ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે કે નહીં? પીયૂષ ગોયલે સીધો જવાબ ટાળ્યો, કહ્યું – નિર્ણય જરૂરિયાત પ્રમાણે લેવાશે
ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે કે ચાલુ રાખશે – આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેમણે જણાવ્યું કે આ વિષય પર વિદેશ મંત્રાલય દ્વારા ધ્યાન આપવામાં આવશે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિત અને નાગરિકોની જરૂરિયાતોને આધારે નિર્ણય લેશે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકા સાથે વેપાર કરાર થયા બાદ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. જોકે, ભારત સરકાર તરફથી આ દાવા પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત બજારની પરિસ્થિતિ અને શ્રેષ્ઠ સોદા આધારે બિન-પ્રતિબંધિત સંસ્થાઓ પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. તેલની કિંમતો પણ બજારની માંગ અને પુરવઠા પર આધારિત રહેશે. આ દરમિયાન…
અમેરિકાએ ભારતીય સામાન પર લાગતા ટેરિફમાં કર્યો ઘટાડો, જાણો વિગત
અંતે, અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારત પ્રત્યે નરમ રવૈયો અપનાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતથી આવનારા માલ પર લાગતા આયાત શુલ્ક (ટેરિફ)ને 25% પરથી ઘટાડીને 18% કરી દીધો છે. આ નિર્ણય બંને નેતાઓ વચ્ચે થયેલી ફોન વાતચીત પછી લેવામાં આવ્યો છે. હવે ભારત અને અમેરિકા વચ્ચે માત્ર 18% ટેરિફ લાગશે. જોકે, સમય સાથે આ ટેરિફ દરમાં વધુ ઘટાડાની શક્યતા છે. આખરે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં પ્રત્યે નરમ વલણ અપનાવ્યુ છે. હવે ભારત અને અમેરિકા વચ્ચે માત્ર 18% ટૅરિફ રહેશે. જોકે, સમયની સાથે ટૅરિફ દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. ટ્રમ્પ અને વડામંત્રી મોદી એ મુદ્દે મહત્વપૂર્ણ સમજૂતી પર પહોંચવાની પણ વાત કરી છે.અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે ટેરિફને 18% થી ઘટાડી…
ભારતે સ્ટીલ ઉત્પાદનો પર ત્રણ વર્ષનો ટેરિફ લાદ્યો, ચીનથી થતી આયાત પર પડશે અસર
ભારતે ત્રણ વર્ષ માટે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ત્રણ વર્ષ માટે કેટલાક સ્ટીલ ઉત્પાદનો પર 11-12 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાને ચીનથી આવતા સસ્તા સ્ટીલને રોકવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. સરકારી ગેઝેટમાં પ્રકાશિત આદેશ મુજબ, પહેલા વર્ષમાં સ્ટીલની આયાત પર 12 ટકા ટેરિફ લાદવામાં આવશે. જ્યારે બીજા વર્ષે તે ઘટાડીને 11.5 ટકા અને ત્રીજા વર્ષે તે ઘટાડીને 11 ટકા કરવામાં આવશે. ભારતમાં તાજેતરમાં સસ્તા ચીની સ્ટીલની આયાતમાં વધારો જોવા મળ્યો છે. આને ચીન દ્વારા ડમ્પિંગ તરીકે જોવામાં આવી રહ્યું છે. આનાથી ભારતીય સ્ટીલ ઉત્પાદકો પર દબાણ વધ્યું છે. આદેશમાં જણાવાયું છે કે “ભારતમાં સ્ટીલના ભાવમાં…
‘50% ટેરિફ નાબૂદ થવો જોઈએ’, યુએસ સંસદમાં ભારત માટે અવાજ ઉઠ્યો
અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને ખુલ્લેઆમ પડકાર્યો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (ઉત્તર કેરોલિના), માર્ક વેઝી (ટેક્સાસ) અને ભારતીય મૂળના રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોઇસ) એ રાષ્ટ્રીય આર્થિક કટોકટીની ઘોષણાને રદ કરવા માટે ઠરાવ રજૂ કર્યો છે. ઠરાવ હેઠળ તે ટેરિફ રદ કરવામાં આવશે, જે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતીય આયાત પર 50% સુધીનો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો હતો. સાંસદો શું કહે છે? – ડેબોરાહ રોસ: “ઉત્તર કેરોલિનાની અર્થવ્યવસ્થા ભારત સાથે ખૂબ જ જોડાયેલી છે. ભારતીય કંપનીઓ અબજો ડોલરનું રોકાણ કરી રહી છે અને હજારો નોકરીઓનું સર્જન કરી રહી છે. ટેરિફ તે સંબંધને નુકસાન પહોંચાડી રહ્યા છે.” – માર્ક વેઝી: “આ ગેરકાયદે ટેરિફ ઉત્તર ટેક્સાસના સામાન્ય લોકોને…
રાજ્યસભામાં સ્ટાર લિન્કને લઈ રાઘવ ચઢ્ઢાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
ગુરુવારે રાજ્યસભામાં એક મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન, આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારત સરકારને અમેરિકા સાથે ટેરિફ વાટાઘાટોમાં સ્ટારલિંકનો ઉપયોગ ‘બાર્ગેનિંગ ચિપ’ તરીકે કરવાની સલાહ આપી છે. તેમણે સ્ટારલિંક સંબંધિત કેટલીક ચિંતાજનક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો. ભારત સરકાર હાલમાં સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ અંગે સાવધ છે અને કોઈપણ પ્રકારની મંજૂરી આપતા પહેલા સુરક્ષા સંબંધિત દરેક પાસાની તપાસ કરી રહી છે. સ્ટારલિંક પર રાઘવ ચઢ્ઢાએ શું કહ્યું?ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો સામનો કરવા માટે, રાઘવ ચઢ્ઢાએ સરકારને સૂચન કર્યું કે એલોન મસ્કની કંપની સ્ટારલિંકને આપવામાં આવેલી મંજૂરી બંધ કરવી જોઈએ અને ટેરિફ અંગે ફરીથી અમેરિકા સાથે વાટાઘાટોમાં તેનો ઉપયોગ ‘બાર્ગેનિંગ ચિપ’ તરીકે કરવો જોઈએ. તેમણે કેટલીક ચિંતાજનક ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે થોડા મહિના…
ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું લાગે છે કે તે દુર્લભ ખનિજ કરારમાંથી પાછળ હટવાનો પ્રયાસ કરી રહ્યો છે અને જો તે આવું કંઈક કરશે તો પરિણામ સારું નહીં આવે, તે તેના માટે સમસ્યાઓ ઊભી કરશે. આ પણ વાચો :- પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’ ‘યુક્રેન ક્યારેય નાટોમાં જોડાઈ શકશે નહીં :- ‘રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “આ જ હરકતોને કારણે, યુક્રેન નાટો જૂથનો ભાગ નહીં બની શકે. જો ઝેલેન્સકીને લાગે છે કે તે ખનિજ કરાર પર ફરીથી વાટાઘાટો…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ખુબજ ‘સ્માર્ટ’ વ્યક્તિ, ગણાવ્યા નિકટના મિત્ર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને તેમને ‘નિકટના મિત્ર’ અને ‘ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ’ ગણાવ્યા છે. શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ભારત સાથે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટો ખૂબ સારી રીતે કાર્ય કરશે. અમેરિકન રાષ્ટ્રપતિએ પત્રકારોને જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી તાજેતરમાં અહીં આવ્યા હતા અને અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છીએ.’ ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે. તે ખૂબ જ હોશિયાર છે. આ પણ વાંચો :- મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો પીએમ મોદીને ખૂબ જ સ્માર્ટ કહ્યા :- પીએમ મોદી વિશે ટ્રમ્પે આગળ કહ્યું, ‘તેઓ…
‘વાતચીત ચાલુ છે, આશા છે સમજુતી થશે’ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરીફની જાહેરાતને લઇ MEAની પ્રતિક્રિયા
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. MEA એ શુક્રવારે (21 માર્ચ) જણાવ્યું હતું કે બંને દેશો ટેરિફ અને બજાર ઍક્સેસ જેવા મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીત કરી રહ્યા છે. આ પણ વાંચો :- શું શશી થરૂર ભાજપમાં જોડાશે ? આ એક સેલ્ફીએ ઘણા દિવસથી ચાલતી ચર્ચાને વેગ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આવતા મહિને ભારત પર પારસ્પરિક ટેરિફ લાદવાની યોજના બનાવ્યાના બે દિવસ બાદ વિદેશ મંત્રાલય તરફથી આ પ્રતિક્રિયા આવી છે. અમેરિકાના આ પગલાથી ભારતીય નિકાસ પર અસર પડી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બંને દેશો વાતચીત કરી રહ્યા છે અને આશા છે…
ટ્રમ્પ સરકારની આ મહિલા નેતાએ કહ્યુ ‘અમેરિકન વાઇન પર ભારત 150 ટકા ટેરિફ લગાવે છે’
એક તરફ ભારત, કેનેડા સહિતના દેશોમાં ટ્રમ્પ દ્વારા તેમની પેદાશોની આયાત પર લાદવામાં આવેલા ઉંચા ટેરીફ ચર્ચામાં છે.. ત્યાં બીજી તરફ મંગળવારે યુએસ વ્હાઇટ હાઉસ ખાતે, વિશ્વના ઘણા દેશો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ પર લાદવામાં આવેલા ટેરિફ પર ચર્ચા કરવામાં આવી. આ ચર્ચામાં ભારત અને કેનેડાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન ટેરિફની ચર્ચા કરતી વખતે, વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ભારત અમેરિકન ઉત્પાદનો પર ઘણા ઊંચા ટેરિફ લાદે છે અને તેમાંથી નફો કમાય છે. ભારત વિશે ખાસ વાત કરતાં તેમણે કહ્યું, “અમેરિકન વાઇન પર ભારતમાં 150 ટકા ટેરિફ લાગે છે. બીજી તરફ ભારતમાં અમેરિકન કૃષિ ઉપકરણો પર 100 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. કેરોલિન લેવિટે ટ્રમ્પના પારસ્પરિક ટેરિફ પર વાત…
પ્રતિબંધોમાં રાહત આપશે કે ટેરીફ લાદશે, રશિયાને લઇને ટ્રમ્પના વલણ પર સમગ્ર વિશ્વની નજર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ૭ માર્ચે કહ્યું હતું કે યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી અમેરિકા રશિયા પર બેંકિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવાનું ગંભીરતાથી વિચારી રહ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન 4 માર્ચના રોજના એ અહેવાલો બાદ આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્ર મોસ્કો સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવા અને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના બદલામાં રશિયાને પ્રતિબંધોમાં રાહત આપવાની યોજના બનાવી રહ્યું છે. 4 માર્ચના રોજ રોઇટર્સના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસે રાજ્ય અને ટ્રેઝરી વિભાગોને રશિયન પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી શકાય તેવા પ્રતિબંધોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ચર્ચાનો ઉદ્દેશ્ય મોસ્કો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવાનો હતો. જોકે, ટ્રમ્પની આ યોજનાની પણ ટીકા થઈ હતી, એવું…
















