સુરત: જંગલમાં ૫૦ ચિત્તલ છોડાયા, હવે દીપડાઓ માનવ વસાહત તરફ નહીં ફરે?2026

સુરતના જંગલોમાં છોડવામાં આવ્યા 50 ચિત્તલ: દીપડાઓને કુદરતી ખોરાક મળશે, માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ ગાંધીનગર, 19 જુલાઈ: ગુજરાત સરકારે વન્યજીવ સંરક્ષણ અને માનવ-વન્યજીવ સહઅસ્તિત્વને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સુરત જિલ્લાના માંડવી જંગલ વિસ્તારમાં 50 ચિત્તલ (સ્પોટેડ ડીયર) છોડવામાં આવ્યા છે, જેથી દીપડા જેવા શિકારી વન્યપ્રાણીઓને જંગલમાં જ પૂરતો કુદરતી ખોરાક મળી રહે અને તેઓ માનવ વસાહતો તરફ ઓછા આવે. વન વિભાગનું માનવું છે કે આ પહેલથી લાંબા ગાળે માનવ-વન્યજીવ સંઘર્ષમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમજ જંગલનું પર્યાવરણીય સંતુલન વધુ મજબૂત બનશે. આ સમગ્ર અભિયાન વિજ્ઞાન આધારિત વન્યજીવ વ્યવસ્થાપનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં કુદરતી શિકારની સંખ્યા વધારીને વન્યજીવો માટે અનુકૂળ રહેઠાણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત…