ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો

ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં તેમના વિદાય સમારંભની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિકાસ સહાય 1989 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. મૂળરૂપે તેઓ 30 જૂને નિવૃત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો સત્તાવાર વિદાય સમારંભ યોજાશે, જેમાં તમામ પોલીસકર્મીઓને વરધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નવા DGPને લઈને અટકળો તેજ વિકાસ સહાયને ફરી એક્સ્ટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિદાય સમારંભની જાહેરાત થતાં…

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: 15 દિવસમાં જામીન-પેરોલ પરથી ફરાર 41 આરોપીઓ ઝડપાયા

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે 26 નવેમ્બરથી વિશેષ ‘ઓપરેશન કારાવાસ’ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ગુજરાત પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે. 15 દિવસમાં 41 ફરાર આરોપીઓ ઝડપાયા ઓપરેશન અંગે માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં પોલીસે કુલ 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાંથી 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન 25 આરોપીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ 25 પૈકી 17 આરોપીઓ પણ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ પકડાયેલા…

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર, રાજ્ય પોલીસ ચુસ્ત બની

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શહેરો અને જિલ્લાઓમાં નાકાબંધી, વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. વિકાસ સહાયે જણાવ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારે મજબૂત કરવામાં આવશે. રાજ્યના મહાનગરો, તેમજ તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર ખાસ દેખરેખ રાખવામાં આવશે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા અને પૂછપરછ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસ તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india…