ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વક્ફને હવે ધાર્મિક ટ્રસ્ટો સમકક્ષ ગણાશે, કોર્ટ ફી ફરજિયાત
ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી વક્ફ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડને હિન્દુ ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ભરવી ફરજિયાત રહેશે. હાઈકોર્ટનો નિર્ણય અને મહત્વ કોર્ટના આ ચુકાદા મુજબ કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વાદી કાયદાની પ્રક્રિયાથી ઉપર નથી. તેથી, અન્ય ધાર્મિક સંસ્થાઓને લાગતા નિયમો હવે વક્ફને પણ લાગુ પડશે. અગાઉ જૂના વક્ફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કોર્ટ કેસમાં ફી ભરવાથી મુક્તિ મળતી હતી, જે હવે નહી રહેશે. આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી સર્વસમાન લાગુ પડશે. વક્ફ શું છે? વક્ફ અરબી શબ્દ “વકુફા” પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે “રોકવું” અથવા “સાચવવું”. કાયદાકીય…
AIMPLBએ વકફ સુધારા વિધેયક પર વ્યક્ત કર્યો વાંધો, રાષ્ટ્રપતિ પાસે કરી આ માંગ
વકફ સંશોધન બિલ 2025 સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે મુસ્લિમ સંગઠનોનો વિરોધ તેજ થયો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સહિત અનેક સંસ્થાઓએ તેને ગેરબંધારણીય ગણાવ્યું છે. શુક્રવારે દેશના વિવિધ મોટા શહેરોમાં પણ આ બિલના વિરોધમાં દેખાવો થયા હતા.AIMPLBએ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તાત્કાલિક બેઠકની માંગ કરી છે. બોર્ડ ઈચ્છે છે કે બિલને મંજૂરી આપતા પહેલા રાષ્ટ્રપતિ તેમની ચિંતાઓ સાંભળે. AIMPLBના પ્રવક્તા ડૉ. SQR ઇલ્યાસે જણાવ્યું હતું કે બોર્ડના મહાસચિવ મૌલાના ફઝલુર રહીમ મુજદાદીના સત્તાવાર પત્ર દ્વારા આ માંગણી કરવામાં આવી છે. બોર્ડે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી બોર્ડે પત્રમાં કહ્યું છે કે બિલમાં કરાયેલા સુધારા વકફ સંસ્થાઓની સ્વાયત્તતા અને વહીવટને અસર કરે છે. AIMPLB અનુસાર, આ…
શું છે વક્ફ સુધારા બિલ, સરકારને આ બિલ લાવવાની કેમ પડી જરૂર.. જાણો A to Z
આજે લોકસભામાં મહત્વનું બિલ રજૂ થવા જય રહ્યું છે. કેન્દ્ર સરકાર બુધવારે સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારનું કહેવું છે કે આના દ્વારા તે વકફ સંબંધિત મિલકતોનું વધુ સારું સંચાલન સુનિશ્ચિત કરશે. જોકે, આ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા બિલથી મુસ્લિમ પક્ષની શક્તિ ઓછી થશે અને વક્ફ પર સરકારી નિયંત્રણ વધશે. ત્યારે સામાન્ય રીતે વકફ સનશોધન બિલ શું છે અને સરકારને હાલના વક્ફ કાયદામાં સુધારો કરવાની જરૂર કેમ પડી? વક્ફ બોર્ડ પાસે કેટલી જમીન છે? આ બિલ પર સરકારનું શું કહેવું છે? વકફ અંગે અત્યાર સુધી કઈ ફરિયાદો મળી છે? આવા પ્રશ્નો મનમાં થવા સામાન્ય છે. શું છે વકફ ?વકફ એ કોઈપણ જંગમ અથવા…
વકફ સુધારા બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિનો રિપોર્ટ, 10થી 15 લાખ ભાડુઆતો સાથે વક્ફનું મનસ્વી વલણ
વકફ સુધારા બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ વર્ષોથી વકફ મિલકતોમાં રહેતા ભાડૂઆતોના અધિકારો પરના તેના અહેવાલમાં એક મોટી ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટના પાના ૪૦૭ અને ૪૦૮ પર, એવું કહેવામાં આવ્યું હતું કે દિલ્હી વકફ ટેનન્ટ વેલ્ફેર એસોસિએશને સંસદીય સમિતિ સમક્ષ પોતાની ગંભીર સમસ્યાઓ રજૂ કરી હતી અને કહ્યું હતું કે તેઓ છેલ્લા ૭૫ વર્ષથી વકફ બોર્ડની દુકાનોમાંથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરંતુ હવે વક્ફ તેમની સાથે અતિક્રમણ કરનારાઓ જેવો વ્યવહાર કરી રહ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું અને મનસ્વી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં વકફ મિલકતો પર 10 થી 15 લાખ ભાડૂઆતો છે અને એકલા દિલ્હીમાં જ વકફ મિલકતો પર 2600 ભાડૂઆતો છે. રિપોર્ટમાં દિલ્હીના ભાડૂતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ ભાડૂતો…










