખીના ટેકાના ભાવમાં પ્રતિ મણ ₹124નો વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત: – કપાસના MSPમાં પ્રતિ મણ ₹111નો વધારો – મગફળીના MSPમાં પ્રતિ મણ ₹50નો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને મળશે આર્થિક સુરક્ષા કેન્દ્ર સરકારનું કહેવું છે કે ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે અને વધતા ઉત્પાદન ખર્ચ સામે સુરક્ષા મળે તે માટે MSPમાં વધારો કરવામાં…
Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત
ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન કરતા બે મેડલ પોતાના નામે કર્યા છે. આ જીત સાથે ભારતે એશિયન સ્ટેજ પર પોતાની પકડ મજબૂત બનાવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એશિયાઈ ખેલાડીઓનો જંગ ગાંધીનગરના પ્રતિષ્ઠિત મહાત્મા મંદિર એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 11 મે 2026 થી આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં એશિયાના 28 દેશો અને 2 કોમનવેલ્થ દેશોના કુલ 178 ચુનંદા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ ઇવેન્ટ 2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઇંગ રાઉન્ડ તરીકે પણ કામ કરી રહી છે. જ્ઞાનેશ્વરી યાદવનું શાનદાર પ્રદર્શન: 53Kg કેટેગરી સ્પર્ધાના…
#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા
સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.
PM મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટી એક્શનમાં, ‘કાર પુલિંગ’ અમલમાં મૂકવાનો નિર્ણય
પ્રધાનમંત્રી મોદી દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને ઈંધણ બચત માટે કરવામાં આવેલી અપીલ બાદ Gujarat University એક્ટિવ મોડમાં આવી છે. રાજ્યની સૌથી જૂની અને મોટી યુનિવર્સિટીએ કેમ્પસમાં ‘કાર પુલિંગ’ અને ‘કાર શેરિંગ’ની વ્યવસ્થા અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્ટાફને વાહન શેર કરવાની અપીલ યુનિવર્સિટીના કુલપતિએ તમામ પ્રાધ્યાપકો, બિન-શૈક્ષણિક સ્ટાફ અને કર્મચારીઓને એકલા વાહન લઈને આવવાને બદલે અન્ય સહકર્મચારીઓ સાથે વાહન શેર કરવા અપીલ કરી છે. આ પગલાનો મુખ્ય હેતુ પેટ્રોલ-ડીઝલની બચત સાથે વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણમાં ઘટાડો કરવાનો છે. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે, જેથી કાર પુલિંગ વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે અમલમાં મૂકી શકાય. ‘વર્ક ફ્રોમ હોમ’ મોડલ પર પણ વિચારણા માત્ર કાર શેરિંગ સુધી જ નહીં, પરંતુ ગુજરાત યુનિવર્સિટી…
ભારતમાં ચોમાસું સમય પહેલા પહોંચે તેવી શક્યતા, અનેક રાજ્યોમાં વરસાદી માહોલ
દેશમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય સમય કરતાં વહેલું દસ્તક દે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન આસપાસ પ્રવેશે છે, પરંતુ હાલની પરિસ્થિતિઓને જોતા હવામાન વિભાગ અને નિષ્ણાતોનું માનવું છે કે ચોમાસું સમય પહેલા આગળ વધી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના ઉત્તર કિનારા નજીક સર્જાયેલા લો-પ્રેશર એરિયાના કારણે હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ આગામી કલાકોમાં વધુ મજબૂત બની શકે છે, જેના કારણે દક્ષિણ ભારત સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ તેજ બનવાની સંભાવના છે. નિષ્ણાતોનું માનવું છે કે દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. સપ્તાહના અંત સુધીમાં આંદામાન-નિકોબાર…
ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 11 જૂનથી શરૂ થશે પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પૂરક પરીક્ષાનું સત્તાવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય પરીક્ષામાં અસફળ રહેલા તેમજ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 11થી 18 જૂન દરમિયાન યોજાશે પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પૂરક પરીક્ષા 11 જૂનથી 18 જૂન 2026 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં નીચેના પ્રવાહોના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે: – ધોરણ-10 (SSC) – ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ – ધોરણ-12 સામાન્ય પ્રવાહ – ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ – વ્યવસાયલક્ષી પ્રવાહ – સંસ્કૃત પ્રથમા – સંસ્કૃત મધ્યમા બસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ, વિષયવાર ટાઈમટેબલ તેમજ જરૂરી સૂચનાઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. GSEB…
વડાપ્રધાન મોદીની અપીલ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ સાત અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને વડાપ્રધાનની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું. આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ. વૈશ્વિક સંકટ સામે વડાપ્રધાનએ કરેલી સાત અપીલ • જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ…















