રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.
જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






