અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત

રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.

જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રક્ષા મંત્રી રાજનાથ સિંહના ભત્રીજાનું માર્ગ અકસ્માતમાં મોત, બસની ટક્કર બાદ ચાલક ફરાર

મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના સગા ભત્રીજા પ્રભાત સિંહનું કરુણ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર…

બાળકો માટે સોશિયલ મીડિયા પર ‘નો એન્ટ્રી’! કેનેડાનો મોટો નિર્ણય, નિયમ તોડનાર કંપનીઓને કરોડોનો દંડ

બાળકોમાં સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ અને તેના કારણે ઉભા થતા માનસિક આરોગ્યના જોખમોને ધ્યાનમાં રાખીને કેનેડા સરકારે મોટું પગલું ભરવાની તૈયારી શરૂ કરી છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ‘સેફ…