ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી સ્તરે ગરમાવો સર્જ્યો છે. કોંગ્રેસ દ્વારા ટાઈફોઈડના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મીતી પરીખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બાળકનું મોત ટાઈફોઈડથી થયું નથી. આ મુદ્દે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો કાર્યવાહી ન થાય તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. પાણીના સેમ્પલમાં કોઈ વાંધાજનક તત્વ નથી: કમિશનર કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા મનપા કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી.…
ગાંધીનગરમાં ટાઈફોઈડના 113 કેસ, આરોગ્ય વિભાગ સક્રિય
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના 113 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમામાંથી 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ અને 29 અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા 20,800 થી વધુ ઘરોમાં તપાસ ચાલુ છે. ટાઈફોઈડનાં કેશો વધતા પગલાં: શહેરના સેક્ટર 24, 26 અને 28માં 67 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થયું. મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યું છે. પાણીના ક્લોરીનેશન અને પાણી પાઈપલાઇનની લીકેજ દૂર કરવા માટે તપાસ ચાલુ છે. મુખ્યમંત્રીની સમીક્ષા: પ્રદૂષિત પાણી અને ખોરાકના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રોગચાળાને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવા…








