મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR – Special Intensive Revision) અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યભરમાં 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશના ગણતરી તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ મતદારોને પોતાના નામ ઉમેરવા, સુધારવા અથવા કમી કરવા અંગે દાવા અને વાંધા રજૂ કરવાની તક આપવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત 18 જાન્યુઆરી 2026 સુધી દાવા-વાંધાઓ સ્વીકારવામાં આવશે. ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 22 ડિસેમ્બર 2025 સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે કુલ 69,760 નાગરિકોએ ફોર્મ-6 રજૂ કર્યા છે. જ્યારે વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી નામ કમી કરવા માટે 11,074 નાગરિકોએ ફોર્મ-7 ભર્યા છે. ચૂંટણી…