કચ્છ: રાપર આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં વ્યાપી ચિંતા
કચ્છ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થતા રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. બપોરના આશરે ત્રણ વાગ્યાના સમયગાળામાં વરસાદની શરૂઆત થતા ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાપર શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, અને બપોર પછી અચાનક પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી ઉકળાટનો સામનો કરી રહેલા લોકોએ આ ઝાપટાંને “પ્રકૃતિનો તાજગીભર્યો આશીર્વાદ” ગણાવ્યો હતો. વરસાદ એટલો જોરદાર હતો કે શહેરના મુખ્ય બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો જોવા મળ્યા હતા. પાણીના પ્રવાહને કારણે વાહનચાલકો અને રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કમોસમી વરસાદ ખેડૂતો માટે મિશ્ર પ્રતિક્રિયા લાવનાર સાબિત થયો છે. જ્યાં એક તરફ તાપમાનમાં ઘટાડો થવાથી રાહત…
વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ
ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ…
ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યેલો એલર્ટ, બંદરો પર લગાવાયું નંબર 3નું સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. માહિતી મુજબ, મહુવા તાલુકામાં હોસ્પિટલ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના જેસર, બીલા, ઉગલવાણ અને કાત્રોડી ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાક પલળી જવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. તે ઉપરાંત, ઘોઘાના દરિયા વિસ્તારમાં કરંટ (Sea Current) જોવા મળતાં તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ…
“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર આવીને સરકારે હવે ખેડૂતોની હકીકત પર ધ્યાન આપવું જોઈએ. સહાય નહીં, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવાથી જ ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે.” દુધાતે પત્રમાં આક્ષેપ કર્યો કે 2024માં જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાના આશરે 700 ગામડા બાકાત રહી ગયા હતા, જેના કારણે હજારો ખેડૂતોને કોઈ સહાય મળી નથી. હવે 2025ના કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેમણે સરકારની ડિજિટલ સર્વે પદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. “ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. વાસ્તવિક પરિસ્થિતિ અને…










