સુરતના ઓલપાડમાં લિફ્ટ દુર્ઘટના, બે યુવા કામદારોનાં કરુણ મોત

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આજે દુઃખદ ઘટના સર્જાઈ હતી. સાયણના આદર્શ નગર–2 વિસ્તારમાં આવેલા અખંડદીપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચમા માળે કામ દરમિયાન લિફ્ટ તૂટી પડતાં બે પરપ્રાંતીય કામદારોનાં કરુણ મોત થયા છે। આ અકસ્માત ત્યારે બન્યો જ્યારે કામદારો લિફ્ટ મારફતે સામાન નીચે ઉતારી રહ્યા હતા. અચાનક લિફ્ટનો તાંતો તૂટી જતા લિફ્ટ સીધી પડી ગઈ હતી. ઘટનામાં રિકી મહંતો અને કિશન નામના બે યુવા કામદારોનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ લિફ્ટની ટેકનિકલ ખામી અથવા નિયમિત મેન્ટેનન્સના અભાવને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા છે. Follow us On Social Media YouTube…

Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ

શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ફેક્ટરીમાં ટાયરથી તેલ કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે બોઈલરમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે નજીકના લોકો પણ ડરી ગયા અને ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ. આગના કારણે કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો અને જાનહાનિ થઇ. બચાવ કામગીરી અને મૃતકની ઓળખ જાણી મળતાં જ, શહેરના પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. બચાવ કામગીરી ખૂબ…

વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા

નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે: – શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) – રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું) પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર…