પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર, ધર્મ પૂછી કરી હતી 26 લોકોની હત્યા
પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જે રીતે આતંકવાદીઓએ પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં, સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે. હુમલો કરનારા આતંકવાદીઓને ઝડપી પાડવા ગતિવિધિઓ તેજ થઈ છે. હાલમાં, સુરક્ષા દળોએ પહેલગામના જંગલોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. આતંકવાદીઓ બૈસરનના જંગલોમાંથી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે હુમલો કર્યા પછી, તેઓ જંગલોમાંથી સલામત સ્થળો તરફ ભાગી ગયા હતા. હવે, સેના અને CRPF ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો આતંકવાદીઓને શોધવામાં રોકાયેલા છે. 5 આતંકીઓએ કર્યો…







