અરવલ્લી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ, જાણો વિગત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામની લેઉવા પાટીદાર સમાજની દીકરી અને સાસરી અંધારીવાડી જે ફરેડી પ્રા. શાળાની શિક્ષિકા નિલાક્ષીબેન રમેશભાઈ પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમ.એ ના કોર્સમાં પ્રથમ નંબર આવતા આચાર્ય દેવવ્રત રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવતા લેઉવા પાટીદાર સમાજનું નામ રોશન કર્યું હતું.

નાનકડા ગામમાં ગોલ્ડ મેડલ મળતાની સાથે જ સમગ્ર ગામમાં કફૂસહીનો માહોલ છવાયો હતો. આ સાથે જ અરવલ્લી જિલ્લાના લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધારતા જ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શુભકામના પાઠવવામા આવી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલભાઈ પાનસેરીયા, UGC ના ચેરમેન એમ. જગદીશ કુમાર તેમજ યુનિવર્સિટીના હોદ્દેદારો, પ્રોફેસર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ પણ બી.એડ માં પણ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવતા પરિવારમાં ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી ત્યારબાદ સમગ્ર અરવલ્લી જિલ્લામાં મહિલા શિક્ષિકાએ સતત બીજીવાર ગોલ્ડ મેડલ મેળવતા નારી તું નારાયણી કહેવતને સાર્થક કરી બતાવી હતી

Related Posts

અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *