તહેવારો પર ગુજરાત સરકારનો નવો નિર્ણય, ખાદી કપડાં પર મળશે 30% ડિસ્કાઉન્ટ
ગુજરાત સરકારે રાજ્યના ખાદી ઉદ્યોગ અને ગ્રામોદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તહેવારની ઋતુ દરમિયાન એક મહત્વપૂર્ણ અને લોકલભ્ય જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે, 2 ઓક્ટોબર (ગાંધી જયંતિ) થી 31 ડિસેમ્બર 2025 સુધી ખાદી અને પોલીવસ્ત્રના ખરીદપર 30 ટકાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામિણ કારીગરોને ટેકો આપવો, સ્વદેશી ઉત્પાદનોને લોકપ્રિય બનાવવું અને સ્થાનિક ઉદ્યોગોને બળ આપવો. જીવનમાં નવી ઉર્જા લાવશે ‘સ્વદેશી’ નો સહારો મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, “આ નિર્ણયથી હજારો કારીગર પરિવારોને નવો આશરો મળશે, અને ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં નોકરીઓ અને આવકની તકો વધશે.” ખાસ કરીને ગૃહ ઉદ્યોગમાં સંકળાયેલી મહિલાઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બનશે. આ સહાય હેઠળ ખરીદી માટે ઉપલબ્ધ રહી શકે છે: – ખાદીનું આસન, શેતરંજી – રેશમી…








