આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. તમારો કોઈ પાડોશી આજે તમારી પાસે ઉધાર મંગાવ આવી શકે છે. તમને સલાહ આપવા માં આવે છે કે ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્ર સારી રીતે પારખી લો નહીંતર ધન હાનિ થયી શકે છે. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી મદદની જરૂર…

Panchang : 15 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ.  આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે.   પંચાંગ તિથી દ્વિતિયા (બીજ) 10:58 AM નક્ષત્ર વિશાખા +03:10 AM કરણ : ગરજ 10:58 AM વાણિજ 10:58 AM પક્ષ કૃષ્ણ યોગ સિદ્ધિ 11:31 PM દિવસ મંગળવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:56 AM ચંદ્રોદય 09:02 PM ચંદ્ર રાશિ તુલા સૂર્યાસ્ત 06:46 PM ચંદ્રાસ્ત 06:52 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન…

સરકારની તિજોરી છલકાશે… RBI આપશે 2.5 લાખ કરોડ રૂપિયા ! જાણો કારણ

કેન્દ્ર સરકારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી મોટી રકમ મળવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2025 માં, રિઝર્વ બેંક સરપ્લસ રકમ સરકારને ટ્રાન્સફર કરશે. તેની રકમ 2.5 લાખ કરોડ રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે. આ રકમ પાછલા નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા ડિવિડન્ડ કરતાં વધુ હશે. આ રકમ નાણાકીય વર્ષ 2026 ના બજેટ અંદાજ કરતાં પણ વધુ હોઈ શકે છે. જો RBI આટલું દેવું સરકારને ટ્રાન્સફર કરે તો દેશની જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારને વધુ લોન લેવાની જરૂર નહીં પડે. સરકારી દેવાના હિસાબ ફક્ત RBI પાસે જ રાખવામાં આવે છે. RBI મે મહિનાના અંતમાં સરકારને જણાવશે કે તે નાણાકીય વર્ષ 2025 માટે કેટલા સરપ્લસ પૈસા ટ્રાન્સફર કરશે. ગયા વર્ષે RBIએ 2.1 લાખ…

તહવ્વુર રાણાએ NIA પાસેથી શું માંગ્યું? થઈ રહી છે દરરોજ 10 કલાક પૂછપરછ

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણાને ગયા અઠવાડિયે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. સોમવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે NIA અધિકારીઓ રાણાની તબીબી તપાસ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને તેમના વકીલને મળવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. શુક્રવારે સવારે દિલ્હીની એક કોર્ટે તેને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ 18 દિવસની કસ્ટડી માટે તપાસ એજન્સીને સોંપ્યો હતો. આ પણ વાંચો: શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું 8-10 કલાક થઈ રહી છે પૂછપરછ સૂત્રોએ જણાવ્યું હતું કે 2008માં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા પાછળના મોટા…

BJPના નેતાએ સામાજીક અસમાનતા ઉપર કર્યા પ્રહારો, જણાવી વાસ્તવિક પરિસ્થિતિ

અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈને સતત ચર્ચામાં રહેતા હોય છે. પોતાના પક્ષના નેતા હોય કે કોઈ અધિકારી પોતાની વાત અને જનતાની વાસ્તવિકતા દર્શાવવા કોઇની શેહ શરમ નથી ભરતા. બેબાક રીતે પોતાની વાત રજૂ કરે છે. ત્યારે આજે ફરી એક વાર સમાજની વાસ્તવિકતા સામે લાવ્યા છે. ડો. ભરત કાનાબારે દલિતોને સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. અંબેડકર જયંતીએ દલિતોની સામાજીક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે દલિતોના સમાન અધિકારોને લઇ ટ્વીટ કર્યું છે. ત્યારે આજે ડોક્ટર આંબેડકર જયંતીના દિવસે ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરતા દલિતોની સામાજિક અસમાનતા ઉપર પ્રહારો કર્યા છે. તે ઉપરાંત ડોક્ટર કાનાબારે તેમના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર…

મલેશિયાના પૂર્વ PM અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું 85 વર્ષની વયે અવસાન થયું છે. અબ્દુલ્લા લાંબા સમયથી બીમાર હતા. કુઆલાલંપુરની એક હોસ્પિટલે તેમના મૃત્યુની માહિતી આપી છે. અબ્દુલ્લાને 25 એપ્રિલ, 2024 ના રોજ નેશનલ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ક્રિટિકલ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અબ્દુલ્લા ન્યુમોથોરેક્સ નામની બીમારીથી પીડાતા હતા. મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન “પાક લાહ” તરીકે પણ જાણીતા હતા. અબ્દુલ્લાને રવિવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં કુઆલાલંપુરના સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કાર્ડિયોલોજિસ્ટની ટીમ દ્વારા તેમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. પરંતુ તમામ પ્રયાસો છતાં, તેમનું સોમવારે સાંજે 7:10 વાગ્યે અવસાન થયું. 22 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે સેવા આપ્યા બાદ અનુભવી નેતા મહાથિર મોહમ્મદના રાજીનામા બાદ 2003માં અબ્દુલ્લા વડાપ્રધાન બન્યા હતા. અબ્દુલ્લા અહમદ બદાવીના પિતા મલેશિયાના…

અમેરિકાની ભારે ટેરિફ નીતિની ચીન પર વ્યાપક અસર નહીં? નિકાસમાં જોવા મળી મજબૂતી

અમેરિકા દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, ચીનના અર્થતંત્ર પર કોઈ ખાસ અસર પડી નથી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ, ચીનથી આવતા ઘણા ઉત્પાદનો પર 145 % સુધીની આયાત જકાત લાદવામાં આવી હતી, છતાં માર્ચ 2025 માં ચીનની નિકાસમાં વાર્ષિક ધોરણે 12.4 %નો તીવ્ર વધારો નોંધાયો હતો. ચીનના સરકારી ડેટા અનુસાર, જાન્યુઆરીથી માર્ચ સુધીના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 5.8%નો વધારો થયો છે, જ્યારે આયાતમાં 7%નો ઘટાડો થયો છે. માર્ચ મહિનામાં જ ચીનની કુલ આયાતમાં 4.3%નો ઘટાડો થયો છે. અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ વધ્યો માર્ચ મહિનામાં ચીનનો અમેરિકા સાથેનો વેપાર સરપ્લસ $27.6 બિલિયન હતો. ફક્ત માર્ચ મહિનામાં જ, ચીનની અમેરિકામાં નિકાસમાં 4.5%નો વધારો થયો હતો, અને સંપૂર્ણ ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) દરમિયાન ચીને અમેરિકા…

બિહારની ચૂંટણી પહેલા પશુપતિ પારસે ગઠબંધન અંગે કરી મોટી જાહેરાત, NDA ને મોટો ફટકો !

રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે NDA સાથેનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીનો હવે NDA સાથે કોઈ સંબંધ રહેશે નહીં. પારસે નીતીશ સરકાર પર પ્રહારો કર્યા અને તેને દલિત વિરોધી ગણાવી. આ જાહેરાત પટનામાં RLJP દ્વારા આયોજિત બાપુ સભાગર કાર્યક્રમ દરમિયાન કરવામાં આવી હતી. પશુપતિ પારસે આજે (સોમવારે) એક મોટી જાહેરાત કરી અને જાહેરાત કરી કે હવેથી તેમનો NDA સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ‘આજથી અમે NDA સાથે નથી, NDA સાથે અમારો કોઈ સંબંધ નથી’. 2014માં NDAમાં જોડાયા ત્યારથી અમે તેમના વફાદાર સાથી રહ્યા છીએ. પરંતુ, અમારે જોવું પડ્યું કે જ્યારે લોકસભાની ચૂંટણીઓ થાય છે, ત્યારે અમારા પક્ષને અન્યાયનો સામનો કરવો…

હવે સરકારી વેબસાઇટ હિન્દી વેબ એડ્રેસમાં ખુલશે ! જાણો કેમ આવ્યો આ ફેરફાર

ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. ઘણી સરકારી વેબસાઇટ્સના વેબ એડ્રેસ હવે હિન્દીમાં ટાઇપ કરી શકાય છે, જેનો અર્થ એ છે કે અંગ્રેજી પરની નિર્ભરતા ટૂંક સમયમાં સમાપ્ત થશે. ઇન્ટરનેટને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે, સરકારે ઘણી સરકારી વેબસાઇટ્સમાં હિન્દી વેબ એડ્રેસનો ઉપયોગ શરૂ કર્યો છે. આગામી થોડા વર્ષોમાં, ભારતીય ભાષાઓ, ખાસ કરીને હિન્દી, સાર્વત્રિક સ્વીકૃતિ મેળવશે. આવી સ્થિતિમાં, જેઓ અંગ્રેજી નથી જાણતા તેઓ પણ હિન્દીમાં ટાઇપ કરીને કોઈપણ વેબસાઇટ ખોલી શકશે. સરકારે યુનિવર્સલ એક્સેપ્ટન્સ ઇનિશિયેટિવ હેઠળ ઇન્ટરનેશનલાઇઝ્ડ ડોમેન નેમ્સ (IDNs) માં મોટો ફેરફાર કર્યો છે, જેના દ્વારા ભારતીય ભાષાઓમાં વેબ એડ્રેસ અને ઈ-મેલ આઈડી બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, ભારત સરકારના ગૃહ મંત્રાલયની વેબસાઇટનો URL હવે હિન્દીમાં પણ તૈયાર છે. ગૃહ…

અરવલ્લી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ, જાણો વિગત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામની લેઉવા પાટીદાર સમાજની દીકરી અને સાસરી અંધારીવાડી જે ફરેડી પ્રા. શાળાની શિક્ષિકા નિલાક્ષીબેન રમેશભાઈ પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમ.એ ના કોર્સમાં પ્રથમ નંબર આવતા આચાર્ય દેવવ્રત રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવતા લેઉવા પાટીદાર સમાજનું નામ રોશન કર્યું હતું. નાનકડા ગામમાં ગોલ્ડ મેડલ મળતાની સાથે જ સમગ્ર ગામમાં કફૂસહીનો માહોલ છવાયો હતો. આ સાથે જ અરવલ્લી જિલ્લાના લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધારતા જ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શુભકામના પાઠવવામા આવી હતી. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલભાઈ પાનસેરીયા, UGC ના ચેરમેન એમ. જગદીશ કુમાર તેમજ યુનિવર્સિટીના હોદ્દેદારો, પ્રોફેસર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ પણ બી.એડ માં પણ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવતા પરિવારમાં…