ઇટાલીના કેથોલિક ચર્ચમાં હડકંપ, 4,400 થી વધુ લોકોના જાતીય શોષણના ચોંકાવનારા આરોપો
ઇટાલીનું કેથોલિક ચર્ચ એક વાર ફરી ગંભીર આરોપોના વાવાઝોડામાં છે. પાદરીઓ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો પર 4,400 થી વધુ જાતીય શોષણના કિસ્સાઓના સનસનીખેજ આરોપો લાગ્યા છે. આ આંકડા બહાર આવતા જ વિશ્વભરના કેથોલિક સમુદાયમાં આંચકો ફેલાયો છે અને ચર્ચ પ્રત્યે લોકોની આસ્થાને ગંભીર ઠેસ પહોંચી છે. આપત્તિજનક આંકડા બહાર આવ્યા ઇટાલિયન ચર્ચ દુર્વ્યવહાર વિરોધી સમૂહ Rete l’Abuso દ્વારા બહાર પાડાયેલા અહેવાલ અનુસાર, સંસ્થા પાસે અત્યાર સુધી 1,250 શંકાસ્પદ કેસોના દસ્તાવેજો છે, જેમાંથી 1,106 કેસ સીધા પાદરીઓ સાથે સંબંધિત છે. અહેવાલ મુજબ: – પીડિતોની કુલ સંખ્યા: 4,625 – પાદરીઓ દ્વારા શોષણના કેસ: 4,395 – અલ્પવયસ્ક (18 વર્ષથી નીચે) પીડિતો: 4,451 – પુરુષ પીડિતો: 4,108 – અન્ય પીડિતો: 5 નન, 156 પુરુષો અને 11 દિવ્યાંગ લોકો…
પોપ ફ્રાન્સિસનું અવસાન: 88 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ તેમણે વેટિકન નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા
રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસનું સોમવાર, 21 એપ્રિલ, 2025 ના રોજ અવસાન થયું. 88 વર્ષીય પોપે વેટિકન સિટીના કાસા સાન્ટા માર્ટા ખાતે સવારે 7:35 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. વેટિકન દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. ફેફસાના ચેપ અને કિડનીની સમસ્યાથી પીડાતા હતા:- પોપ ફ્રાન્સિસ છેલ્લા કેટલાક સમયથી ફેફસાના ગંભીર ચેપ અને કિડનીની બીમારીથી પીડાતા હતા. તાજેતરમાં તેમને રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર રહી હતી. ડોક્ટરોના મતે, ડબલ ન્યુમોનિયાને કારણે તેમના શરીરના અન્ય ભાગો પણ પ્રભાવિત થઈ રહ્યા હતા. પોપને પહેલા પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે:- પોપને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તે આ પહેલી વાર નહોતું. વર્ષ 2021 માં પણ તેમને…








