રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ, પવનોની દિશા બદલતા તાપમાનમાં થયો વધારો
-: રાજ્યમાં પવનોની દિશા બદલતા અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ :- મોટાભાગના જિલ્લામાં તાપમાન 1-2 ડિગ્રી ઊંચકાયું છે તો રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું છે. -: ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે :- હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની આગાહી મુજબ ગુજરાતમાં સાત દિવસ હવામાન સૂકું રહેશે. આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. જે બાદ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ સુધી કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી. પરંતુ તે પછી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે. -: કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી મુજબ :- કયાં કેટલું…
વિશ્વ મહિલા દિન ઉજવણી: નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ખાસ કાર્યક્રમ
ગાંધીનગરના નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગુજકોસ્ટ પ્રેરિત વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નિસર્ગ વિમેન્સ સાયન્સ ક્લબની બહેનો એ ઊંડા ઉત્સાહ સાથે ભાગ લીધો. -: વિશિષ્ટ મહેમાનોનો હાજર રહેવાનો ગૌરવ :–કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી હેમાબેન ભટ્ટ (ચેરમેન, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, ગાંધીનગર મહાનગરપાલિકા) અને શ્રી કેતન ચૌધરી (કરાટે એક્સપર્ટ) ઉપસ્થિત રહ્યા. -: વિશિષ્ટ પ્રવચન અને થીમ પર ભાર :–ડૉ. અનિલ પટેલે નિસર્ગ મહિલા સાયન્સ ક્લબની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડતાં વિશ્વ મહિલા દિવસની ઐતિહાસિક મહત્વતા અને આ વર્ષની થીમ “તમામ મહિલાઓ તેમજ દીકરીઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણના પગલાંની પ્રક્રિયાને વેગ આપીએ” અંગે વિસ્તૃત માહિતી આપી. -: પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન :–શિક્ષણ, કુકીંગ, વ્યવસાય, પત્રકારત્વ અને રમત-ગમત ક્ષેત્રે પ્રભાવી કામગીરી બદલ પાંચ બહેનોને…
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ
વન અને પર્યાવરણ તેમજ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની ‘શૌર્યભૂમિ’ ધંધુકા ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો. પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ઝવેરચંદ મેઘાણીએ 1928માં રચેલું અમર કાવ્ય ‘ચારણ-કન્યા’ આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્ક ‘ચારણ-કન્યા’ વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણ થયું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ નિમિત્તે એમની શૌર્યભૂમિ ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય ખાતે ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જના મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા…
‘જ્યારે હું ટીમ સાથે હતો…’, અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત બાદ અજય જાડેજાનું નિવેદન વાયરલ
અફઘાનિસ્તાને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ગ્રુપ બી મેચમાં ઈંગ્લેન્ડને આઠ રનથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી અને 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને બહાર કરી દીધા. અઝમતુલ્લા ઓમરઝાઈએ ICC ODI ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન માટે શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેણે 58 રનમાં 5 વિકેટ લીધી હતી અને ટીમને ઈંગ્લેન્ડ સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં બંને ટીમોએ 642 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને 7 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડનો સ્કોર 317 હતો. ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં સૌથી વધુ રન 707 હતા. વર્ષ 2017માં ભારત વિરુદ્ધ શ્રીલંકા મેચમાં 643 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનની જીત બાદ અફઘાનિસ્તાનના પૂર્વ મેન્ટર અજય જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. અજય જાડેજાએ કહ્યું કે,…
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે થઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ, આ છે આખું સમીકરણ
અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને 8 રનથી હરાવીને સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ વધારી દીધી હતી. અફઘાનિસ્તાનની જીતે ઈંગ્લેન્ડ (AFG vs ENG) ને સેમિફાઈનલની રેસમાંથી બહાર કરી દીધી છે. આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ હવે સેમીફાઈનલમાં પહોંચવાની આશા રાખી શકે છે. તમને જણાવી દઈએ કે આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ -0.990ના રન રેટ સાથે ગ્રુપ બીમાં ત્રીજા સ્થાન પર આવી ગઈ છે. હવે અફઘાનિસ્તાન પાસે સેમિફાઇનલમાં જવાની તક છે. અફઘાનિસ્તાન ટીમની આગામી મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થવાની છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકે છે. હવે બીજી તરફ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સેમીફાઈનલ થઈ શકે છે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં…
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ!
રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોધાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપ્યું છે. -> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં 36.8, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વીવી નગરમાં 38.5, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભૂજમાં 37.4, નલિયામાં 36.0, કંડલા પોર્ટમાં 34.9, અમરેલીમાં 38.0, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8માં મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વી. વી નગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનદરમાં 21 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. -> આગામી બે દિવસમાં તાપમાનમાં થશે…
ગુજરાત: આજથી ધોરણ 10-12ની પરીક્ષાનો આરંભ, 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની (GSEB) બોર્ડ પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે. રાજ્યમાં GSEB બોર્ડમાં ધોરણ-10 અને 12ના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. -> પરીક્ષા કેન્દ્રો સજ્જ બન્યા :- GSEB બોર્ડ પરીક્ષાને લઈને 5222 બિલ્ડીંગના 50991 બ્લોકમાં પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે. તમામ પરીક્ષા કેન્દ્રોના 50991 બ્લોક CCTVથી સજ્જ થઈ ગયા છે. બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે તમામ કેન્દ્રો પરી વિદ્યાર્થીઓનું પુષ્પ આપી સ્વાગત કરાશે. -> શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાનો સંદેશ :- શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાને લઈને શુભકામના પાઠવી. શિક્ષણમંત્રીએ પરીક્ષા આપતા વિદ્યાર્થી અને તેમના પરીવારને સંદેશ…
સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગેલી આગ કાબુમાં; 450 થી વધુ દુકાનો બળીને ખાખ
B INDIA સુરત : બુધવારે સવારે ચાર માળના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 30 કલાકથી વધુ સમયની જહેમત બાદ કાબુમાં લેવામાં આવી છે. દરમિયાન, ઇમારતમાં આવેલી 800 થી વધુ દુકાનોમાંથી 450 થી વધુ દુકાનો આગને કારણે બળીને ખાખ થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે સવારે સુરતના શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટર હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં લગભગ અડધી દુકાનો નાશ પામી હતી. ઇમારતની માળખાકીય સ્થિરતા અંગે ચિંતાઓને કારણે, બહારથી અગ્નિશામક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કાપડ બજારમાં 834 દુકાનો છે, જેમાં મુખ્યત્વે પોલિએસ્ટર સાડીઓ અને અન્ય કાપડ ઉત્પાદનોનો સ્ટોક છે. બાજુની ઇમારતો પણ કાપડ બજારો હોવાથી, આગને વધુ ફેલાતી અટકાવવી એક મોટો…
ઝાલોદના યુવાનની આગવી સૂઝબુઝથી બસમાં બેઠેલા 70 મુસાફરોનો બચાવ
–:રાજસ્થાન રોડવેજની બસની બ્રેક ફેઇલ થતાં મચ્યો હાહાકાર:– ઝાલોદ નગરના કસ્બા વિસ્તારમાં રહેતા યુવાન ઝહીરખાન પઠાણે પોતાની તીવ્ર સૂઝબુઝથી બસમાં બેઠેલા અંદાજીત 70 મુસાફરોનું જીવન બચાવ્યું. તેઓ અંગત કામ માટે બાંસવાડા ગયા હતા અને પરત આવતા રાજસ્થાન રોડવેજની બસમાં બાંસવાડા થી કુશલગઢ તરફ મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરોની સંખ્યા વધુ હોવાથી તેઓ ઉભા રહ્યા હતા. –: બસની બ્રેક ફેઇલ અને ચકચાર :– જ્યારે બસ બડૌદીયા ગામમાંથી આગળ વધી અને કલીંજરા ગામ પાસે પહોંચી, ત્યારે ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બ્રેક કામ કરી નહોતી. બ્રેક ફેઇલ થતા જ બસમાં બુમાબુમ મચી ગઈ અને મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો. ડ્રાઈવર પણ ભયભીત થઈ ગયા હતા. –: ઝાલોદના યુવકની તત્કાળ કામગીરી :– આ ગંભીર પરિસ્થિતિમાં ઝહીરખાન પઠાણે તત્કાલ…
વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતને મળશે ૩૦ નવા IAS અધિકારીઓ, ઋષિકેશ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત
ગુજરાત વિધાનસભાના ગૃહમાં IAS અધિકારીઓની ભરતી અંગે એક મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રાજ્યમાં ખાલી પડેલી IAS પોસ્ટ્સ વિશે પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે એક મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ દરમિયાન ગુજરાતમાં કુલ ૩૦ નવા IAS અધિકારીઓ જોડાશે. જેમાંથી ફેબ્રુઆરી ૨૦૨૫માં બઢતી દ્વારા ૨૦ અને પસંદગી દ્વારા ૨ અધિકારીઓનો સમાવેશ થશે, જ્યારે ઓક્ટોબર ૨૦૨૫ સુધીમાં સીધી ભરતી દ્વારા ૮ નવા IAS અધિકારીઓનો સમાવેશ થવાનો છે. –: ગુજરાતમાં હાલની સ્થિતિ :– ગુજરાત રાજ્યમાં IAS અધિકારીઓ માટે કુલ ૩૧૩ મંજુર પદો છે, જેમાં ૧૪ અધિકારીઓ કેન્દ્ર સરકારના ડેપ્યુટેશન પર છે અને ૫૬ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે IAS માળખાની સમીક્ષા અને નવા પદો વધારવા માટે કેન્દ્ર સરકારને…















