સુપ્રીમ કોર્ટે અરવલ્લીના આદેશ પર લગાવી રોક, આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી ટેકરીઓને અરવલ્લી પર્વતમાળા ગણવામાં ન આવે તે આદેશ પર સ્ટે આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની જાતે જ નોંધ લીધી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘણી બાબતો સ્પષ્ટ કરવાની જરૂર છે. આ જ કારણ છે કે આ મામલાની નોંધ લેવામાં આવી છે. કોર્ટે અરવલ્લી પર્વતમાળાની તપાસ માટે એક સમિતિની રચના કરી અને આગામી સુનાવણી માટે 21 જાન્યુઆરીની તારીખ નક્કી કરી. CJI એ કહ્યું કે કેટલાક ટેકનિકલ મુદ્દાઓ પર સ્પષ્ટતાની જરૂર છે. તેમણે કહ્યું, “અરવલ્લી ટેકરીઓ અને પર્વતમાળાની તપાસ સમયાંતરે ડોમેન નિષ્ણાતોની બનેલી ઉચ્ચ-શક્તિવાળી સમિતિ…

“સરકાર સાથે નહીં, ભ્રષ્ટાચાર સાથે છો? તો જેલ તમારા માટે ખાલી છે!”

પંકજ મકવાણા, અમદાવાદ/ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા મે 2025માં આપવામાં આવેલ એક ઐતિહાસિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામેના કાયદાને નવા દિશા-સૂત્ર આપ્યા છે. ચુકાદાનું મૂળ વિચારધારા પ્રમાણે “ભ્રષ્ટાચાર માત્ર લેનદેન નહીં, પણ તેને પ્રોત્સાહન આપનાર દરેક જીવંત કડી સુધી પહોંચવું જોઈએ.” એ કારણે, હવે કાયદાની નજરમાં સરકારી કર્મચારી ન હોવા છતાં ભ્રષ્ટાચારમાં સહભાગી વ્યક્તિને પણ દોષિત ઠેરવી શકાય છે. આ ચુકાદો પી. શાંતિ પુગઝેન્થી વિ. રાજ્ય કેસના સંદર્ભમાં આવ્યો છે. આરોપ મુજબ એક સરકારી અધિકારીની પત્નીએ પોતાની ઓળખ અને પદનો દુરુપયોગ કરીને આવી સંપત્તિ મેળવણીમાં સહભાગી થઈ હતી જે તેની પતિની આવકથી અનેકગણી વધારે હતી. ભ્રષ્ટાચારના કેસમાં ભાગીદારીનું પરિભાષાંતરણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(e) મુજબ કોઈ સરકારી કર્મચારી પોતાની આવકના ન્યાયસંગત સ્ત્રોતથી વધુ સંપત્તિ ધરાવે તો એ…