જૂનાગઢમાં 20 લાખની ખંડણી કેસમાં કીર્તિ પટેલને જામીન, ભવનાથ પોલીસે હાજર થવા ફરમાન

જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલા 20 લાખ રૂપિયાની ખંડણીના કેસમાં આરોપી Kirti Patelને અદાલતે જામીન મંજૂર કર્યો છે. કોર્ટ દ્વારા 1 દિવસના પોલીસ રિમાન્ડ પછી તેમની જામીન અરજી સ્વીકારવામાં આવી. કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં એક યુવક પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપ છે. જામીનની શરતો કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જામીન મળ્યા બાદ કેટલીક શરતો આપવામાં આવી છે: – આવતીકાલે સવારે 11 વાગ્યે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવું ફરજિયાત. – કોર્ટની અન્ય શરતોનું પાલન કરવું આવશ્યક. – પોલીસે જણાવ્યું છે કે કેસની તપાસ ચાલુ છે અને જરૂરી હોવાનું જણાશે તો વધુ પૂછપરછ માટે આરોપીને બોલાવવામાં આવી શકે છે. મામલાની પાછળની ઘટનાક્રમ કીર્તિ પટેલને રાજસ્થાનના ઉદયપુર શહેરથી પકડવામાં આવ્યો. પ્રથમ રિમાન્ડ દરમિયાન પોલીસએ…

કચ્છ: હાજીપીર પાસેથી 55 વિસ્ફોટકો સાથે 3 ઝડપાયા, જાણો વિગત

કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર હાજીપીર પાસે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓને ૫૫ વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી કચ્છ-ભુજ બોર્ડર રેન્જના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન, બોલેરો પિક-અપમાંથી વિસ્ફોટકોના ગોળા મળી આવ્યા, જે ઘઉના લોટથી કવર કરવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લોખંડનો કોચથો અને છરી પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનાની નોંધ હાજીપીર પોલીસ સ્ટેશનમાં એક્સલોઝીવ એક્ટ હેઠળ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોના નામ અને સરનામું આ પ્રમાણે છે: – પ્રકાશ હિરાભાઈ સથવારા, ઉંમર ૨૫, હેમલાઈ ફળીયું, અંજાર – રાજુ વેલજી દાતણીયા, ઉંમર ૩૫, સતાપર, અંજાર – હિરા કાનજી દાતણીયા, ઉંમર ૨૮, હેમલાઈ ફળીયું, અંજાર સફળ કામગીરી માટે પો.સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ગોહિલ, એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ કિરણકુમાર…

દિલ્હી હથિયાર તસ્કરી ભાંડાફોડ: લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાના પ્લાન નાકામ

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રોહિણી વિસ્તારમાં જ પકડાયેલા ચાર આરોપીઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવી હથિયારની ખેપ ભારતમાં લાવી લોરેન્સ બિશ્નોઈ, બમ્બીહા અને અન્ય કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત થયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઈ-ટેક અને અત્યાધુનિક હથિયારો સામેલ હતા. તપાસ હેઠળના આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી દ્વારા રાજ્યમાં ગુનાખોરી અને આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના ખતરા સામે સુરક્ષા વધારવા માટે મોટું પગલું લેવામાં આવ્યું છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW…

અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત

રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે. Follow us On…