વકફ કાયદાના ગરમાયેલા રાજકારણ વચ્ચે દાઉદી બોહરા સમાજના લોકોએ કરી PM મોદી સાથે મુલાકાત, માન્યો આભાર
વકફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ તેજ બન્યું છે. કેન્દ્રની મોદી સરકાર મુસ્લિમ સમુદાયના હિતમાં તેને જરૂરી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો સહિત ઘણા વિપક્ષી પક્ષો તેને મુસ્લિમો વિરુદ્ધ ગણાવી રહ્યા છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. જ્યાં હાલમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન, દાઉદી બોહરા સમુદાયના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર માન્યો. ગુરુવારે, દાઉદી બોહરા સમુદાયના એક પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર માન્યો. પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સમુદાયની લાંબા સમયથી પડતર માંગ હતી. તેમણે વડાપ્રધાનના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ”ના વિઝનમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. PM મોદીએ કાયદાની પૃષ્ઠભૂમિ જણાવી આ…
મુર્શિદાબાદ હિંસામાં બાંગ્લાદેશી આતંકવાદીઓનો હતો હાથ! ગુપ્તચર રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તાજેતરમાં થયેલી હિંસા અંગે ગુપ્તચર એજન્સીઓએ મોટો દાવો કર્યો છે. એક ગુપ્ત અહેવાલ મુજબ, બાંગ્લાદેશના બે કટ્ટરપંથી આતંકવાદી સંગઠનો – જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) – ના સભ્યો આ સાંપ્રદાયિક હિંસામાં સામેલ હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાહ્ય તત્વોને હિંસા ફેલાવવામાં સ્થાનિક રાજકીય નેતાઓનો ટેકો મળ્યો હતો, જેનાથી મામલાની ગંભીરતા વધુ વધી ગઈ. જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે જે લશ્કર-એ-તૈયબા, હરકત-ઉલ-જીહાદ-અલ-ઇસ્લામી અને ISIS જેવા જૂથો સાથે જોડાયેલું છે. બાંગ્લાદેશ સરકારે 2005 માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સંગઠન ભારતમાં પણ પ્રતિબંધિત છે. અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) પણ બાંગ્લાદેશથી કાર્યરત એક આતંકવાદી સંગઠન છે, જે 2013-2015 વચ્ચે નાસ્તિક બ્લોગર્સની હત્યામાં સામેલ હોવાનું માનવામાં…
લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ કરાયું રજૂ, વિપક્ષે શરૂ કર્યો હોબાળો
બીજેપી સાંસદ કિરેન રિજિજુએ લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 રજૂ કર્યું છે. હવે આગામી આઠ કલાક સુધી તેના પર ચર્ચા થઈ શકે છે. આ અંગે શાસક NDA અને વિપક્ષી પક્ષો વચ્ચે ગરમાગરમ ચર્ચા અને હોબાળો થવાની શક્યતા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તેના સાંસદોને ત્રણ લાઇનનો વ્હીપ જારી કર્યો છે જેથી બિલ રજૂ થાય ત્યારે તેઓ ગૃહમાં હાજર રહે. જેડીયુ, ટીડીપી અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) જેવા એનડીએના સાથી પક્ષોએ પણ સરકારને ટેકો આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન ‘ભારત’ આ બિલનો જોરદાર વિરોધ કરવા તૈયાર છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી પક્ષોએ તેને બંધારણની વિરુદ્ધ અને લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવ્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે…
શું છે વક્ફ સુધારા બિલ, સરકારને આ બિલ લાવવાની કેમ પડી જરૂર.. જાણો A to Z
આજે લોકસભામાં મહત્વનું બિલ રજૂ થવા જય રહ્યું છે. કેન્દ્ર સરકાર બુધવારે સંસદમાં વક્ફ સુધારા બિલ રજૂ કરવા જઈ રહી છે. સરકારનું કહેવું છે કે આના દ્વારા તે વકફ સંબંધિત મિલકતોનું વધુ સારું સંચાલન સુનિશ્ચિત કરશે. જોકે, આ બિલનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા બિલથી મુસ્લિમ પક્ષની શક્તિ ઓછી થશે અને વક્ફ પર સરકારી નિયંત્રણ વધશે. ત્યારે સામાન્ય રીતે વકફ સનશોધન બિલ શું છે અને સરકારને હાલના વક્ફ કાયદામાં સુધારો કરવાની જરૂર કેમ પડી? વક્ફ બોર્ડ પાસે કેટલી જમીન છે? આ બિલ પર સરકારનું શું કહેવું છે? વકફ અંગે અત્યાર સુધી કઈ ફરિયાદો મળી છે? આવા પ્રશ્નો મનમાં થવા સામાન્ય છે. શું છે વકફ ?વકફ એ કોઈપણ જંગમ અથવા…
નીતીશ રાણેએ વક્ફબોર્ડને ગ્રીન સંકટ ગણાવી, સનાતન બોર્ડની સ્થાપનાની માંગ કરી
મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણે ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. તેમણે સનાતન બોર્ડની માંગણી કરી છે. રત્નાગિરીમાં જાહેર સભાને સંબોધતા રાણેએ કહ્યું કે આજે એ જાણવાની જરૂર છે કે વકફ બોર્ડ નામનું આ ગ્રીન સંકટ હિન્દુઓ પર આવી પડ્યું છે. આને રોકવાની જરૂર હવે ઉભી થઈ છે. મત્સ્યઉદ્યોગ અને બંદર વિકાસ મંત્રી નિતેશ રાણેએ કહ્યું “વક્ફ બોર્ડ નામનું સંકટ આપણી સામે ઉભું છે. તો આને રોકવા માટે, હું અહીં હાજર તમામ ધાર્મિક નેતાઓને વિનંતી કરીશ કે તેઓ હિન્દુ ધર્મના રક્ષણ માટે જગતગુરુના નેતૃત્વમાં સનાતન બોર્ડની સ્થાપના કરે. -> દરેક ઇંચ જમીન પાછી લેવી પડશે – નિતેશ રાણે :- તેમણે કહ્યું, “હિંદુ ધર્મના રક્ષણ માટે કયા પગલાં લેવા જોઈએ?” કયા નિયમો બનાવવા જોઈએ…સ્વામી…











