દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં મંત્રીઓના પગારમાં 188ટકા સુધીનો વધારો, કેબિનેટે આપી દીધી મંજુરી

પાકિસ્તાન હાલમાં ગંભીર ફુગાવા અને દેવાના સંકટનો સામનો કરી રહ્યું છે. સામાન્ય લોકો બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેના મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં ભારે વધારો કરી રહી છે. તાજેતરમાં, પાકિસ્તાનના મંત્રીમંડળે મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને સલાહકારોના પગારમાં ૧૮૮% સુધીના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ તેમનો માસિક પગાર હવે 5,19,000 પાકિસ્તાની રૂપિયા થશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી લોનનો બીજો હપ્તો મળ્યો છે. આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે” આર્થિક સંકટ છતાં નેતાઓ પ્રત્યે દયા :- પાકિસ્તાનનું અર્થતંત્ર નાદારીની આરે છે. ફુગાવો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે…

ઉનાળુ વેકેશન લઈને મન ફાવે ત્યાં ફરો નામની યોજના, ગુજરાતનાં કોઈ પણ ખૂણે માત્ર આટલા રુપિયામાં ફરી શકશો

ઉનાળુ વેકેશન લઈને ગુજરાત એસટી નિગમે નવી યોજના બહાર પાડી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના બનાવી છે. જેને આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. તેમજ સાથે વિશેષ સુવિધા મેળવી શકે છે. આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે” ગુજરાતનાં તમામ એસટી ડેપો પર યોજના લાગુ :- ગુજરાતભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ…

Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે”

રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકને મારવાની ઘટનામાં મહત્વનું નિવેદન આપ્યું હતું. સાંસદ પરશોત્તમ રુપાલાએ કહ્યું કે કાયદો કાયદાનું કામ કરે છે. અમારા આગેવાનો મારમારીની ઘટનામાં ભોગ બનેલ યુવકને મળવા ગયા હતા. સામાજિક તણાવ ના થાય તે ધ્યાનમાં રાખવાનું જરૂરી છે. પરશોત્તમ રુપાલાએ તમામને સામાજિક સૌહાર્દ જળવાય તેને લઈને અપીલ કરી છે. ગોંડલમાં પાટીદાર યુવક સામે થયેલ ઘટનામાં પોલીસ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું. આ પણ વાંચો :- અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી જો કે, પરશોત્તમ રુપાલાએ ગોંડલમાં રાજકુમાર જાટની હત્યા થઈ હતી કે, અકસ્માતે મોત થયું હતું તેને લઈને ચાલતા વિવાદમાં બોલવાનું ટાળ્યું. સાંસદ પરશોત્તમ રુપાલા અવારનવાર વિવાદાસ્પદ મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતા હોય છે. થોડા દિવસો અગાઉ…

‘વાતચીત ચાલુ છે, આશા છે સમજુતી થશે’ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરીફની જાહેરાતને લઇ MEAની પ્રતિક્રિયા

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. MEA એ શુક્રવારે (21 માર્ચ) જણાવ્યું હતું કે બંને દેશો ટેરિફ અને બજાર ઍક્સેસ જેવા મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે. આ પણ વાંચો :- શું શશી થરૂર ભાજપમાં જોડાશે ? આ એક સેલ્ફીએ ઘણા દિવસથી ચાલતી ચર્ચાને વેગ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતા મહિને ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવાની યોજના બનાવ્યાના બે દિવસ બાદ વિદેશ મંત્રાલય તરફથી આ પ્રતિક્રિયા આવી છે. અમેરિકાના આ પગલાથી ભારતીય નિકાસ પર અસર પડી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બંને દેશો વાતચીત કરી રહ્યા છે અને આશા છે…

Mehsana : મહેસાણામાં RTO અને પોલીસની કડક કાર્યવાહી, સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ સામે બોલાવી તવાઈ

મહેસાણામાં પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ અત્યારે કાયદાના સંકજામાં આવ્યા છે. 11 વાલીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાલીઓએ કાયદાનું પાલન ના કરતા તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપ્યું હોવાનું સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી પોલીસ અને RTO દ્વારા વાલીઓ પર તવાઈ :- પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં શાળાઓ પાસે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું. જેના બાદ પોલીસે આ સગીરના વાલીઓને બોલાવ્યા. અને તેમને સવાલ…

શું શશી થરૂર ભાજપમાં જોડાશે ? આ એક સેલ્ફીએ ઘણા દિવસથી ચાલતી ચર્ચાને વેગ આપ્યો

તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરૂર છેલ્લા કેટલાક દિવસોથી મોદી સરકારના વખાણ કરી રહ્યા છે. તેમણે આવા ઘણા નિવેદનો આપ્યા જે પાર્ટી લાઇનની વિરુદ્ધ હતા. તાજેતરમાં થરૂરે કહ્યું હતું કે તેમને રશિયા-યુક્રેન યુદ્ધ પરના પોતાના જૂના વલણ બદલ પસ્તાવો છે. તેમણે આ અંગે દુ:ખ પણ વ્યક્ત કર્યું. આ દરમિયાન ભાજપના એક નેતાએ શશિ થરૂર સાથેનો એક સેલ્ફી શેર કર્યો છે, જેમાં આ નેતાએ કહ્યું છે કે આખરે આપણે એક જ દિશામાં મુસાફરી કરવા જઇ રહ્યા છીએ. આ પણ વાંચો :- ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ ચાર દેશોના પાંચ લાખથી વધું લોકોને છોડવું પડશે અમેરિકા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઓડિશાના સાંસદ, બૈજયંત જય પાંડાએ શુક્રવારે (21 માર્ચ) સોશિયલ મીડિયા પર શશિ થરૂર સાથેનો એક સેલ્ફી શેર કર્યો…

ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, આ ચાર દેશોના પાંચ લાખથી વધું લોકોને છોડવું પડશે અમેરિકા

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે યુ.એસ.માં ઇમિગ્રેશન નીતિ અંગે એક મોટું પગલું ભર્યું છે, જેમાં ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના 530,000 ઇમિગ્રન્ટ્સના કાનૂની રક્ષણને રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પછી, આ ઇમિગ્રન્ટ્સને લગભગ એક મહિનાની અંદર અમેરિકા છોડવું પડી શકે છે. આ પણ વાંચો :- KKRના આ 2 સ્પિનરો વિરાટ કોહલી માટે ખતરો, જ્યારે પણ તેઓ ટકરાતા, ત્યારે પીડા આપતા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ જાહેરાત કરી હતી કે ઓક્ટોબર 2022માં નાણાકીય સ્પોન્સર સાથે યુએસમાં પ્રવેશેલા આ દેશોના ઇમિગ્રન્ટ્સનો પેરોલ સ્ટેટસ હવે સમાપ્ત થઈ જશે. આ ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે બે વર્ષની પરમિટ આપવામાં આવી હતી, જેની મુદત હવે સમાપ્ત થઈ ગઈ છે. આ પગલું ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે વધતી કાર્યવાહીનો એક…

અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી

અમેરીકાની ધરતી પર ફરી એકવાર ગુજરાતી પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. અમેરિકામા વર્જિનિયાનામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર થયાની વિગતો સામે આવી છે. જ્યાં અશ્વેત વ્યક્તિએ ગોળીબાર કરતા પિતા-દીકરીના મોત થયા છે. વર્જિનિયાનામાં મુળ ગુજરાતના મહેસાણાના કનોડા ગામનો પરિવાર હતો જે વર્ષોથી વર્જિનિયાનામાં રહેતો હતો. આ પણ વાંચો :- જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને 2 દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું છે. મૃતક પ્રદીપ રતિલાલ પટેલ અને તેમની દીકરીનું અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગની ઘટનામાં મોત થયું છે, હાલમાં આ સમગ્ર મામલે…

જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ

ગુજરાતમાં નવા જંત્રીના દર લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે. જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા તો જંત્રીના દર લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે અને મુખ્યમંત્રી જંત્રી દર લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેશે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી એપ્રિલ મહિનામાં લાગુ થઈ શકે છે ભાવ :- ગુજરાતમાં એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે. 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ…

Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

ગુજરાતમાં ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફરી વળ્યા છે. અમદાવાદના જુહાપુરાના ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પડી છે. આરોપી સામે હત્યા, મારામારી જેવા ગુના નોંધાયેલા છે જેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે. મુશીરની હવેલી મહેલ કરતા પણ મોટી છે ત્યારે તેને તોડી પડાઈ છે. ત્યારે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ હવેલી તોડી પડાઈ છે. આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, આજથી પવનોની દિશા બદલાતા તાપમાન વધશે સરખેજમાં આરોપીઓનું મકાન તોડી પડાયું :- અસામાજિક તત્ત્વો વિરુદ્ધની ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન પાંચ ગેરકાયદેસર મકાનો તથા નવ દુકાનો તેમજ દરિયાપુર પોલીસ…