JNU કેમ્પસમાં વિવાદ: PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, FIR નોંધાઈ

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ FIR નોંધાવી છે. JNU પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ શીખવા, વિચારોના આદાન-પ્રદાન અને નવીનતાનું કેન્દ્ર હોય છે, નફરત ફેલાવવાનું સ્થાન નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ તેના નામે હિંસા, કાયદાનો ભંગ કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી. કડક શિસ્તભંગની કાર્યવાહી થશે યુનિવર્સિટી વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક સસ્પેન્શન, યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કે કાયમી રીતે પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. અગાઉ પણ 2016…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી: અધ્યાપકની ગંભીર ભૂલથી BCA સેમેસ્ટર-5નું પાયથનનું પેપર રદ, જાણો વિગત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 નવેમ્બરે લેવાયેલું BCA સેમેસ્ટર-5નું 50 માર્કનું “પ્રોગ્રામિંગ ઇન પાયથન” થિયરી પેપર રદ જાહેર કરવામાં આવ્યું છે. આ નિર્ણય આજે યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર દ્વારા જાહેર થયો. શા માટે રદ થયું પેપર? પરિપત્ર અનુસાર, 12 નવેમ્બરે લેવાયેલું પેપર જામનગરની H.J. દોશી કોલેજની ઇન્ટર્નલ પરીક્ષાના પેપર સાથે એકદમ સરખું નીકળ્યું હતું. આ કારણે પેપર સેટ કરતાં કોલેજના અધ્યાપક હિરલ પંડ્યાએ ગંભીર ભૂલ કરી હોવાનું બહાર આવ્યું. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા આ મુદ્દે 13 નવેમ્બરે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને આક્ષેપ મૂકાયો હતો કે મુખ્ય યુનિવર્સિટી પરીક્ષામાં લેવાયેલું પેપર જામનગરની ઇન્ટર્નલ પરીક્ષાના પેપર જેટલું જ શબ્દપ્રમાણે એકસરખું હતું. આ આક્ષેપો સાચા સાબિત થતા યુનિવર્સિટીએ આખું પેપર રદ…