ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…

જગદીશ વિશ્વકર્માની ટીમની જાહેરાત: મહામંત્રી-અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીમાં વ્યાપક સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે. 27 ડિસેમ્બર 2025ના રોજ જાહેર થયેલી નિમણૂક મુજબ મહામંત્રી, કોષાધ્યક્ષ, ઉપપ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખોની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અગત્યની નવી નિમણૂકો: મહામંત્રી: કચ્છ – અનિરુદ્ધ દવે, સુરેન્દ્રનગર – હિતેન્દ્રસિંહ ચૌહાણ, રાજકોટ – ડો. પ્રશાંત કોરાટ, ખેડા – અજય બ્રહ્મભટ્ટ કોષાધ્યક્ષ: ડો. પરિન્દુ ભગત ઉપપ્રમુખ: અમદાવાદ – ભરત પંડ્યા કાર્યાલય મંત્રી: શ્રીનાથભાઈ શાહ મુખ્‍ય પ્રવક્તા: ડો. અનિલ પટેલ મીડિયા ઇન્ચાર્જ: ડો. પ્રશાંત વાળા   પાર્ટી સૂત્રો અનુસાર, આ નિમણૂકો આગામી ચૂંટણી અને સંગઠન મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. તમામ પદાધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જવાબદારીઓ સંભાળવા સૂચના આપવામાં આવી છે, જેથી ભાજપ ગુજરાતમાં સંગઠનાત્મક ગતિ વધુ તેજ કરી શકે.…