AMC ના ડે.મ્યુનિ.કમિશનર અને એસ્ટેટ ઓફિસરને કોર્ટનું તેડું, ખુલાસો કરવા તાકીદ!
પંકજ મકવાણા – અમદાવાદ, અમદાવાદના ઘુમામાં ખેતીની જમીન પર ગેરકાયદે બાંધકામ અને વહીવટી પ્રક્રિયામાં વિલંબના આક્ષેપ મુદ્દે મિર્ઝાપુર કોર્ટે ખુલાસો માંગ્યો; ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૨૩(૧) હેઠળ સુનાવણી. અમદાવાદના ઘુમા વિસ્તારમાં ખેતીલાયક જમીન પર થયેલા કથિત ગેરકાયદે બાંધકામ અને તેને દૂર કરવાની વહીવટી પ્રક્રિયામાં થયેલા વિલંબના મામલે ન્યાયિક હસ્તક્ષેપ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના દક્ષિણ – પશ્ચિમ (South West) ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિરુદ્ધ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે કારણદર્શક નોટિસ જારી કરી છે. આ કેસ નિવૃત્ત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઘનશ્યામ એચ. દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદ પર આધારિત છે, જેમાં સરકારી આદેશોના પાલનમાં નિષ્ક્રિયતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, ઘુમાના સર્વે નંબર ૮૦૮ ની જમીન…
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડના જામીન કર્યા રદ, લોકસાહિત્યકારની મુશ્કેલીમાં વધારો
લોકસાહિત્યકાર દેવાયત ખવડ માટે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને તાત્કાલિક પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદો મારામારીના કેસમાં ફરિયાદી દ્વારા દાખલ અરજીના આધારે આપવામાં આવ્યો છે. અગાઉ કોર્ટે દેવાયત ખવડને જામીન મંજૂર કર્યો હતો, પરંતુ ફરિયાદી પક્ષ દ્વારા તેના રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જામીન રદ કરવા પાછળનો કારણ ફરિયાદીની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે તેમને આગામી 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ મથકમાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો છે. હવે લોકસાહિત્યકાર માટે કાયદાકીય માર્ગો મર્યાદિત થઈ ગયા છે. કોર્ટનો આદેશ દેવાયત ખવડ ફરજિયાતપણે એક મહિનાની સમયમર્યાદામાં ચાંગોદર પોલીસ મથક…
અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ મંજુર, જાણો વિગત
રાજકોટના અમિત ખૂંટના આપઘાત કેસમાં વધુ પડકાર ઊભા થયા છે. કોર્ટે પોલીસની વિનંતી મુજબ રાજદીપસિંહ જાડેજા (રીબડા)ને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન રાજદીપસિંહને કોર્ટમાં નહીં પરંતુ જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ અને પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂર રાખી છે. આ સમયગાળા દરમિયાન પોલીસે અમિત ખૂંટના આપઘાત પાછળના સાચા કારણો, રાજદીપસિંહની સંડોવણી અને અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. જજ સમક્ષ રાજદીપસિંહે દાવો કર્યો કે તેમના નામને ખોટી રીતે કેસમાં સંડોવાયું છે અને તેઓ નિર્દોષ છે. પોલીસ આ કેસમાં ઉમેરાયેલ અન્ય પુરાવાઓ, જેમ કે અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી અને અન્ય સાબિતીઓ, પર વધુ તપાસ કરશે. Follow us On…
ધારાસભ્ય હાર્દિક પટેલનું ધરપકડ વોરંટ થયું રદ, હાઇકોર્ટે આપી મોટી રાહત
ધારાસભ્ય હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે હાર્દિક પટેલ સામે જાહેર કરાયેલા ધરપકડ વોરંટને રદ કરી દીધું છે. હાર્દિક પટેલ પર 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન આવતા ધરપકડ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ અમદાવાદના નિકોલ પોલીસ મથકમાં નોંધાયેલ હતી. ધારાસભ્ય હાર્દિક પટેલ પર પરવાનગી વિના ધરણાં પર બેસવાના આરોપમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ધરપકડ માટે વોરંટ કાઢી હતી. હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપતા, હાઇકોર્ટે તેમની બાંહેધરી બાદ વોરંટ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હાર્દિક પટેલ માટે મોટી રાહત તરીકે જોવાય છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in










