પ્રધાનમંત્રી મોદીનો દિવાળી સંદેશ, “દિપાવલી પ્રકાશ છે, શાંતિ છે અને વિકાસ છે”

દિપાવલી 2025ના પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે અને રાષ્ટ્રની પ્રગતિ, ન્યાયની જીત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ બળ આપવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “આ રામમંદિર નિર્માણ પછીની બીજી દિવાળી છે, અને ભગવાન શ્રી રામ આપણને ન્યાયીપણા અને અન્યાય સામે લડવાની હિંમત શીખવે છે. થોડાં મહિના પહેલાં થયેલા ઓપરેશન સિંદૂર એ ભારતીય સેના અને નાગરિકોની અડગ મનોબળનું જીવંત ઉદાહરણ છે.” દિવાળી નક્સલમુક્ત વિસ્તારો સુધી: પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવાળીએ દેશના દૂર-દરાજના એવા જિલ્લાઓમાં પણ દીવો પ્રગટાશે જ્યાં નક્સલવાદ અને માઓવાદ ક્યારેય શમ્યા નહોતા. તેમણે ઉમેર્યું કે, “અનેક લોકો હિંસાનો માર્ગ છોડીને બંધારણમાં વિશ્વાસ દાખવી રહ્યા છે, જે રાષ્ટ્ર માટે મહાન સિદ્ધિ છે.” જીએસટી બચત ઉત્સવ અને નવી…

તહેવારો પર ગુજરાત સરકારનો નવો નિર્ણય, ખાદી કપડાં પર મળશે 30% ડિસ્કાઉન્ટ

ગુજરાત સરકારે રાજ્યના ખાદી ઉદ્યોગ અને ગ્રામોદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તહેવારની ઋતુ દરમિયાન એક મહત્વપૂર્ણ અને લોકલભ્ય જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે, 2 ઓક્ટોબર (ગાંધી જયંતિ) થી 31 ડિસેમ્બર 2025 સુધી ખાદી અને પોલીવસ્ત્રના ખરીદપર 30 ટકાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામિણ કારીગરોને ટેકો આપવો, સ્વદેશી ઉત્પાદનોને લોકપ્રિય બનાવવું અને સ્થાનિક ઉદ્યોગોને બળ આપવો. જીવનમાં નવી ઉર્જા લાવશે ‘સ્વદેશી’ નો સહારો મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, “આ નિર્ણયથી હજારો કારીગર પરિવારોને નવો આશરો મળશે, અને ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં નોકરીઓ અને આવકની તકો વધશે.” ખાસ કરીને ગૃહ ઉદ્યોગમાં સંકળાયેલી મહિલાઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બનશે. આ સહાય હેઠળ ખરીદી માટે ઉપલબ્ધ રહી શકે છે: – ખાદીનું આસન, શેતરંજી – રેશમી…