પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં શાંતિ રેલી દરમિયાન બ્લાસ્ટ: 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં રવિવારે એક મોટી વિસ્ફોટની ઘટના સામે આવી છે. સ્વાત જિલ્લામાં આયોજિત એક શાંતિ રેલી દરમિયાન થયેલા શક્તિશાળી બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનમાં પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આત્મઘાતી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સુરક્ષા એજન્સીઓ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને હુમલાખોરો અંગે માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન અચાનક થયો વિસ્ફોટ પાકિસ્તાનમાં મળતી માહિતી અનુસાર, આ રેલી સ્થાનિક આદિવાસી સંગઠન ‘સ્વાત અમન જિરગા’ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. સ્વાત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાની સ્થિતિને લઈને…
ઉત્તર પ્રદેશમાં ફટાકડા ફેક્ટ્રીમાં ભયાનક વિસ્ફોટ, બેના મોત
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગંગોહ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા નયા ગામમાં આવેલી એક ફટાકડા ફેક્ટ્રીમાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો અને સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધી બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે કેટલાક અન્ય લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ, ફાયર બ્રિગેડ અને રાહત ટીમો દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિસ્ફોટ બાદ ફેક્ટ્રીનો ભાગ ધરાશાયી મળતી માહિતી મુજબ, ફટાકડા ફેક્ટ્રીમાં થયેલા વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટ્રીનો એક મોટો ભાગ ધરાશાયી…
ઉનાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટના સ્થળે મોત
મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલીના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. ઉનાવા નજીક પહોંચતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરા જોરથી રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં મોત પામેલા આ દુર્ઘટનામાં 2 પુરુષ, 1 મહિલા અને 1 માસૂમ…
અમેરિકા જવાની લાલચમાં અઝરબૈજાનમાં ગુજરાતી યુવક-યુવતી બંધક, પરિવાર પાસેથી રૂ. 65 લાખ વસૂલ્યા
ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી યુવક અને યુવતી આંતરરાષ્ટ્રીય ઠગાઈના જાળમાં ફસાયા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અઝરબૈજાનમાં બંનેને બંધક બનાવી તેમના પરિવાર પાસેથી કુલ રૂ. 65 લાખની ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મુંબઈના એજન્ટોની લાલચમાં આવી વિદેશ રવાના આણંદ જિલ્લાના ઝાંખરીયા ગામનો યુવક અને વાસદની યુવતી અમેરિકા જવા ઇચ્છતા હતા. આ દરમિયાન મુંબઈના એજન્ટોએ તેમને અઝરબૈજાન અને કેનેડા મારફતે અમેરિકા પહોંચાડવાની લાલચ આપી હતી. એજન્ટોની વાતોમાં આવી બંને 30 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટથી રવાના થયા હતા. યોજના અનુસાર તેમને અઝરબૈજાન થઈને કેનેડા અને ત્યાંથી અમેરિકા પહોંચાડવાના હતા, પરંતુ દિલ્હીથી અઝરબૈજાન લઈ જઈ બંનેને બંધક બનાવી દેવામાં આવ્યા હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વીડિયો કોલ પર મારઝૂડ, ખંડણીની માંગ પરિવારજનોના જણાવ્યા…
કેનેડામાં ભારતીય યુવક પર જીવલેણ હુમલો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના 37 વર્ષીય યુવક ચંદા કુમાર પર દિવસ દરમિયાન ગોળીબાર થઈ ઘટના સામે આવી છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમના મોતની જાણ થઈ છે. ઘટના સ્થળ પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો વુડબાઇન શોપિંગ સેન્ટર પાસે આવેલા ખુલ્લા પાર્કિંગ લોટમાં થયો હતો. હુમલાખોરોએ અચાનક ચંદા કુમારના વાહન પર ગોળીબાર કર્યો, જેના કારણે ચંદા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેઓ જીવંત બચી શક્યા નહોતા. હુમલાખોરોની શોધખોળ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આસપાસના CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હુમલાની પાછળના…
નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર
અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઇવરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ચાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ઉપરાંત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઇવરને અનેક વખત ગાડી ધીમી અને સાવચેતીપૂર્વક ચલાવવા માટે ટોકવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરે તેમની વાત ધ્યાનમાં લીધી ન હતી. પરિણામે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો દાવો મુસાફરો દ્વારા કરવામાં આવ્યો છે. અકસ્માત બાદ ડ્રાઇવરનો મૃતદેહ બસની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા ફાયર બ્રિગેડની…
જયરાજ આહીરે SITની પૂછપરછ બાદ તોડ્યું મૌન: કહ્યું “જ્યારે પણ બોલાવશે ત્યારે હાજર રહીશ”
નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે નવી અપડેટ સામે આવી છે. આજે SIT (વિશેષ તપાસ ટીમ) દ્વારા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂરી થયા પછી જયરાજ આહીરે પોતાની પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે તેઓ SITની તપાસ પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. જયરાજ આહીરના નિવેદન: જ્યારે પુછપરછ પૂર્ણ થઈ, જયરાજ આહીરે કહ્યું કે તેઓ SITની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમણે સ્પષ્ટ કર્યું, “જ્યારે પણ SIT મને બોલાવશે, ત્યારે હું હાજર રહીશ અને સહકાર આપવા તૈયાર છું.” તેમણે ઉમેર્યું કે સત્ય સામે આવશે તેવી તેમને પૂરી આશા છે. SITમાં થયેલી પૂછપરછ અને હાલની સ્થિતિ – પીડિતની પૂછપરછ: બે દિવસ પહેલા SITએ નવનીત…
હઝારીબાગમાં મકરસંક્રાંતિના દિવસે ભયાનક બોમ્બ બ્લાસ્ટ, જાણો વિગત
મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે હઝારીબાગના બડા બજાર વિસ્તારના હબીબીનગરમાં ભૂગર્ભમાં દટાયેલ બોમ્બ ફાટતા તંત્ર અને સ્થાનિક લોકોમાં ભયભીત ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પતિ-પત્ની સહિત કુલ ૩ લોકોના મોત થયા છે. બોમ્બનો ધડાકો એટલો ભયાનક હતો કે તેની ગુંજ કિલોમીટરો સુધી સાંભળાઈ. ઘટનાની વિગતો: પ્રાપ્ત માહિતી અનુસાર, મોહમ્મદ સદ્દામ હુસૈન જમીનમાં ઉગી ઝાડીઓ સાફ કરી રહ્યા હતા. તેમના સાથે પત્ની નન્હી પરવીન અને સંબંધી રશીદા પરવીન પણ હાજર હતાં. સાંજે લગભગ 4:30 વાગ્યે, સદ્દામની કોદાળી જમીનમાં વાગતાં જ ભૂગર્ભમાં દટાયેલ બોમ્બ ધડાકા સાથે ફાટી પડ્યો. આ દુર્ઘટનામાં સદ્દામ અને નન્હી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે રશીદા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો. વિસ્તારનો પૂર્વ ઇતિહાસ: હબીબીનગર વિસ્તાર અગાઉ પણ બોમ્બ સાથે સંબંધિત ઘટનાઓ માટે…
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની જાહેરમાં ગોળી મારીને હત્યા, માત્ર ત્રણ અઠવાડિયામાં પાંચમી ઘટના
બાંગ્લાદેશના જસોર જિલ્લાના મણિરામપુરમાં હિન્દુ યુવાન રાણા પ્રતાપ બૈરાગીને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના કોપાલિયા બજાર, વોર્ડ નં. 17 વિસ્તારમાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ રાણા પ્રતાપ પર અચાનક ગોળીબાર કર્યો. ગોળી લાગતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. મૃતક કેશબપુર ઉપજિલ્લાના અરુઆ ગામનો રહેવાસી હતો. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસ સૂત્રો મુજબ, બજારમાં રહેલા રાણા પ્રતાપ પર હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. ઘટના બાદના પગલાં ગોળીબાર બાદ બજાર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મણિરામપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે તૈયારીઓ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. હિન્દુ સમુદાય પર હિંસાના વધતા કેસ આ ઘટના…
રાજકોટ મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયરને કોન્ટ્રાક્ટરે લાફો મારતા વિવાદ, એન્જિનિયરિંગ એસોસિએશન હડતાળ પર
રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં ફરજ બજાવતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ચકચાર મચાવી દેતી ઘટના સામે આવી છે. વોર્ડ નં. 18માં પેવિંગ બ્લોકના કામ દરમિયાન એક પેટા કોન્ટ્રાક્ટરે ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાફો માર્યો, જેના પગલે મનપાના ઇજનેરોમાં રોષ ફેલાયો છે. મામલામાં જણાવાયું છે કે, રાજકોટ મનપાના ઇસ્ટ ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ગોલાણીયાને પેવિંગ બ્લોકના પેટા કોન્ટ્રાક્ટર મનીષ વેકરિયાએ બોલચાલી બાદ લાફો માર્યો હતો. પેવિંગ બ્લોકના કામ અંગે કોન્ટ્રાક્ટરને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ‘વાયબ્રન્ટ ગુજરાત’ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે અધિકારીઓ તેની સાથે મળવા ગયા નહોતા. આ વાતને લઈને કોન્ટ્રાક્ટરે ગુસ્સો કર્યો અને હુમલો કરી દીધો. હડતાળની જાહેરાત ધવલભાઈ પર થયેલા આ હુમલાના વિરોધમાં RMC એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા તાત્કાલિક અસરથી કામકાજ ઠપ્પ કરવામાં આવ્યું છે…
















